વસ્તુઓ જે આપણને ખરેખર આપણા ભૂતકાળ સાથે જોડેલી રાખે છે

 વસ્તુઓ જે આપણને ખરેખર આપણા ભૂતકાળ સાથે જોડેલી રાખે છે

અઝહર પટેલ, ધોળકા ( સ્વતંત્ર લેખક)

સંકલન : નીરવ જોશી , અમદાવાદ(M-7838880134)

(Wah… खूब सरस वस्तु याद देवडावी…

ભૂતકાળમાં જે પણ વસ્તુ રહેલી છે એને વર્તમાન સાથે સાંકળી અને આજના વર્તમાન યુગના ખાસ કરીને ટીનેજર્સ કે યુવાનોને જૂની વસ્તુઓનું પણ મહત્વ સમજાવી એનો પ્રસંગિક ઉપયોગીતા પણ જણાવીએ તો એમને પણ આ વસ્તુ દાયકાઓ સુધી યાદ રહેશે.)

FB group  post by Azhar Patel

એક યુગ હતો જયારે ઘરમાં મોટર દ્વારા કે નળ વાટે પાણી આવતું નોહતું ત્યારે દૂર દૂર કુવાઓ તળાવ કે પછી નદી કે નહેર થી પાણી પીવા માટે કે જાનવરો માટે કે બીજા વપરાશ માટે લાવવું પડતું હતું, માથે બે ત્રણ બેડલા કે મટકા મુકવા પડતા હતાં, વજન વધારે હોવાના કારણે પાણી છલકાય નહીં અને ઠોસ વાસણ ના કારણે માથાનો દુખાવો પણ વધવાની શિકાયત ને નાથવા માટે તે વખત ના માણસે ઈંઢોણી નામની એક નરમ ગોળાકાર વસ્તુ બનાવી હતી.

ઈંઢોણી ( ઊંધાણી ) સૂકા ડાભડા નામની વનસ્પતિમાંથી તૈયાર થતી, ઈંધોણીને જયારે માથા ઉપર મુકવામાં આવતી તો તે બેલેન્સ બનાવી રાખવાનું કામ કરતી હતી. સાથે સાથે માથામાં વાળ જળવાઈ રહે તેવું રક્ષણ આપતી.

નવી વહુ જયારે સાસરે જાય તો પીયર તરફથી નવા બેડલા સાથે નવી ભરત ભરેલી સુંદર ઈંઢોણી પણ આપવામાં આવતી હતી, ઈંઢોણી નવી વહુની ઓળખાણ પણ કરાવતી.

આજના ઝડપી સમયમાં આ ઈંઢોણી વેચાતી દેખાતી કે વપરાતી લગભગ બંધ થઈ ગઈ છે, આજે એક ભંગારના થેલામાંથી મળી આવી તો એક નાનકડી બાળકીએ કાલી ઘેલી ભાષામાં પૂછ્યું કાકા આને શું કહેવાય? હું પણ આનું નામ ભૂલી ગયો હતો થોડું વિચાર્યા પછી તરત યાદ આવ્યું કે આતો ઈંઢોણી!!! અમારા ગામની ભાષામા કહું તો ઊંધાણી!!!

ઈંઢોણી શબ્દ ઘણાં ગુજરાતી લોકગીતમા વપરાયો છે

જેમાં “સોનાનો ગરબો માડી રૂપલા ઈંઢોણી ”
“સોના ઇંઢોણા રૂપા બેડલું ” વગેરે વગેરે…..

અઝહર પટેલ ✍️

 


આર્કીટેક પક્ષી એટલે સુગરી

કુદરતે અબોલ પક્ષીને પોતાની કુદરત વડે ગજબની આર્કીટેક ડિગ્રી આપેલ છે

જેમાં સુગરી, બુલબુલ, કલકલીયો અને લક્કડ ખોદ નું સારા આર્કીટેક પક્ષીમાં નામ આવે

સુગરી પક્ષી દરેક જગ્યાએ માળો નથી બનાવતું તે અમુક ચોક્કસ જગ્યાઓ પસંદ કરે છે જે તેના માટે અનુકૂળ હોય જેવી કે પાણીના સ્ત્રોત વાળી જગ્યા અવાવરા બંધ પડેલ કુવા કે પછી એવુ વૃક્ષ કે જેની શાખ પાતળી પણ મજબૂત હોય.

એક સંશોધન જાણીને હસવું આવશે કે માદા સુગરી માળો ક્યારેય નથી ગુંથતી પણ નર સુગરી માળો બનાવે છે, જયારે નર સુગરી અડધો માળો બનાવી નાંખે છે ત્યારે માદા સુગરી એટલેકે નરની પ્રેમિકા તેના ઘરને જોવા આવે છે અને જો તેનો માળો પસંદ આવે તો અંદર આંટો મારીને ઈશારો બતાવે છે કે તેને આ ઘર પસંદ છે.

જો માદાને માળો પસંદ ના આવે તો નર તે માળો અધૂરો છોડી દે છે અને બીજી કોઈ જગાએ પસંદગી ઉતારી નવું કામકાજ ચાલું કરે છે, કદાચ સુગરી ને પણ મારું ગામ નહીં પણ બાજુનું ગામ માફક આવ્યું હશે એટલેજ તેમણે ત્યાં સમૂહ મા પડાવ નાખ્યો લાગે છે 😃.

સુગરીનો આ ગુંથણ વાળો માળો બહાર થી ચંબુ આકારનો અને અંદરથી 2HK નો હોય છે. ખુબજ બારીકાઇ થી ભરેલો આ માળો વરસાદ, વાવાઝોડા અને ઠંડી કે પછી ગરમીથી રક્ષણ આપનાર હોય છે. માદા અને નર માળામાં પ્રેમથી સમય વિતાવી બચ્ચાને જન્મ આપે છે, બચ્ચા મોટા થયાં બાદ સહ પરીવાર આ માળો છોડી દે છે. અને પોતાને મળેલી ઈશ્વરીય સોગાદ દુનિયા ને જોવા માટે મૂકી દે છે અને દુનિયાને કુદરતની તાકાત બતાવે છે.

સુગરીને સંસ્કૃતમાં સુગૃહિ એટલેકે (સુંદર ઘર બનાવનાર ) કહે છે તો ઈંગીલશમાં બયા અને વીવાર બર્ડ પણ કહે છે, સુગરી પોતાનો માળો બનાવવાનું ચોમાસાની શરૂઆતમાં કરે છે. આ રીતનો માળો બનાવવું તેનો હેતુ માત્ર શૂરક્ષા હોય છે.

સુગરી પોતાના માળા માટે શેરડીની સુખી છાલ કે પત્તા, ખજૂરીના સુખા પત્તા કે પછી લાંબુ સુકુ ઘાસ પસંદ કરે છે. ઘણાં પ્રકૃતિ પ્રેમીઓ સુગરીના માળાને પોતાના ઘરની શોભા વધારવા લઇ આવતા હોય છે…

આ ફોટો મને મારાં એક મુસ્તફા સોલંકી નામના મિત્રએ મોકલ્યો જ્યાં એક મસ્જીદ પાસે ઉભેલી ખજૂરી ઉપર સમૂહમાં માળા બનેલ હતાં….

ગામ વીરડી / સાબરમતીના કાંઠે આવેલ ગામ

તાલુકો ધોળકા
જીલ્લો અમદાવાદ

✍️અઝહર પટેલ

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *