Umeed Niketan:એરફોર્સ ફેમિલી વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ દ્વારા ઉમીદ નિકેતનનું ઉદઘાટન
હિંમતનગરમાં પંચદેવ મંદિરનો 40મો પાટોત્સવ ઉજવાયો
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814640
હિંમતનગરમાં મહાવીર ચાર રસ્તા વિસ્તારમાં પંચદેવ મંદિર આવેલું છે જેની સ્થાપનાને આજે 40 વર્ષ પૂર્ણ થયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 40 માં પાટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.
40 મુ પાટોત્સવ હોવાના પરિણામે આ વખતે મંદિરના ટ્રસ્ટી મંડળે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું..
ત્રણ દિવસ ચાલનારા પાટોત્સવના મહોત્સવમાં આર્યુવેદિક મેડિકલ કેમ્પ તેમજ ભગવાનના લગ્ન ગીતો અને ફટાણા નો સ્પર્ધા કાર્યક્રમ પણ બીજા દિવસે રાખવામાં આવ્યો હતો.
જ્યારે ત્રીજા દિવસે માં આંબાની શોભા યાત્રા સમગ્ર મહાવીર નગર વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને પાંચ કુંડી હવન કરી સાંજે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મંદિરના મંત્રી દિનેશભાઈ સોનીએ માહિતી આપી હતી.