શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન

 શ્રાવણી અમાવસ્યાએ મહેતાપુરાના જરણેશ્વર ખાતે શિવકથાનું ભવ્ય સમાપન

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

આજે હિંમતનગરના મહેતાપુરા સ્થિત જરણેશ્વર મહાદેવ ખાતે શ્રાવણી અમાવસ્યના રોજ સાત દિવસીય શિવકથાનું ભવ્ય રીતે સમાપન થયું. કપડવંજ થી આવેલા ઋષિ કુમાર – કથાકાર તરીકે સૌને મહાદેવની 138મી શિવકથાનું રસપાન કરાવ્યું.

ઉલ્લેખનીય છે કે ઋષિ કુમાર આ પહેલા અધિક માસમાં મહેતા પુરાના રામજી મંદિર ખાતે આવેલા રામદ્વારા હોલમાં રામકથાનું પણ નવ દિવસ આયોજન કર્યું હતું. જેમાં તેમણે રામકથાનું રસપાન મહેતાપુરાના ભાવિક ભક્તોને કરાવ્યું હતું.

 

એ અધિક માસના રામકથાના સમાપન સમયે જ મહેતા પુરાના શિવભક્ત જશકુવરબા શેતાન સિંહ ભાટીએ શ્રાવણ માસમાં તારીખ 8 થી 14 સપ્ટેમ્બર રોજ મહેતા પુરાના સુપ્રસિદ્ધ જરણેશ્વર મહાદેવ ખાતે શિવકથા ના આયોજનની જાહેરાત કરાવી હતી, જે મુજબ આજરોજ સાત દિવસીય શિવકથાની ભવ્ય રીતે સમાપ્તિ થઈ હતી અને અનેક ભક્તોએ શિવકથાનું રસપાન કર્યું હતું.

મંદિરના મહંત લક્ષ્મણગીરીબાપુ તેમજ કેટલાક ટ્રસ્ટીઓ અને શિવ ભક્તોએ શિવ કથાનો શ્રાવણ માસમાં દિવ્ય સત્સંગ કર્યો હતો અને આજે સમાપનના દિવસે આવતા શ્રાવણ માસમાં ઓમીબેન શાખલા વડે શિવ કથા આયોજિત કરવામાં આવશે તેની જાહેરાત પણ કરાઈ હતી.

હર હર મહાદેવ!😀💐🌹🙏🏻

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *