WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરશે

 WBO – વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરશે

નીરવ જોશી, હિંમતનગર

(M-7838880134  & 9106814540)

 ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન -WBOની પ્રથમ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અનેક બ્રાહ્મણ સંગઠનો મોજુદ છે, પરંતુ અમુક ક્ષેત્રોમાં હજુ કામ નોંધનીય રીતે થયું નથી જેમ કે શિક્ષણ, આરોગ્ય, નેતાગીરી તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રના લગતા રોજગારના વિષયો…. આ બાબતમાં હજુ બ્રાહ્મણો પરેશાન અને દુઃખી થયા છે…આ ઉપરાંત અમુક બ્રાહ્મણ સંગઠનો નિષ્ક્રિય કે પછી ગુટબાજુનો નો શિકાર બન્યા છે. આ બધી બાબતોને વધારે ઉત્તમ રીતે કરવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન હવે મેદાનમાં આવ્યું છે!

જેમાં ગુજરાત હાઈકોર્ટે ના રીટા. ચીફ જસ્ટિસ શ્રી રવિકુમાર ત્રિપાઠી, પરશુરામ ફાઉન્ડેશનના શ્રી જગતભાઈ શુક્લ, GTPL ના ચેનલહેડ શ્રી દેવાંગભાઈ ભટ્ટ, પારૂલ યુનિવર્સિટીના રજીસ્ટાર શ્રી પાવન દ્વિવેદી, ડો. રાજેન્દ્રભાઇ વ્યાસ, જીતુભાઈ ઉપાધ્યાય વગેરે બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન ની આ મિટિંગમાં મુખ્ય એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દેશ તથા વિદેશમાં વસતા તમામ બ્રાહ્મણને એક કરવા, બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓ માટે સારામાં સારી એજ્યુકેશન વ્યવસ્થા ઉભી કરવી, ધંધા રોજગારી માટેની વ્યવસ્થા તૈયાર કરવી, આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા બ્રહ્મ પરિવારને બનતી મદદ કરવી, કર્મકાંડી બ્રાહ્મણ પરિવાર માટે સહાય યોજનાઓ લાગુ કરાવવી, યોગ્ય જીવનસાથી મળી રહે તેની વ્યવસ્થા કરવી આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

WBO ના ચેરમેનશ્રી હેમાંગભાઈ રાવલ દ્વારા આ મિટિંગમાં ફ્રી એજ્યુકેશન એપ જેમાં ધોરણ 1 થી 12 સુધીના મફત શિક્ષણ ફકત બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને મળે માટે લોન્ચ કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે રાષ્ટ્રીય તથા પ્રદેશ લેવલે હોદેદારોની પણ નિમણુંક કરવામાં આવી હતી, જેથી આગામી સમયમાં WBO દ્વારા જે ઉદ્દેશ્ય સાથે ચાલી રહ્યું છે તેમાં ઝડપથી બ્રહ્મ સમાજને લાભ પોહચાડી શકાય.

બ્રહ્મ અગ્રણીઓ દ્વારા WBO ના ઉદ્દેશ્યને ખૂબ જ મહત્વના ગણાવ્યા હતા અને આવનારી પેઢી એક નવી દિશા તરફ આગળ વધે તે પ્રમાણે ના ગણાવ્યા હતા. WBO શરૂ થયાની સાથે જ અમેરિકા, આફ્રિકા, દુબઈ, કેનેડામાં વસતા બ્રહ્મ સમાજને જોઈન કર્યા હતા અને વિદેશમાં પણ સમાજના લોકો એક બીજાના મદદે રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

 વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિમણુંક કરેલ પદાધિકારીઓ ની યાદી.

નિલેશભાઈ જોશી – રાષ્ટ્રીય અધ્યક્ષ.

ઉમેશભાઈ જોશી – રાષ્ટ્રીય મહામંત્રી.

નિરવભાઈ વ્યાસ- P. R.O.

ડોલીબેન દવે – ગુજરાત રાજ્ય મહિલા અધ્યક્ષ.

વિહાંગભાઈ ત્રિવેદી – ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ.

ગૌરાંગભાઈ રાવલ – ગુજરાત રાજ્ય મીડિયા ઈન્ચાર્જ

ડો. કોમલભાઈ યાજ્ઞિક – ગુજરાત રાજ્ય પ્રવક્તા.

સ્વાતિબેન જોશી – ગુજરાત રાજ્ય મહિલા મહામંત્રી.

કલ્પેશભાઈ જોશી – ગુજરાત રાજ્યમંત્રી.

અતુલભાઈ ઉપાધ્યાય – ગુજરાત રાજ્ય લીગલ સેલ પ્રમુખ.

સ્મિતાબેન રાવલ – સૌરાષ્ટ્ર ઝોન મહિલા ઉપાધ્યક્ષ

માલતીબેન સાતા – સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી.

બળવંતભાઈ ઉપાધ્યાય – વડોદરા જિલ્લા પ્રમુખ

ભાવિનભાઈ ભટ્ટ – મધ્યઝોન ઉપાધ્યક્ષ.

જાગૃતિબેન જોશી – રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ.

પ્રેમલભાઈ ત્રિવેદી – અમદાવાદ જિલ્લા પ્રમુખ.

ડો. રિધ્ધિબેન ત્રિવેદી – વડોદરા શહેર મહિલા પ્રમુખ.

સ્મિતાબેન જોશી – રાજકોટ શહેર મહિલા પ્રમુખ. સેજલબેન ઉપાધ્યાય – વડોદરા શહેર મહામંત્રી ચિરાગભાઈ પાંડે – વડોદરા શહેર યુવા પ્રમુખ. એશાબેન ભટ્ટ – ભાવનગર શહેર મહિલા ઉપાધ્યક્ષ. અંકિતભાઈ પંડ્યા – વડોદરા શહેર યુવા મહામંત્રી વિજયભાઈ જોશી – લખતર તાલુકા પ્રમુખ સત્યજીત રાવલ – ધંધુકા તાલુકા પ્રમુખ તેજસભાઈ મહેતા – ગાંધીનગર જવાબદારી. દક્ષેશભાઈ પંડ્યા – ગુજરાત રાજ્ય કારોબારી

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *