હિંમતનગરમાં આવેલા અયપ્પા સ્વામી મંદિરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી

 હિંમતનગરમાં આવેલા અયપ્પા સ્વામી મંદિરમાં મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સાબરકાંઠા ઐયપ્પા સેવા સંઘનું મંદિર એટલે કે સ્વામી ઐય્યપ્પાનું મંદિર છેલ્લા 28 વર્ષોથી નિર્માણ પામ્યું છે. આ મંદિરમાં સ્વામી અયપ્પાની પૂજા ભક્તિ – કેરાલા શબરીમાલા અયપ્પા મંદિરની પરંપરામાં જે પ્રમાણે પૂજા અર્ચન અને મકર જ્યોતિ દર્શન ઉતરાણ પર્વ પર થાય છે – એ પ્રમાણે હિંમતનગરમાં પણ એવું કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

આ વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે 28 વર્ષ થી હિંમતનગરમાં મકર  જ્યોતિ મહોત્સવ અને સ્વામી અયપ્પાની શોભાયાત્રા રવિવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવમાં આશરે 600 જેટલા મલિયાલી અને અન્ય ગુજરાતી ઐય્યપ્પાના ભક્તો સાબરકાંઠા તેમજ બીજા શહેરોમાંથી અહીંયા પધાર્યા હતા.

આ મહોત્સવમાં સવારે ગણપતિ પૂજાથી લઈ અને શ્રી ઐય્યપ્પા સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ ,આરતી દીપ આરાધના, રામેશ્વર મંદિર,મોતીપુરા થી શોભાયાત્રા દરમિયાન મકર જ્યોતિનું દર્શન ભક્તોને કરાવતા ઉતરાયણની સાંજે શોભાયાત્રા અયપ્પા મંદિરે પહોંચી હતી. ત્યારબાદ પૂજા કીર્તન કરી અને ભક્તોએ પ્રસાદ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં કેરાલાના મલિયાલી લોકો નોંધપાત્ર સંખ્યામાં રહે છે અને પોતાના ઇષ્ટદેવ અયપ્પા સ્વામીના દર્શન કરવા માટે હિંમતનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરના અયપ્પા મંદિરોમાં પણ જાય છે.

કેરાલામાં આવેલું શબરીમાલા મંદિર એ ઐયપ્પા સ્વામીનું આદિ કેન્દ્ર કે મૂળ મંદિર છે અને કહેવાય છે કે ભગવાન શંકર અને વિષ્ણુના મોહિની સ્વરૂપથી સ્વામીનો જન્મ થયો હતો. Keral stateના શબરીમાલા જંગલમાં મહેશી નામનું રાક્ષસ રહેતું હતું. તેનો વધ કરવા માટે ભગવાનના વરદાન પ્રમાણે ઐપ્પા સ્વામીનું જન્મ થયો હતો અને ત્યારબાદ  રાક્ષસના વધ બાદ સ્વામી ઐય્યપ્પા શબરીમાલા મંદિર મંદિરમાં બિરાજમાન થયા હતા અને ત્યાં તેમની પૂજા શરૂ થઈ હતી .

સ્વામીએ શરણમ ઐયપ્પા.

સમગ્ર ભારત વર્ષમાં સ્વામીના મંદિરને તત્વમસી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

તત્વમસીનું વૈદિક ભાવ છે કે અર્થ છે – તે હું જ છું 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *