ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો
વિકસિત ભારત સંકલ્પ રથનું જામળા ખાતે સ્વાગત, MLA વી ડી ઝાલાએ રામદેવપીર પાટોત્સવમાં હાજરી આપી

નીરવ જોશી , હિંમતનગર(M-7838880134)
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેળ સ્વાગત કરવામાં આવ્યું
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને કીટ અને પ્રમાણપત્રો નું વિતરણ કરવામાં આવ્યું, આ પ્રસંગે માન.ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ, તાલુકા કરોબારી અધ્યક્ષશ્રી દિલીપસિંહ મકવાણા, સંગઠન મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ પઢીયાર, માર્કેટયાર્ડ ના ચેરમેનશ્રી જેઠાભાઇ પટેલ, તાલુકા સદસ્યશ્રી મધુબેન, તાલુકા સદસ્યશ્રી જીતેન્દ્રસિંહ ઝાલા, ટી.ડી.ઓશ્રી, મૂળસિંહ ઝાલા, નવલસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ, કાંતિજી તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સંગઠનાના હોદેદારશ્રીઓ, સરપંચશ્રી, તમેજ ખુબ મોટી સાંખ્યામાં લાભાર્થીઓ તમેજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નાં “આત્મનિર્ભર” ભારતનાં સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું.
આજ રોજ હિંમતનગર તાલુકાના નિકોડા ખાતે બીજ ના શુભ દિવસે શ્રી રામદેવપીર મહારાજના પાટોત્સવમાં હિંમતનગર વિધાનસભાના માન.ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબે તેમજ પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાહેબે હાજરી આપી દર્શન કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે ખુબ મોટી સંખ્યમાં ગ્રામજનો અને ભક્તજનો હાજર રહ્યા