મોદીનાના સત્તામાં 8931 દિવસો અંગે એક વાંચવાલાયક, વિચાર પ્રેરક પોસ્ટ

સંકલન: નીરવ જોશી (M-9106814540)

આજે સવારથી જ ઇલેક્ટ્રોનિક મીડિયા ની ન્યુઝ ચેનલો દેશના વડાપ્રધાન મોદીએ જ્યારથી ગુજરાતના સીએમ બન્યા ત્યારથી અને અત્યાર સુધી સત્તામાં 8931 દિવસો શિખર પર સત્તામાં રહ્યા છે !! એવી જાહેરાત વાળી સમાચારો પણ કરી રહ્યા હતા !આ પહેલા સિક્કિમ રાજ્યના  CM પવન ચામલીંગ નામના રાજકારણી 8930 દિવસ સુધી સતત રાજ્યના સીએમ તરીકે સત્તામાં રહ્યા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ અને દેશના પીએમ તરીકે સત્તામાં આવે કુલ 8931 દિવસ પુરા કરીને સત્તામાં રહીને બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે ! સત્તામાં રહેનારા સૌથી વધુ લાંબો સમય સત્તાધીન દેશના આગેવાન કે વડાપ્રધાન તરીકે નવો રેકોર્ડ બનાવ્યો છે!!! ત્યારે PM મોદીની છબીને મહિમા મંડળ કરનારા કેવા કેવા પરિબળો છે-  તે અંગે સ્વતંત્ર લેખક વિચારક   રમેશ સવાણીની કલમએ વાંચીએ….

ધનવાન લોકો મોદીને ભગવાન કેમ માને છે?

સુરતના લેબગ્રોન ડાયમંડ કિંગ મુકેશ પટેલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે “PM મોદી મારા ભગવાન, હું તેમનો ભગત!”

આવું માત્ર મુકેશ પટેલ જ માનતા નથી, જમણેરી વિચારધારા (Right-wing ideology) વાળા મોટાભાગના લોકો અને WhatsApp Universityથી પ્રભાવિત મોટાભાગના લોકો માને છે.

ભારતમાં કેટલાક ધનિક વર્ગ; ખાસ કરીને કેટલાક બિઝનેસમેન, કોર્પોરેટ લીડર્સ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં મોદી પ્રત્યે ખૂબ જ મોટી ભક્તિ અને ‘અવતાર’ જેવું આકર્ષણ જોવા મળે છે. તેના કારણો છે-
[1] આર્થિક લાભ મળ્યોો છે અને સરકારી પોલિસીઓથી ફાયદો મળ્યો છે. મોદી સરકારની પોલિસીઓએ કોર્પોરેટ અને મોટા બિઝનેસને ઘણો ફાયદો કર્યો છે. ટેક્સમાં ઘટાડો થયો છે. કોર્પોરેટ ટેક્સ 30%થી 22% અને નવી કંપનીઓ માટે 15% કર્યો છે! લેબર લો અને લેન્ડ એક્વિઝિશનમાં રાહત મળી છે. મજૂરોના શોષણ અંગે સરકારી તંત્ર ચૂપ રહે છે. પ્રાઇવેટાઇઝેશન વધ્યું છે. એરપોર્ટ, પોર્ટ, રેલ્વે, બેંક, એરલાઇન્સ વગેરે. GST અને ડિજિટલ ઇકોનોમીએ મોટા બિઝનેસને સરળતા આપી છે. આ કારણે અમીરોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં બિલિયનેર્સની સંખ્યા અને તેમની સંપત્તિમાં ખૂબ વધારો થયો છે. World Inequality Lab અનુસાર ટોપ 10% પાસે 77% સંપત્તિ છે! આ લોકો મોદીને ‘આર્થિક રિવાઇવલના દેવદૂત’ માને છે, જેમણે ગરીબોના ભોગે ‘બિઝનેસ-ફ્રેન્ડલી’ વાતાવરણ બનાવ્યું છે!

Screenshot

[2] સ્ટેબિલિટી અને સ્ટ્રોંગ લીડરશિપનું આકર્ષણ હોય છે. મોદીની આવી છબી પ્રચાર/ પ્રોપેગેન્ડાથી ઊભી કરવામાં આવી છે. ધનવાન વર્ગને ‘મજબૂત નેતા’ ગમે છે જે ‘અરાજકતા’ ન થવા દે. મોદીની ઇમેજ ‘ડિસિઝન મેકર’, ‘કોઈ લાંબી ચર્ચા વગર ઝડપી નિર્ણય લેનાર’ તરીકે છે. ઘણા બિઝનેસમેન કહે છે કે ‘પહેલાંની સરકારોમાં ફાઇલો પડતર રહેતી, હવે ઝડપથી કામ થાય છે’. આને કારણે તેઓ મોદીને ‘ભારતનું એકમાત્ર ભવિષ્ય‘ માને છે.

[3] હિન્દુ રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ગર્વમાં માનતા લોકો મોદીને પસંદ કરે છે. ઘણા ધનવાન હિન્દુ; ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતી બિઝનેસ કોમ્યુનિટીમાં રામ મંદિર, CAA-NRC, Article 370 જેવા મુદ્દાઓએ ‘હિન્દુ અભિમાન’ પ્રગટાવ્યું છે. આ લોકો મોદીને ‘હિન્દુ હ્રદય સમ્રાટ’/ ‘હિન્દુ ધર્મના રક્ષક’ અથવા ‘ભગવાન રામને લાવનાર’ તરી જૂએ છે. અયોધ્યા મંદિર ઉદ્ઘાટન વખતે મોદીની ઇમેજ ભગવાન રામ સાથે જોવા મળી, જેનાથી ભક્તિ વધી.

[4] વ્યક્તિપૂજાનો પ્રભાવ-પર્સનાલિટી કલ્ટ. મીડિયા, સોશિયલ મીડિયા અને BJP/ RSSના પ્રચારથી મોદીની ઇમેજ ‘અમર’, ‘નોન બાયોલોજિકલ અવતાર’ તરીકે બની છે. એટલે મોદી પોતે પણ કહે છે કે ‘ભગવાને મને મોકલ્યો છે’, ‘મા ગંગાએ બોલાવ્યો છે’ આ બાબતો ભક્તોના મગજમાં ગુંજ્યા કરે છે. ધનવાનોને/ ઉપલા મધ્યમ વર્ગને/ કોર્પોરેટ કથાકારોને/ ધર્મગુરુઓને/ પ્રગટ બ્રહ્મસ્વરુપોને/ ડાયરા કલાકારોને/ ફિલ્મ કલાકારોને/ ક્રિકેટરોને/ દરબારી લેખકો-પત્રકારોને આ ‘અવતારી’ ઇમેજ ગમે છે, કારણ કે તેમને લાગે છે કે ‘મોદી વિના ભારત ‘પાછળ રહી જશે!’ જો કે બધા ધનવાન લોકો મોદીને ‘ભગવાન’ માનતા નથી, પરંતુ સામા પ્રવાહે તરવાને બદલે પ્રેક્ટિકલ લાભ માટે સપોર્ટ કરે છે.

[5] WhatsApp યુનિવર્સિટીના કારણે મોદીની છબી કઈ રીતે ઊભી થાય છે? તેનાથી ભક્તો કઈ રીતે અંજાઈ જાય છે? WhatsApp University વ્યંગાત્મક શબ્દ છે, આ શબ્દ પ્રથમ વખત રવીશ કુમારે વાપર્યો હતો. જે વોટ્સએપ પર વાયરલ થતા ‘ફેક ન્યૂઝ, એડિટેડ વીડિયો, ફોર્વર્ડ મેસેજ અને પ્રોપગેન્ડા’ને વ્યક્ત કરે છે. જે દ્વારા મોદીની ‘સુપરહીરો’ છબી ઊભી કરવામાં આવે છે. દેશભરમાં 50 લાખથી વધુ ગ્રુપ્સ, હજારો વોલન્ટિયર્સ છે. કન્ટેન્ટ નેશનલ લેવલથી બનાવીને રીજનલ લોકલ ગ્રુપ્સમાં 12 મિનિટમાં પહોંચાડવામાં આવે છે. 80% કન્ટેન્ટ પહેલેથી જ તૈયાર હોય છે. જેના તત્વો હોય છે: (1) ગર્વની ભાવના ભરવી. હિન્દુ સંસ્કૃતિ-ઇતિહાસની અતિશયોક્તિ, જેમ કે ‘પ્રાચીન ભારતમાં એરોપ્લેન હતા/ પ્લાસ્ટિક સર્જરી હતી! (2) હિન્દુઓને પીડિત તરીકે રજૂ કરવા. સદીઓથી હિંદુઓને દબાવવામાં આવ્યા છે! ઔરંગઝેબ મુગલ શાસનની વાતો રીપીટ કરવી. (3) ભય-ખતરો બતાવો. મુસ્લિમ, ક્રિશ્ચિયન, કોંગ્રેસ પક્ષ, સોરોસ વગેરેને ‘દુશ્મન’/ ‘દેશદ્રોહી’ દેખાડો. એડિટેડ ક્લિપ્સથી ભય ઊભો કરવો. (4) મોદી કલ્ટ! ‘છેવટે મોદીજી જ બચાવી શકે છે’ તે ધારણા ઊભી કરવી, તે માટે તેમને અવતાર, વિશ્વગુરુ, હિન્દુ ધર્મના રક્ષક તરીકે દર્શાવવા. RSS પણ હિન્દુ શાસ્ત્રોના આધારે મોદીને ‘હિન્દુ ધર્મના મહાન ઉદ્ધારક’ તરીકે ચિત્રિત કરે છે. રાહુલ ગાંધીને રાવણ અને મોદીને રામ તરીકે રજૂ કરે છે. 140 કરોડ ભારતીયોને ‘મોદીના પરિવાર’ તરીકે બતાવે છે. 2024માં, રામ મંદિર ઉદ્ઘાટન સમયે 36% ફોર્વર્ડ મેસેજમાં મોદીને રામ સાથે જોડીને ‘હિન્દુ રાષ્ટ્રના નિર્માતા’તરીકે બતાવવામાં આવ્યા હતા.

