પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલે ફેક્ચર દર્દીના નિશુલ્ક ઓપરેશન કરી માનવતા મહેકાવી

 પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલે ફેક્ચર દર્દીના નિશુલ્ક ઓપરેશન કરી માનવતા મહેકાવી

નીરવ જોશી (બનાસકાંઠા – પાલનપુર) M-7838880134 

*જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૬૦ દિવસની લાંબી સારવારના અંતે રજા અપાઈ.*

*ભરૂચ ખાતે રોડ અકસ્માતમાં વડગામ તાલુકાના મેતા ગામના યુવાનને જમણા પગે ફ્રેકચર થતા સફળ ઓપરેશન કરાયું*

પાલનપુર ..

કેટલી વખત સરકારી હોસ્પિટલમાં અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ જે તે વિભાગના ડોક્ટર વડાઓ કે એમની ભૂલોના પરિણામે કેટલાક દર્દીઓ દયાજનક હાલતમાં મુકાઈ જતા હોય છે !!! પરંતુ આવા દર્દીની સારવાર પણ બીજી કોઈ શહેરની જનરલ હોસ્પિટલમાં નિશુલ્ક કરી અને એમની ભૂલનો ભોગ ફરીથી ન થાય તેવું એક ઉદાહરણ બનાસકાંઠાની પ્રસિદ્ધ પાલનપુર ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલના સર્જનો ખાસ કરીને ઓર્થોપેડિક વિભાગએ સાબિત કર્યું છે, આ દાખલો એ સામાન્ય પ્રજાને કેવા પ્રકારની સારવાર સરકારી હોસ્પિટલમાં મળે છે – એ પણ જાણવા માટે વાંચવો જરૂરી છે.

સરકારી સિવિલ હોસ્પિટલમાં માનવતાને મહેકાવે એવા ઘણા ડોક્ટરો રહેલા છે તે પણ આ વાર્તા કે સમાચાર જાણીને અનુભવી શકાય છે!

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મેતા ગામના ૩૫ વર્ષીય વિપુલભાઈ અમરતભાઈ રાઠોડ જેઓ ભરૂચ ખાતે દરજીકામનો ધંધો કરતા હતા ત્યારે જેઓ સાંજના સમયે પોતાના ઘરે ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ગાડી વાહન ચાલકે ટક્કર મારતા પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બેભાન અવસ્થામાં રસ્તા વચ્ચે ઢળી પડ્યા હતા. અકસ્માતના પગલે ગાડી ચાલક પોતાની ગાડી લઈને નાસી છુટ્યો હતો. જોકે ઘટનાના પગલે સ્થાનિક લોકો આવી જતા ૧૦૮ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.જે બાદ સવિલ સ્ટાફ દ્વારા પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર તાબડતોડ હોસ્પિટલ ખાતે પોહચી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી હતી.

વધુ સારવાર માટે બીજા દિવસે ૧૦૮ મારફતે અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા ત્યાંના ઓર્થોપેડિક વિભાગના ડો. તપાસ કરતા જમણા પગે ફ્રેકચર હોવાનું માલુમ પડતા ચાર જેટલા એક્સરે રીપોર્ટ ટુ-ડી ઇક્કો તેમજ લોહીના રીપોર્ટના આધારે જરૂરી એન્ટીબાયોટીક દવોઓ આપી ૧૦ માં દિવસે જમણાં પગે ઓપરેશન કરી ચોથા દિવસે રજા આપવામાં આવી હતી.અકસ્માતમાં ઈજા પામનાર વિપુલભાઈ જણવ્યું હતું કે છેલ્લા આઠ મહિનાથી અમદાવાદની હોસ્પિટલ ખાતે પગના ભાગે ફ્રેકચર થતા દવાઓ તેમજ ટ્રીટમેન્ટ ચાલુ રાખવામાં આવી હતી અને પગના ભાગે રસી થઈ જતા ચાલી શકાતું પણ નોહતું…. ઓપરેશન દરમિયાન જમણાભાગે નાખેલો સળીયો લાંબો હોવાથી ઢીચણ તેમજ પગે સોજા આવી જતા હતા. વડગામના સ્નેહીજનો ના જણાવ્યા પ્રમાણે પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ સિવિલ ૧૯ એપ્રિલના રોજ ઓર્થોપેડિક વોર્ડ ખાતે લવાયા હતા. જેમાં ઈજાગ્રસ્તના અગાઉના તમામ રીપોર્ટ તેમજ કેસની ગંભીરતા ને ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે નવીન સી.બી.સી, સી.આર.પી એક્ક્ષરેના રીપોર્ટના આધારે જમણા પગના થાપાનાં હાડકામાં રસી થતા પગે ચાલી શકતા ના હોવાથી અસહ્ય દુખાવાથી પીડાતા હતા જેના લીધે દાખલ કરી આગળની સારવાર હાથ ધરવામાં આવી હતી.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનીલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના સર્જન ડો.અજય પટેલ, ડો રવિ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા થાપાના બહારના ભાગેથી પગમાં ચાર થી પાંચ જેટલા ભાગોમાંથી રસી આવતી હતી. જેના લીધે ૨૦ સેન્ટીમીટર નો ચીરો પાડી અગાઉ નાખેલ સળીયાને બહાર કાઢીને થાપાના હાડકાની સાફસફાઈ કરી જરૂરી દવાઓ ચાલુ કરવામાં આવી હતી. રસી મટી જતા ૨૦ દિવસ બાદ બીજા તબક્કામાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે થાપાના હાડકામાં પુન નિર્માણ સળીયો નાખીને ની: શુલ્ક સફળ ઓપરેશન કરવામાં આવતા ૬૦ દિવસની લાંબી સારવારના અંતે આજે રજા આપવામાં આવતા પરિવારે સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિગ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર બનાસડેરીના પાંચ લાખ પશુપાલકોની પોતાની માલિકીની પુરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *