ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

 ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540)

હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ હાથ ધરાયું હતું. એ અંતર્ગત  મંદિરના સ્વયંભૂ શિવલિંગ ભોલેશ્વર મહાદેવ સિવાયના બીજા કેટલાક મૂર્તિઓ જેમાં ઉમા પાર્વતી ની મૂર્તિ અને નવગ્રહ ના સ્વરૂપોની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિ સોમવારે થઈ હતી.

તારીખ 19 એપ્રિલ શરૂ થયેલા પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોલેશ્વર મંદિર સાથે સંકળાયેલા ભાવિક ભક્તોએ ટ્રસ્ટીગણ તેમજ સન્યાસી મહાત્માઓએ ઉત્સાહભેર રુદ્ર યજ્ઞ તેમજ અન્ય યજ્ઞ હવન કરીને પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 એપ્રિલ સોમવારના દિવસે સંપન્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો હવનમાં બેઠા હતા ભગવાન મહાદેવના રુદ્ર હવનમાં આશરે 25 જેટલા કુટુંબો ત્રણ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવ આરાધના કરી હતી.

ભોલેશ્વરના પ્રાંગણમાં નિર્માણ થઈ રહ્યો છે વાનપ્રસ્થાશ્રમ.

થોડાક મહિનાઓ કે વર્ષ પછી ભોલેશ્વરમાં વાનપ્રસ્થાશ્રમ પણ નિર્માણ થઈ રહ્યો છે. આપણા વૈદિક ધર્મ પ્રમાણે હિન્દુ પુરુષના જીવનના 50 વર્ષ વટાવ્યા પછી ત્રીજો આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ચાલુ થાય છે! તો આ વાનપ્રસ્થાશ્રમ માટે એક મોટો હોલ ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં નિર્માણ કરવામાં આવી રહ્યો છે , જેમાં વડીલો અને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશનારા લોકો ત્યાં રહી શકશે તેવી રૂમો પણ નિર્માણ થઈ રહી છે.

તમે ભોલેશ્વર જાઓ તો અચૂક એની બાજુમાં આવેલા આ હોલની મુલાકાત લેજો. નગરપાલિકાના નવ વોર્ડના કોર્પોરેટર જીગ્નેશ પટેલ જ આ હોલનું નિર્માણ કરવામાં ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે આ માહિતી આ મહોત્સવ દરમિયાન આપી હતી.😀⚘⚘⚘.*

**** જરણેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણ ભારતી જી એ પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિન ભોલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તોને આશીર્વાદ આપ્યા.****

* *ભગવાનને સમર્પિત સંતોની હર કોઈ ચેષ્ટા ભગવાનના આશીર્વાદ રૂપ હોય છે!*

⚘🙏💐😃⚘⚘💐💐
*આજરોજ ભર બપોરે એટલે કે સોમવારની બપોરે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ ઝરણેશ્વર મંદિરના મહંત લક્ષ્મણભારતી બાપુ સ્વયમ ભોલેશ્વર મહાદેવ મંદિર ના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનાર્થે ભોલેશ્વર પધાર્યા હતા ! એમની સાથે ડ્રાઇવર અને એક બે ભક્ત હતા! પરંતુ આકસ્મિક મુલાકાત હોવાને કારણે બીજા બધા લોકો એમના આગમનથી અજાણ્યા હતા. હું ત્યાં દર્શન કરીને પાછો ફરી રહેતો હતો ત્યાં અચાનક મારી નજર બાપુ પર પડી. સૌથી પહેલા મહંત લક્ષ્મણ ભારતીજી મહારાજ એ ભોલેશ્વર મહાદેવના પૂજન અર્ચન કર્યા ! ત્યારબાદ લોકોએ જ્યારે બાપુને જોયા તો તેમને પગે લાગ્યા અને ત્યારબાદ તે કાર્યક્રમમાં મુખ્ય સન્યાસી આવ્યા હતા તેમની ચેમ્બરમાં અમે લક્ષ્મણ ભારતી જી ને લઈ ગયા હતા, એમની સાથેના ડ્રાઇવર રબારી એ કહ્યું કે તમે બાપુને સંત બીરાજે છે ત્યાં લઈ જાઓ.

યોગાનુંયોગે હું હાજર હતો અને લક્ષ્મણભારતીજી બાપુને દોરી ને લઈ ગયો હતો. ત્યારબાદ બંને સંતોની મુલાકાત થઈ થોડીવાર ત્યાં બેઠા , ત્યારબાદ લક્ષ્મણભારતીજી નીચે આવ્યા અને ટ્રસ્ટીઓ એમના કાર્યાલયમાં લઈ ગયા જેમણે બાપુને પ્રસાદીનો ડબ્બો પણ ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો!

આમ, કુલ 10 થી 15 મિનિટ મુલાકાતમાં મહંત શ્રી લક્ષ્મણભારતી મહારાજે ભોલેશ્વર મહાદેવ પધારી તેમની હાજરીથી વાતાવરણમાં આશીર્વાદ પ્રસર્યા હતા.

હર હર મહાદેવ!*

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच