કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ
કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજ
નીરવ જોશી, ગાંધીનગર (M-9106814540)
*મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦,૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત*
અઠવાડિયાથી થી જેને ખૂબ ચર્ચા થઈ રહી હતી તે કમોસમી વરસાદથી પાયમાલ બનેલા ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે છેવટે હવે અગત્યની રાહતની જાહેરાત કરી છે
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.