મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

 મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)

હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ખેડૂત સંમેલનમાં મંત્રીની ઉપસ્થિતિમાં સૂચન પેટીમાં ખેડૂતોએ સૂચનો રજૂ કર્યા હતા.

આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનવાની જ છે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી મંત્રીશ્રીએ સરકાર કિસાનો માટે શું કરી શકાય તે માટેના સૂચનો સૂચન પેટી દ્વારા મેળવ્યા હતા. જેમાં કિસાનોએ તેમના સૂચનો પેટીમાં રજૂ કર્યા હતા. કિસાન સંમેલનમાં સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી .ઝાલા, પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા પરમાર, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ સહિત પાર્ટીના અગ્રણીઓ હોદેદારશ્રીઓ કાર્યકર્તાઓ અને કિસાન આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *