હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી
![રાજકોટ:અગ્નિકાંડમાં ભોગ બનેલાના પીડીતો માટે CPI-Mએ ન્યાયની માગણી કરી](https://avspost.com/wp-content/uploads/2024/05/IMG-20240530-WA0012-850x560.jpg)
નીરવ જોશી ,હિંમતનગર (M-7838880134)
તારીખ : ૩૦/૫/૨૦૨૪
રાજકોટ ખાતે ગેમઝોન માં બનેલ દુર્ઘટના માં નિર્દોષ 30 લોકો બાળકો મૃત્યુ પામ્યા છે . સદર ગેમ ઝોનમાં ફાયર સેફટીના કોઈ સાધનો નહોતા અને સંબંધીત અધિકારીઓની રહેમ નજર અને ભ્રષ્ટાચારી રીત રસમની બલિહારી ને લીધે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્રણ વર્ષથી , અને ગેરકાયદેસર ચાલતા ગેમ જોન એ નિર્દોષ લોકો અને બાળકોને લીધો છે .
ભારતનો સામ્યવાદી પક્ષ માર્ગ ( માર્ક્સવાદી ) સીપીએમ સાબરકાંઠા જિલ્લા સમિતી માન. મુખ્યમંત્રીશ્રીને આપના દ્વારા આવેદનપત્ર આપી માંગ કરે છે કે
– નામદાર હાઇકોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવે .
– ભોગ બનેલ તમામને માથા દીઠ 25/લાખ રૂપિયા ની સહાય કરવામાં આવે .