કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

 કોનોકાર્પસ ઇરૅક્ટસ વૃક્ષ ગુજરાતમાં કેટલું નુકસાનકારક સાબિત થશે?

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

Source – Internet

સમગ્ર ગુજરાતમાં અને અલગ અલગ જિલ્લાઓમાં કોનો‌કાર્પસ નામનું વૃક્ષ જે ખરેખર શું ફાયદો કરાવે છે એના વિશે કોઈ જાણતું નથી!  કોનો‌કાર્પસ મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને અલગ અલગ નગરપાલિકાઓ વડે વાવવામાં આવી છે. એટલું જ નહીં આ કોનો‌કાર્પસ વૃક્ષ પછી આપણા પરંપરાગત વૃક્ષોની વિરુદ્ધમાં કોઈપણ રીતે મોટો ફાયદો કરાવે તેવું નથી!

 

તો પણ હિંમતનગર જેવા નાના ટાઉનની નગરપાલિકામાં પૈસા કમાવાની અને સરકારી ગ્રાન્ટનો બેફામ દુરુપયોગ  કરવા માટે જે તે નગરપાલિકાના ભ્રષ્ટ બગીચા કર્મચારીઓ અને અધિકારીઓએ આ વૃક્ષોને સુશોભન અને બિનનુકસાનકારક વૃક્ષ ના નામે public garden and roads જગ્યાએ વાવવામાં આવ્યા છે !

પરિણામે અનેક પ્રકારનો વિરોધ હવે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો છે! એટલું જ નહીં આ વૃક્ષની કેટલી નુકસાનકારક સાઇડ્સ છે અથવા તો એની બાજુઓ છે – એના વિશે હવે ગંભીર ચર્ચાઓ થવા માંડી છે!!!

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તો જેને પણ conocarpus ઉખાડી અને આપણા પરંપરાગત વૃક્ષો વાવવા હોય… તેવા પર્યાવરણ પ્રેમી અને દૂરદેશી દષ્ટિ ધરાવનારા લોકોએ જરૂરથી સત્વરે નિર્ણય લેવો જોઈએ…જેથી કરીને આપણા પર્યાવરણ અને આપણા નગરોમાં કોનુંકાર્પસ વૃક્ષથી થતું ભારે નુકસાન અટકાવી શકાય.

*** સત્ય હકીકત જાણવા માટેની પોસ્ટ ***

#સાવધાન: કોનો‌કાર્પસ

( નવી આયાતી વૃક્ષની જાત તમારા ઘર, ખેતરમાં વાવતા પહેલા ચેતજો
1. આરબ જેવા રણના સૂકા દેશોમાં પણ તે વાવવું પ્રતિબંધિત છે.

2. હાલના સમયમાં આ વૃક્ષનું ઘણા બધા જગ્યાએ ફેલાવો થઈ રહ્યો છે, જેમાં આ ઝડપથી વધે છે એવી માન્યતા છે.

3. પાણી તળ માંથી શોષી લે છે.
4. ખુબજ વધવા ને લીધે આજુ બાજુના વૃક્ષોનો વિકાસ અવરોધે છે
5. વર્ષમાં બે વખત તેના પરાગ નયન કે ફૂલ આવવા ને કારણે શ્વાસ, અસ્થમાની બીમારી થઇ શકે. બાળકોને એલર્જી થઈ શકે.
6. ગાંડા બાવળની જેમ જમીન બિનઉપજાવ કરી નાખે છે.
(FB માંથી પોસ્ટ કોપી_પેસ્ટ)

Source :  FB Environment group. 

મિસ્ટર કોનોકાર્પસ ઇરૅક્ટસ【ભાગ-૧】 ઉલ્લેખની થી ગલ્ફના દેશોમાં આ વૃક્ષ મોટાપાએ વાવવામાં આવ્યું છે પણ ત્યાં પણ હવે આ વૃક્ષના સાઈડ ઇફેક્ટ લોકોને જાણમાં આવ્યા છે .

દક્ષિણ અમેરિકા અને આફ્રિકાનાં અમુક પ્રદેશનાં વતની એવા આ વૃક્ષની બોલબાલા વિશ્વભરમાં ઘણી ચાલી છે. ભારતમાં પણ આનું ચલણ ચાલ્યું છે. “દેશી વૃક્ષની માવજત બહુ”, “પાણી બહુ જોઈએ”, “ધ્યાન ખાસ્સું રાખવું પડે”, વગેરે કારણો આપતી આપણી “મહેનતુ” પ્રજાએ આજે આ વૃક્ષની લડી લગાવી દીધી છે! એટલે જ મિસ્ટરની પદવી આપી છે, વિદેશથી આવે એટલે વટ તો પડે ને પાછો! વિદેશી તો સારું અને દેશી તો ચાલ્યા કરે… આ “સ્વતંત્ર” માનસ ધરાવતો “સ્વતંત્ર” દેશ આજે વિનાશ પામતાં વનક્ષેત્રથી કેમ પીડાય છે?
આમ તો ઘણા કારણ છે, પણ એક કારણ છે, પોતાનું હડસેલી, જે “ટ્રેન્ડિંગ” છે તે પકડ્યું. એક જમાનામાં ગાંડો બાવળ, લેંટીના અને નીલગીરી પકડી હતી. આજે પામ ઓઇલનાં નામે અને માત્ર દેખાવનાં નામે વિલાયતી પામ અને કોનોકાર્પસ પકડ્યાં છે. હજી અધધ વનસ્પતિઓ છે, પણ બધી ગણાવતો નથી.

કિવિ, કમલમ્(ડ્રેગન-ફ્રૂટ), બ્લુબેરી, એવકાડો, બ્રોકલી,…અરે અરે! પણ ભારતમાં લુપ્ત થતી ભાજીઓ અને ફળ, ફૂલનું શું? એ બધું તો હાલ્યા કરે, ટ્રેન્ડિંગ નથીને એટલે કોઈ ભાવ ન આપે, વિદેશી પ્રમાણપત્ર આપો તો ખાઈશું પાછા!

વાત કોઈ શાક-ભાજી, ફળ, ફૂલનાં વિરોધની નથી, પણ દેશી વનસ્પતિઓ નામશેષ થવા આવે ત્યાં સુધી તેને પડતી જ મૂકવી આ જરા લોચાસ્પદ નથી લાગતું?

આજે મિસ્ટર કોનોકાર્પસની કથા કરવાનું વચન આપ્યું એટલે પહેલાં એ સાહેબની મહેમાનગતિ કરીએ, ભવિષ્યમાં જરૂર પડી તો અન્ય વનસ્પતિઓની ચર્ચા કરીશું.

એક વર્ષ પહેલાં જ આ લેખ લખવાની મનશા હતી પરંતુ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી માંડી વાળ્યું હતું. હવે જો લોકોએ આ વૃક્ષને સ્વીકારી જ લીધું છે તો પછી ભવિષ્યમાં જે પરિણામો ભોગવવાનાં છે તેની ઉપર થોડી નજર નાખીએ. અગમચેતી રાખવી એ મનુષ્યસહજ સ્વભાવ છે.

માણસનો એક મસ્ત ગુણ છે કે, એ બીજા લોકોનાં અનુભવ ઉપરથી પણ શીખી શકે છે, લોકોની ભૂલ જોઈ પોતે એ ભૂલ કરતા રોકાઈ જાય છે, પણ એક લોચો એ પણ છે કે, અહન્કારને કારણે એ આ વૃત્તિને ભૂલી જાય છે. બીજાની ભૂલો જોઈને પણ, “હું તો આમ જ રહીશ”, એમ કહીને વારંવાર ભૂલો કરે છે. એમાં પછી જોકે પટકાય જ છે.

આજે જે કોઈ દેશનાં લોકો કોનોકાર્પસ લાવ્યાં અને પછી પસ્તાયા એનાં ઉદાહરણ જોઈશું. શું આપણે આનાં ઉપરથી કંઈ શીખીશું? હવે એ તમારી ઉપર છોડી દઉં છું.

આ પોસ્ટમાં અમુક લોકોની ભ્રામક માન્યતાઓ અને દેશ-વિદેશનાં વનસ્પતિવિદનાં સૂચનો તથા મંતવ્યો સમાવેશીત છે. દરેક વનસ્પતિવિદનાં કથન સાથે તેના શોધપત્રોનાં સંદર્ભની લિંક પણ આપવામાં આવશે, જેથી વાચક તાળો મેળવી શકે અને પ્રમાણ પણ ઊભું થાય કે આ કોઈ ઉપજાવી કાઢેલી વાતો નહીં, પરન્તુ વિવિધ વિશેષજ્ઞોનાં પરીક્ષણથી મેળવેલો નિષ્કર્ષ જ છે.
◆ પહેલાં જરા કેટલાક દાવાઓ અને અફવાઓનાં ઉત્તર આપી દઈએ.
🗣️ દાવો ૧ : અરે! કોઈ પક્ષી નથી બેસતું, કોઈ જીવ સુદ્ધાં આ વૃક્ષ પર ફરકતું જ નથી!
ઉત્તર : અર્ધસત્ય; વન-વગડો ગ્રુપનાં સર્ચમાં જઈ ‘કોનોકાર્પસ’ શબ્દ લખશો, એટલે આ વૃક્ષ ઉપર બેસેલાં જૂજ માત્રામાં જીવો જ નહિ, પરંતુ પક્ષીઓનાં માળા બનેલા છે, તેવી ઘણી પોસ્ટ મળી આવશે.

બીજો પક્ષ પણ જોઈએ, કરાંચીમાં સંશોધન હેતુ થોડા કોનોકાર્પસ ઉગાડ્યાં અને જાણવા મળ્યું કે, ગણી-ગાંઠી પ્રજાતિનાં પક્ષીઓ અને મધમાખીઓ સિવાય આ વૃક્ષની આસપાસ કોઈ જૈવ-વિવિધતા નથી જોવા મળતી. એની સામે જ આપણા દેશી વૃક્ષો અસંખ્ય જીવોને વિસામો આપે છે.
સંદર્ભ:~ https://techooid.com/myths-facts-conocarpus-plantation-pakistan

🗣️ દાવો ૨: અરે, ૨૪ કલાક કાર્બન કાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, અથવા, ઓક્સિજન કરતા વધુ કાર્બન ડાયોક્સાઇડનું વધુ ઉત્સર્જન કરે છે.
ઉત્તર: કોઈ પણ વનસ્પતિનાં પાંદડાનો લીલો રંગ જ સૂચક છે કે આ વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજનનું જ ઉત્સર્જન કરે છે.

દક્ષિણ અમેરિકા અને આફ્રિકાનાં અમુક પ્રદેશોનાં મૂળનું આ વૃક્ષ ત્યાંની આબોહવા એકદમ શુદ્ધ કરે છે તેમ શોધપત્રો કહે છે.
તો શું બીજા દેશોની આબોહવા શુદ્ધ નહીં કરતું હોય? કરતું જ હોય, પણ એક વિચારવા જેવી બાબત છે જે આપણે ભાગ-૨માં જોઇશું.

🗣️ દાવો ૩: પક્ષીઓ આનાં ફળ ખાતાં નથી.
ઉત્તર: આની ઉપર કોઈ શોધપત્ર મળતું નથી, પણ સામાન્ય અવલોકનથી એવું જાણવા મળ્યું છે. University of virgin island(યુનિવર્સીટી ઓફ વર્જિન આઇલેન્ડ) નાં એક દસ્તાવેજમાં આ વૃક્ષનાં ફળને અખાદ્ય કહ્યાં છે. ઉપર આપેલ કરાંચીનાં લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, આનાં ફળ પક્ષીઓ ખાતાં નથી.

યુનિવર્સીટી ઓફ વર્જિન આઇલેન્ડનો સંદર્ભ:~ https://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=&cad=rja&uact=8&ved=2ahUKEwic18rsjeqAAxUCb2wGHQRkCNMQFnoECC0QAQ&url=https%3A%2F%2Fuvi.edu%2Ffiles%2Fdocuments%2FResearch_and_Public_Service%2FCMES%2FVIMAS%2FThe%2520Buttonwood%2520mangrove.pdf&usg=AOvVaw3942WVYQD4urx8Z-6RXtL-&opi=89978449

🗣️ દાવો ૪: આનાં મૂળ જમીનમાંથી બધું જ પાણી ચૂસી લે છે.
કરાંચીનાં લેખમાં જ જણાવ્યા મુજબ, પર્યાવરણ વિભાગનાં વૈજ્ઞાનિક ડૉ. રઝા અહમદને પૂછતા જાણવા મળ્યું કે, “જે છોડ ઝડપથી વધે તેને વધુ પોષણ જોઈએ અને, છેવટે તેની આપૂર્તિ માટે તે વધુ માત્રામાં ભૂજળ શોષવાનું જ”. આથી એવું કહી શકાય કે જો વધુ પ્રમાણમાં આ વૃક્ષો વાવવામાં આવે તો ભૂજળ ઉપર સંકટ ખરું જ.

🗣️દાવો ૫: આ વૃક્ષ આસપાસ કોઈ બીજાં વૃક્ષોનો વિકાસ થવાં દેતું નથી.
ઉત્તર: આની ઉપર પણ કોઈ શોધ થઈ નથી પરંતુ,૨૦૨૨માં દિવ્યભાસ્કરનો એક લેખ આવ્યો હતો કે માનકુવામાં નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતે, નાળિયેરીનાં વૃક્ષોની વચ્ચે કોનોકાર્પસ રોપ્યાં હતાં. થોડા સમયમાં જ નાળિયેરનાં ફળ અલ્પવિકસિત આવવાં માંડ્યાં. ત્યારપછી તેણે કોનોકાર્પ્સનાં બધાં જ વૃક્ષો કઢાવ્યા હતાં. આ ઉપરથી છાપાનું કટિંગ નીચે ચિત્રોમાં મૂક્યું છે.

🗣️ દાવો ૬: આનાં મૂળ જમીનમાં રહેલી પાઇપોને નુકસાન કરે છે.
🗣️ દાવો ૭: આનાથી શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ થાય છે.
આ છેલ્લા બે દાવાઓમાં પણ સત્ય છુપાયેલું છે જેનાં વિશે જ અહીં વિશેષ ચર્ચા કરવાની છે.
આ ચર્ચા કરવા આપણે વિવિધ દેશોમાં (લેખનાં માધ્યમથી) જઈને જોઈશું કે ત્યાંનાં અનુભવો શું છે.

★પહેલાં કુવૈતની સેર કરીએ.★
કુવૈતનાં એક શોધપત્રની વાત કરીએ. આ શોધપત્રમાં કોનોકાર્પસનાં ફાયદા અને ગેરફાયદા બન્ને ગણાવ્યા છે, અને પછી છેલ્લે વિવેકબુદ્ધિ અને શોધનાં નિષ્કર્ષથી શું નિર્ણય લેવામાં આવ્યો છે એ પણ જોઇશું.

◆ ફાયદા :~
કૉસ્મેટિક ચીજ-વસ્તુઓ બનાવવા આ વૃક્ષોની ખેતી કરવાથી લાભ મળે.
જીવંત વાડ અને પવન-અવરોધક તરીકે ઉપયોગી.
કાપ-કૂપ કરી મનગમતો આકાર અપાય.
કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નીચું લાવે છે, પુષ્કળ છાંયડો આપે છે અને ધ્વનિ શોષક પણ ખરું.
પશુનાં ચારા તરીકે પાંદડા ઉપયોગી અને થડનો કોલસો બને.
વધુ તાપમાનમાં પણ અડીખમ ઊભું રહે.
તેમાંથી કાઢેલું કૅમિકલ દવાઓ બનાવવામાં કામ લાગે છે.
પાણીની પાઇપોમાં જો છિદ્રો અને તિરાડો હોય તો જ આ વૃક્ષનાં મૂળ તેને નુકસાન કરે છે. જો સરખી રીતે ઉગાડવામાં આવે તો નુકસાન નથી કરતું.

◆ ગેરફાયદા :~
સૅનૅટરી ઈજનેર વિભાગનાં પ્રમુખ મહંમદ કરમ, જાહેર માર્ગો ઉપર વાવવામાં આવેલ કોનોકાર્પસનાં વૃક્ષોને લઈને ચેતવી આપે છે કે,
પાઇપોમાં છિદ્રો કે તિરાડો છે કે નહીં એ કળવું મુશ્કેલ છે. તેથી જો પોઇપોને નુકશાન થાય તો, પાણી/ગટરની વ્યવસ્થા ખોરવાઈ જાય અને સંપૂર્ણ આંતરમાળખા(ઈન્ફ્રાસ્ટ્રક્ચર)ને નુકસાન થાય.
કોનોકાર્પસનાં અતિ વિસ્તૃત મૂળની રચના, જમીનમાં રહેલા ભેજ મારફતે, પાઇપોમાં રહેલ પાણીને શોધવામાં મહેર છે, પછી તે પાઇપો તોડી, પાણી માંથી પોષણ મેળવે છે.

★હવે ઇરાકની સ્થિતિ જોઈએ★
◆ ગેરફાયદા(ધ્યાન આપવા જેવા) :~
ઇરાકનાં કૃષિ ઈજનેર અબ્દુલ-હમીદ મહેંદી એ અલ-બસરમાં કુવૈતનાં માધ્યમથી જ આ વૃક્ષને દાખલ કરાવ્યું. તેમણે જણાવ્યું કે,
આ વૃક્ષનાં પાન ઉપર એક પ્રકારની ચુસીયા જીવાત થાય છે, તેના મારફતે વૃક્ષમાં એક ખાસ પ્રકારનાં સૂક્ષ્મ જીવાણુ(બેક્ટેરિયા) પ્રવેશે છે.
આ જીવાણુ અને ધૂળનું મિશ્રણ, મૂળનાં મારફતે પાણીની પાઇપોમાં પ્રવેશી લોકોનાં રહેઠાણ સુધી જાય છે. પરિણામે આનાંથી ચામડીનાં ઘણા રોગ થાય છે. જેમની ત્વચા કુમળી હોય તે લોકોને ખાસ કરીને વારંવાર આ રોગ(ઍલર્જી) થતા જોવા મળ્યા છે. તેથી ઇરાક માટે આ વૃક્ષ બરાબર નથી તેમ નિષ્કર્ષ કાઢ્યો.
ઇરાકનાં મિસાન નામક ગામમાં કોનોકાર્પસનાં મૂળ પાઇપને કેટલું નુકસાન કરે છે તેની ઉપર સંશોધન પણ થયું છે. શોધપાત્રોમાં આપેલ ચિત્રો અહીં રજૂ કરુ છું.
સંદર્ભ:~ https://www.globe.gov/documents/10157/e0e0c763-4e3d-4b41-8b1a-f7a3659225ec
ચિત્રોનો સંદર્ભ:~ https://www.researchgate.net/publication/343324115_EFFECT_OF_CONOCARPUS_ERECTUS_ON_THE_INFRASTRUCTURE_OF_MISAN_PROVINCE_IRAQ

★બહેરીન દેશ★
બહેરીનનાં સુપ્રીમ કાઉન્સિલ ફોર એનવાયરમેન્ટ ૨૦૧૫નાં રિપોર્ટ અંતર્ગત, છેક ૧૯૯૦નાં દશકામાં કોનોકાર્પસનાં મૂળિયાં પાણી અને ગટરની પાઈઓને નુકસાન કરે છે તે નોંધવામાં આવ્યું. તેઓએ પણ આ પ્રજાતિને આક્રમક(invasive) કહી છે.
સંદર્ભ:~https://www.google.com/url?sa=t&rct=j&q=&esrc=s&source=web&cd=&cad=rja&uact=8&ved=2ahUKEwiI04epjuqAAxXeVmwGHRLKBIQQFnoECA0QAw&url=https%3A%2F%2Fwww.cbd.int%2Finvasive%2Fdoc%2Fmeetings%2Fisaem-2015-01%2FIAS%2520MANAGEMENT%2520AND%2520CONTROL%2520MEASURES%2Fiasem-bahrain-iasmanagement-01-en.pdf&usg=AOvVaw1g_bmuJoae3JNOEGcEPkqn&opi=89978449

◆ શું પગલાં લેવાયાં? :~
કુવૈતનાં સૅનૅટરી મિનિસ્ટ્રી ઓફ પબ્લિક વર્ક્સનાં પ્રમુખ ઈજનેર દ્વારા આંતરમાળખાકીય(infrastructural) નુકસાન પ્રતિ ધ્યાન દોરવામાં આવ્યું.
રહેઠાણ, સરકારી મકાનનો અને ઔદ્યોગિક સ્થાનોમાં આ વૃક્ષ વાવવું કે નહીં તે પ્રશ્નો ઊભા થયા. કોનોકાર્પસને આ સ્થાનો ઉપરથી હટાવી બીજાં વૃક્ષો લગાવવાની ભલામણ થઈ.
કૃષિ અને મત્સ્યપાલન સમિતિ દ્વારા થતા પર્યાવરણ સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો કે, કુવૈતની જનતાની વારંવાર આવતી ફરિયાદો અને કોનોકાર્પસનાં વાવેતરનાં અણધાર્યા પરિણામોનાં ભયનાં કારણે, આ વૃક્ષનાં અભ્યાસ માટે એક સમિતિનું આયોજન કરવામાં આવશે.

આ સાથે જ આંતરમાળખાકીય વ્યવસ્થાઓ, પાણી અને ગટરની વ્યવસ્થા, રહેઠાણો, ફળાઉ વૃક્ષો પાસે ઉગાડેલાં કોનોકાર્પસને હટાવી, બીજાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી સંપૂર્ણ આબોહવા ઉપર સારી અસર પડે.
( એક નોંધ અહીં લેશો કે, ફળાઉ વૃક્ષો પાસેથી પણ કોનોકાર્પસ હટાવવાની વાત કરી છે, જે ઉપર દાવા નંબર ૫માં જોઈ ગયાં. )
શોધપત્રનાં અનુસાર એમ કહેવામાં આવ્યું કે, “અમારાં દ્રષ્ટિકોણથી અમે કોનોકાર્પસનાં વાવેતરની વિરુદ્ધમાં છીએ, કારણકે, તેની અવેજીમાં બીજા ઘણા વિકલ્પો છે જે કોનોકાર્પસ કરતાં વધુ ઉપયોગી અને ઓછાં નુકસાનકારક છે.”
સંદર્ભ:~ https://www.globe.gov/documents/10157/e0e0c763-4e3d-4b41-8b1a-f7a3659225ec

 

◆ ઉપસંહાર :~
ભાગ-૧માં માત્ર ચામડીનાં રોગો અને આંતરમાળખાકીય નુકસાનો(દાવો-૬) ઉપર જ વાત કરી છે. ભાગ-૨માં આ વૃક્ષ અસ્થમા માટે કેટલું જવાબદાર છે તેની ઉપરનાં શોધપત્રો જોઇશું(દાવો-૭).
કોઈ પણ પ્રદેશને પ્રકૃતિએ, એક ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ અને જીવ આપેલા છે. આ વાત માણસે સમજવી જ રહી. કોઈ પણ એટલે…કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ થતા એનું ફળ આપણે ચૂકવવું જ પડશે આ નક્કી છે.
ભાગ-૧માં રજૂ થયેલ તથ્યોને ધ્યાનમાં રાખતાં આપણે પોતે જ કેટલાં સજગ રહીએ છીએ તેની ઉપર વિચાર કરવાનો છે.
વન-વગડાનો જ આ એક વિસ્તૃત લેખ, દેશી વૃક્ષોનાં મહત્વ ઉપર અને ગાંડા બાવળ, કોનોકાર્પસ, લેન્ટીના જેવી વનસ્પતિની વિનાશકારક અસરો ઉપર વિચાર કરવા આપણને બાધ્ય કરે છે.

https://www.facebook.com/groups/vanvagado/permalink/4684278884957840/

અસ્તુ
ૐ તત્ સત્

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *