હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

 હિંમતનગરના વક્તાપુર પાસે માં અંબા ભક્તો માટે અનોખો સેવા યજ્ઞ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134)

દર વર્ષે ભાદરવી પૂનમે આશરે અઠવાડિયા પહેલા અમદાવાદ તેમજ બીજા જગ્યાએથી અનેક સેવાભાવી પૈસાદાર લોકો સેવા મંડપમ લગાવીને માં જગદંબા ના દર્શન માટે જનારા ભક્તો માટે લગાવતા હોય છે.

ગઈકાલે એટલે કે શનિવારે બાપુનગરના બ્રહ્મા ગુપ્તા સ્થાનિક ભાજપ નેતાએ ત્રણ દિવસનો અનોખો સેવાયજ્ઞ લગાવ્યો હતો જેમાં પદયાત્રીઓને એક્યુપ્રેશરથી મસાજ પણ કરવામાં આવતો હતો તેમ જ તેમને દવાઓ પણ આપવામાં આવતી હતી.

આ ઉપરાંત હિંમતનગરના મહેતાપુરા થી વક્તાપુર સુધી અનેક કેમ્પ માં જગદંબાના દર્શને જનારા ભક્તો માટે લાગ્યા હતા.

જેમાં કેટલાક લોકો ભજીયા અને ચા નાસ્તો તેમજ ખમણ, કેટલાક લોકો બીજી ગરમ પાણી તેમજ અન્ય નાહવા ધોવાની સુવિધાઓ પણ પૂરી પાડતા હતા. આરામ માટે પણ ખુબ સરસ વ્યવસ્થા અમુક કેમ્પમાં રાખવામાં આવી હતી.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *