નીરવ જોશી, અમદાવાદ (M-9662412621, 9662412621)
કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર કરવામાં આવ્યો.
*જીવનમાં પૈસા જરૂરી છે, પરંતુ તે સાધન છે, જ્યારે પરમેશ્વર સાધ્ય છે. તેથી પૈસા કરતા પરમેશ્વરને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર અમદાવાદના સંતો ઇંગ્લેન્ડ ખાતે સત્સંગ પ્રચાર કરી રહ્યા છે. તેના ઉપક્રમે ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણોથી પાવન થયેલી લેક ડિસ્ટ્રીક્ટ – વિન્ડરમેરની ભૂમિ ઉપર સત્સંગ સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ નૌકા વિહાર કરવામાં આવ્યો હતો.
*આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, “આજના ભાગદોડભર્યા અને તણાવપૂર્ણ યુગમાં, ખાસ કરીને યુવા પેઢીને પ્રકૃતિના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને ગુરુની દિવ્યતાનો અનુભવ કરાવવો એ સમયની માંગ છે. જ્યારે મનુષ્ય કુદરતના ખોળામાં બેસીને પરમાત્માનું સ્મરણ કરે છે, ત્યારે તેને સાચી શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.” તેથી આ સ્થળે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે.
ઇંગ્લેન્ડનું સૌથી મોટું તળાવ વિન્ડરમેર છે.
શ્રી મુક્તજીવન સ્વામીબાપા આ સ્થળ ઉપર ઈસ. 1979 માં પધાર્યા હતા. તેમના ચરણારવિંદથી આ ભૂમિ પાવન થયેલી છે. તેથી આ દિવ્ય ભૂમિના દર્શન કરવા માટે અને ગુરુસ્મૃતિ માટે આપણે એકત્ર થયા છીએ.
આપણા મહાન સંતો જ્યાં પણ પધાર્યા છે, ત્યાં તેમણે પ્રકૃતિની જતન કરવાની અને પર્યાવરણ પ્રત્યે પ્રેમાળ બનવાની પ્રેરણા આપી છે.
ગુરુએ આપણને શીખવ્યું છે કે, જીવનમાં સુખી થવું હોય તો, પૈસા જરૂરી છે. પરંતુ પૈસા એ સર્વસ્વ નથી, પૈસા સાધન છે, જ્યારે પરમેશ્વર એ સાધ્ય છે.
તેથી જીવનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેટલું મહત્વ આપવામાં આવશે તેટલી જ સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.
આ માનવ જીવન પ્રાપ્ત થયા પછી આપણું જીવન સદાચારમય અને ભક્તિમય હોવું જોઈએ. શીલ, સંતોષ, સંસ્કાર આદિ શુભ ગુણોથી જ જીવન સુખમય બને છે.
આજના દિવસે આપણે સૌ કોઈએ ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ બતાવેલા સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવાના શપથ લેવા જોઈએ.
આ કાર્યક્રમના અંતમાં યુવાનો અને ભક્તોએ ભાવવિભોર બની શ્રી હરિ અને ગુરુના ચરણોમાં વંદન કરી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને તેમના બતાવેલા સત્ય, સેવા અને ભક્તિના માર્ગે ચાલવાના દ્રઢ સંકલ્પો લીધા હતા.
અંતમાં, સર્વે માટે વિશ્વશાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી.