[6] ભક્તો કઈ રીતે અંજાઈ જાય છે? વોટ્સએપ ગ્રુપ્સ ‘એકો ચેમ્બર’ બની જાય છે. ફેમિલી, પ્રોફેશન, જ્ઞાતિ આધારિત ગ્રુપ્સમાં ફક્ત એક જ પ્રકારના મેસેજ આવે છે. રિપીટેશન (વારંવાર ફોર્વર્ડ)થી મગજ માની લે છે કે ‘આ સાચું જ હશે!’ મનમાં ‘મોદી કંઈ ખોટું કરી જ ન શકે’નું બોક્સ બની જાય છે. કોઈ પણ નિષ્ફળતા- નોટબંધી/ કોરોના કાળમાં 47 લાખથી વધુ મોત/ ઈલેક્ટોરલ બોન્ડ/ કાળાનાણાથી ધારાસભ્યો ખરીદીને વિપક્ષની રાજ્ય સરકારો તોડવી વગેરેને ‘તેમણે પ્રયત્ન કર્યો’ તરીકે ફિટ કરી દેવામાં આવે છે. કામ કરે તેની ભૂલ થાય તેવો બચાવ કરે છે. વિરોધી તથ્યોને અવગણીને માત્ર વોટ્સએપ મેસેજ પર આધાર રાખે છે. નિયમ છે કે જેટલી ઓછી જાણકારી, તેટલી વધુ તીવ્ર માન્યતા! ઇમોશનલ રોલરકોસ્ટર! પહેલા ડર (ખતરો), પછી આશા (મોદી જ બચાવશે), આનાથી તર્ક અને તથ્યો અસરરહિત બની જાય છે. કોઈ પણ ફેક્ટ-ચેકને ‘વિરોધીઓનું ષડયંત્ર’ કહીને નકારી કાઢે છે. WhatsApp University એ BJPનું સૌથી અસરકારક ટૂલ છે જે ‘ભય + ગર્વ + ધાર્મિક અપીલ’ના મિશ્રણથી મોદીને ‘ભગવાન’ બનાવી દે છે. તેનાથી ભક્તો અંજાઈ જાય છે કારણ કે તેમનું મન વારંવારના ફોર્વર્ડ્સ અને બંધ ગ્રુપ્સમાં ફસાઈ જાય છે. તર્કની જગ્યાએ લાગણી અને લોયલ્ટી કામ કરે છે. આ એક સામાન્ય પ્રોપગેન્ડા ટેકનિક છે. કોઈપણ મોદી ભક્તની એક મુખ્ય ખાસિયત એ હોય છે કે તે ઊંડેઊંડે મુસ્લિમોનો વિરોધી હોય છે, એટલું જ નહીં પોતાનાથી ઉપલી જ્ઞાતિઓનો ગુલામ અને પોતાનાથી નીચલી જ્ઞાતિઓ પ્રત્યે સૂગ રાખનાર હોય છે, એટલે કે સામંતી માનસિકતા ધરાવતો હોય છે. તે પેન્ટ, કોટ, ટાઈ ભલે પહેરે પણ પરંપરાગત મૂલ્યોનો સમર્થક હોય છે, રુઢિચુસ્ત હોય છે. તેમને ગાંધી/ સરદાર કરતાં મોદી મહાન લાગે છે. તમે આજુબાજુ નિરીક્ષણ કરજો, આ સત્ય સમજાઈ જશે!

rs [22 માર્ચ 2026]

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच