કામધેનુ યુનિવર્સિટીના ૧૭માં સ્થાપના દિને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે

નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)
સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી
સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડ મણિનગર ખાતે પંચ દિવસીય સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26 મે થી થવા જઈ રહ્યો છે.
સંસ્કૃત ભાષા શીખવા માટે આ એક સરસ અવસર છે . કાર્યક્રમની માહિતી આપતા સંસ્કૃત ભારતીના કર્ણાવતી મહાનગરના પ્રચાર પ્રમુખ સુકુમાર ત્રિવેદીએ જણાવ્યું કે સંસ્કૃત ભાષા બોધન વર્ગનો સમય સવારે 08:45 થી સાંજે 5-30 સુધી નો નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા માટે દશદિવસીય નિ:શુલ્કશિબિરો, ભાષા શુદ્ધિ માટે ભાષા બોધન વર્ગો, ભગવદ્ ગીતા કેન્દ્રો,બાલકેન્દ્રો, પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણ આદિ માધ્યમો વળે ભારતમાં અને વિશ્વમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવામાં આવે છે.સંસ્કૃત ભાષા શીખવા માટે અને વર્ગમાં જોડાવા માટે આ વિદ્વજ્જનોનો સંપર્ક કરવો.. સંસ્કૃત ભારતી ના મહાનગર કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી રામ કિશોર ત્રિપાઠી
8320 524510, ,
કર્ણાવતી વિભાગ સંયોજક શ્રી રાજેન્દ્ર મહેતા 9638863660
સંસ્કૃત ભારતીના વિભાગ સહસંયોજક શ્રી નિલેશ ધનાણી 9825778830
सुकुमार त्रिवेदी
प्रचार प्रमुख
संस्कृतभारती कर्णावती महानगर
दूरभाष – 9429613622