ગુજ. બેરોજગાર ગ્રંથપાલ મંડળએ આપ પાર્ટીને પત્ર લખી કરી આવી માંગણી

 ગુજ. બેરોજગાર ગ્રંથપાલ મંડળએ આપ પાર્ટીને પત્ર લખી કરી આવી માંગણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

  • ગુજરાત સરકારનું શિક્ષણમાં ભોપાળુ આવ્યું બહાર
  • છેલ્લા કેટલાય વર્ષોથી સ્કૂલ કોલેજ તેમજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ ની જગ્યા ખાલી
  • શિક્ષણમાં ક્રાંતિની વાત કરનારી ભાજપ સરકાર ગ્રંથપાલ ની નિમણુક અંગે આટલી ઉદાસીન કેમ ?
  • સરકારે જ પુસ્તકાલયની કફોડી હાલત કરી હોય  ત્યાં જ્ઞાનની વૃદ્ધિ ક્યાંથી થાય?
  • આ રીતે વાંચશે ગુજરાત ચળવળ આગળ વધશે
  • પુસ્તકો પ્રત્યેનો વિદ્યાર્થીઓનો સાવ ઉદાસીન અભિગમ પાછળ ભાજપ સરકાર જ જવાબદાર
  • ડબ્બા જેવા યુવાનો ગુજરાતમાં પાકશે તો જ મોદી મોદી નારા લગાવશેને?

ગુજરાત રાજ્યમાં વિધાનસભા 2022 ને લઈને ચૂંટણીના એંધણ વર્તાઈ રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રશ્નોને લઈને ગુજરાતના બેરોજગારો પણ હવે આક્રમક બન્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી ગ્રંથપાલની ડિગ્રી ધરાવનારા યુવાનો ભારે હતાશાનું ભોગ બન્યા છે. એટલું જ નહીં વિકાસની મોટી મોટી વાતો કરનારી ભાજપા સરકારે નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ નોંધપાત્ર ગ્રંથપાલની ભરતી કરી નથી ! આ જ ભાજપ સરકારની કદરૂપી વાસ્તવિકતાનો પરિચય દર્શાવે છે.

 

આટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર ગ્રંથપાલ મંડળ વતીથી આશરે 85 થી પણ વધુ સમય આવેદનપત્ર આપીને સતત મંત્રીથી લઈ અને અધિકારીને અલગ અલગ સ્તરી રજૂઆત કરવામાં આવી છે પરંતુ  એમની વાતોને સાંભળીને રાજ્ય સરકારે કોઈ ગંભીરતાથી એમની વાતોને ઉકેલ લાવ્યો હોય એવું બન્યું નથી પરિણામે બેરોજગાર ગ્રંથપાલ મંડળે હવે આપ પાર્ટીની વધતી લોકપ્રિયતા જોઈને અરવિંદ કેજરીવાલને પત્ર લખીને પોતાની મનો વ્યથા અને હતાશા ઠાલવી છે અને આ પાર્ટી જો સત્તામાં આવે કે આપ પાર્ટીની સરકાર બને તો અમારા પણ પ્રશ્નો નિરાકરણ કરજો તેવી અપીલ ગ્રંથપાલ મંડળના સભ્યોએ કરી છે …

આવો એમનો પત્ર વાંચીએ..

પ્રતિ,

મુખ્યમંત્રી (શ્રી અરવિંદ કેજરીવાલ )

દિલ્લી , ભારત .

 

વિષય :- ગ્રંથપાલ ની ભરતી માટે ગુજરાતમાં ગુજરાતના ગ્રંથપાલો ને રૂબરૂ મુલાકાત નો સમય આપવા બાબત

 

સવિનય ઉપરોક્ત વિષય અન્વેય જણાવવાનું કે; ગુજરાત સરકાર ને ગુજરાત માં શાળા , કોલેજો અને યુનિવર્સીટી, અને જાહેર

ગ્રંથાલયમાં છેલ્લા 24 વર્ષ થી ગ્રંથપાલ ની જગ્યા ભરી નથી માત્ર વાયદા કરે છે સરકાર , ૮૯ આવેદનપત્ર આપ્યા છતાં પેટનું પાણી નથી હલતું

 

છેલ્લા ૨૩ વર્ષથી રાહ જોઈ રહેલા ગ્રંથપાલોની ધીરજ ખૂટી , 120 માસ અને દસ (૧૦)વર્ષ થી ગ્રંથપાલો ની રજૂઆત પરંતુ ભરતી ન કરી બીજી તરફ ગુજરાતની શૈક્ષણિક સરકારી સંસ્થાન નાં MHRD રીપોર્ટસ પ્રમાણે NIRFમાં ૧ થી ૨૦૦ માં ગુજરાતની એકપણ સરકારી કોલેજને સ્થાન મળ્યું નથી. ખાનગી શાળા , કોલેજ અને યુનિવર્સીટીમાં અતિ અધતન ગ્રંથાલયો હોય છે , જયારે ગુજરાતની સરકારી શાળા , કોલેજમાં ગ્રંથાલય અને ગ્રંથપાલોનાં કોઈ જ ઠેકાણા નથી . સરકારી શાળા , કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને ગ્રંથાલયની જરૂર ન પડે ???? માટે ગરીબ ઘરનાં વિદ્યાર્થીઓ GPSC,UPSC જેવી પરીક્ષામાં પાસ નથી થતા ,

ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચનાં આગેવાન ડૉ.મહેશ કે. સોલંકી નાં જણાવ્યા પ્રમાણે નીચે મુજબની જગ્યાઓ ખાલી છે

છેલ્લા બે દાયકાથી નીચે મુજબ જગ્યા ખાલી છે

1)ગુજરાતની અનુદાનિત કોલેજ માં ગ્રંથપાલ ની ૩૫૭ માંથી ૨૬૦ જગ્યા ખાલી

2) સરકારી કોલેજ માં ૧૧૫ માંથી ૫૭ જગ્યા ખાલી (50%)

3) શાળા ગ્રંથાલયોમાં ૫૬૦૦ જગ્યા ખાલી

4).૨૮ સ્ટેટ યુનિવર્સિટીમાંથી માત્ર ૨ બેજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે બાકી ૨૬માં આસિસ્ટન્ટ અને હંગામી ધોરણે ચલાવે

ગુજરાત ( ૨૮- સ્ટેટ યુનિ. + ૪૭ પ્રાઇવેટ યુનિ. + ૦૧ – સેન્ટ્રલ યુનિ. + ૦૩- ડીમ યુનિ.) Ref: https://ugc.ac.in

5) મેડિકલ કોલેજમાં ગ્રંથપાલની ૯૫% જગ્યા ખાલી

6) એન્જીનિરિંગ કોલેજ માં ગ્રંથપાલની ૧૦૦% જગ્યા ખાલી

7) આયુર્વેદમાં કોલેજમાં 70% જગ્યા ખાલી

8) જાહેર ગ્રંથાલયમાં 80% જગ્યા ખાલી

8) સેન્ટ્રલ લાયબ્રિરી માં ગ્રંથાલય નિયામકની જગ્યા ખાલી

9) દરેક સરકારી યુનિવર્સિટી માં આસિસ્ટન્ટ લાયબ્રેરીયન અને ડેપ્યુટી લાયબ્રેરીયન અને ટેકનીકલ જગ્યાઓ ખાલી

વિશ્વના વિકશિત દેશોના પાયામાં શિક્ષણનું સ્થાન પ્રથમ હોય છે , શિક્ષણ થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે , જ્ઞાન મેળવાવ નું માધ્યમ ગ્રંથાલય છે. અને યોગ્ય સમયે , યોગ્ય માહિતી થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને વાચક નો સમય બચાવવા ગ્રંથાલયમાં ફરજીયાત ગ્રંથપાલની આવશ્કતા રહે છે. વિશ્વની સૌથી મોટી ગ્રંથાલય “લાયબ્રેરી ઓફ કોંગ્રેસ “ અમેરિકાની છે, તેના ગ્રંથપાલની વરણી અમેરિકાના પ્રમુખ કરે છે અને સપથ લેવડાવે છે. તો આપણે સમજી શકીએ વિકસિત દેશોમાં ગ્રંથપાલનું મહત્વ કેટલું હશે. અહી ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી રાજ્યની અનુદાનિત શાળામાં ગ્રંથપાલની ભરતી થઇ નથી, શિક્ષણ મંત્રી અને મુખ્યમત્રી જયારે ખાનગી શાળા અને કોલેજોમાં ગ્રંથાલયના ઉદ્ઘાટન કરે ત્યારે ખુબ આનંદ થાય છે, પરંતુ આજ સુધી કોઈ સરકારી શાળા , કોલેજની ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરતા દેખાણા નથી ત્યારે ખુબ જ દુઃખ થાય છે રાજ્યના 70% ગરીબ વિદ્યાર્થીઓ સરકારી શાળા , કોલેજમાં આભ્યાસ કરે છે, ત્યાં ગ્રંથપાલ કે ગ્રંથાલયો નથી
તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું મહત્વાકાંક્ષી અભિયાન ‘વાંચે ગુજરાત’ જે 2010 થી શરૂ કરવામાં આવ્યુ છે એમાં પણ ગ્રંથપાલોની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી રહી છે.
માટે 100% અભિયાન નિષ્ફળ નીવડ્યું અને માત્ર કાગળ પર જ છે રાજ્યની મોટાભાગની જાહેર ગ્રંથાલયમાં સ્ટાફ વગર ચાલે છે
બીજી બ રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશ, રાજેસ્થાન , દિલ્હી, બિહાર, યુ.પી, તમિલનાડુ,અસમ,પંજાબ , ગ્રંથપાલની જગ્યાઓ પુરા વેતનથી ભરવામાં આવી છે અને ગુજરાત રાજ્યોમાં પણ છેલ્લા અઢી દાયકાથી સમયસર ગ્રંથપાલોની ની નિમણુંક કરવામાં આવી નથી ત્યારે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનાં સ્નાતકો, અનુસ્નાતકો અને પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવતાં વિદ્યાથીઓએ રોજગારી માટે હવે અન્ય રાજ્યો તરફ પ્રયાણ કરવાની ફરજ પડી છે. શું આ જ છે ગુજરાત મોડલ?

અમે માત્ર રોજગારી જ નથી માંગતા પંરતુ ભારતનાં ભાવી વિદ્યાર્થીઓ નું જીવન જ્ઞાનવાન બનાવી અમારું યોગદાન આપવા ઇચ્છીએ અને શિક્ષણ નું સ્થર સુધારવામાં ગ્રંથપાલો નું પ્રતિનિધિત્વ હોય

મુખ્યમંત્રીએ બાયેધરી આપે શાળા, કોલેજમાં ગ્રંથપાલની વર્ષો થી ખાલી પડેલ જગ્યા ટુક સમયમાં ભરાશે

 

 

સહકારની અપેક્ષા સહ,

 

આપનો વિશ્વાસુ,

ગુજરાતના બેરોજગાર ગ્રંથપાલ

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *