આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ વિતરણ

 આજે વિશ્વ ચકલી દિવસ: પાટણમાં ચકલી માટે કુંડાનું થયું ખાસ વિતરણ

નીરવ જોશી , હિંમતનગર

(M-7838880134  & 9106814540)

20 મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ , પ્રકૃતિ મંડળ મહેસાણા, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંયુક્ત ઉપક્રમે ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ જેમા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને પાટણ નગર પાલીકા પ્રમુખ અને નીલેશભાઈ રાજગોર .પારસભાઈ. અન્ય મહાનુભાવો હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતને ચકલીની મહત્વતા અને ચકલીને જાળવવા માટે કે એની પ્રજાતિના સંવર્ધન માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરવા તેમજ કેવી પ્રવૃત્તિ કરવી તેની ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ અને માર્ગદર્શન આપ્યું હતું


#સ્થળ : હર્ષ પ્લાઝા કોમ્પલેક્ષ , ટેલીફોન એક્સચેન્જ રોડ , પાટણ

આજે પરીસ્થીતી બદલાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવો અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે. તે અંગે જન-જાગૃતિ સ્વરૂપે ઉજવાય છે. ઘોડિયામાં સુતેલા બાળકે જોયેલું-જાણેલું સૌપ્રથમ પંખી એટલે ચકલી. બાળક થોડું મોટું થાય એટલે “ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો-ચકીબેને રાંધી ખીચડી” ની વાર્તા સાંભળે. બાળક એથી મોટું થાય એટલે રમત રમતાં ગયા ચકી ચોખા ખંડે છે, પિતાંબર પગલા માંડે છે, ચકી ગઈ ધોવા, ચકો બેઠો રોવા, રોઈ-રોઈ થાક્યો, આવી આપણી ચકીબેન એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ તથા અમેરિકા એમ પૃથ્વીના મોટા ભાગમાં જ્યાં-જ્યાં માણસો વસ્યા છે ત્યાં વસે છે.

 

છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ફળિયું, ફળિયામાં ઝાડ, ઓટલો-ઓશરી-ઓરડા-ગોખલા-માળિયા-અભરાઈ-દેશી નળિયા-વંજીવરા વાળા દેશી બાંધણી વાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા? આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક-રહેઠાણ-રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઇ ગયું છે.

ચકલીનો ખોરાક અનાજના દાણા – નાના જંતુ – કીડા – ઈયળ વગેરે છે. હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ – કીડા-ઈયળો પણ ઘટી ગયા છે. શહેરોમાં પ્રદુષણથી તાપમાન વધી ગયું છે. ધ્વની પ્રદુષણ પણ વધી ગયું છે. જે ચકલી સહન નથી કરી શકતી. વિવિધ કંપનીઓના મોબાઇલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે. ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દુર નવા ઠેકાણા શોધે છે. જેમ કે ઓવરબ્રિજની તોતિંગ દીવાલોમાંના અનેક બાકોરાં ચકલી – કબરોની નવી વસાહતો બને છે.

પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખીડા માટે આપણે આટલું કરીએ..
૧. ચકલાઓને ઘરનું ઘર આપવા પૂંઠા – લાકડા – માટીના બનેલા પક્ષીઘર આપણા ઘરોમાં લગાવી શકાય.
(વરસાદની સીધી માર કે બિલાડી ન પહોચે તે રીતે)
૨. કમ્પાઉન્ડ વોલપર પાણીનું કુંડુ રાખી શકાય – ટીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીશે – સ્નાન પણ કરી શકશે.
૩. માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા –ચણ તરીકે રોજ નાખી શકાય.
૪. ઘર આગણે શક્ય હોય તો એકાદ વ્રુક્ષ લગાવી શકાય.

આટલું કર્યા પછી આપણે આગણે ચકીબેન તો આવશે જ પણ સનબર્ડ-ગ્રીનબીઈટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલબેન, કુકડીયો કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા – ગીતો ગાતા થશે. ખિસકોલીઓ પણ સાતતાળી રમવા આવતી થશે.

આશ્વાસન એ વાતનું લઇ શકાય કે આપણા ગુજરાતમાં આજે પણ ગામડે-ગામડે એકાદ ભગત પ્રભાતફેરી કરી મુઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે. હજુ નવા ચબુતરા બને છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં બે-ત્રણ ચાસ માત્ર પંખીડા માટે ઉગાડે છે. લગભગ ઘરોઘર પાણી ના કુંડા મુકવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ઘણા શહેરોમાં “ચક્લીઘર” અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ અને આ વિષયે જાગૃતિ જોવા મળે છે. જેના સારા પરિણામે ફરી પાછી ચકીબેન આપણે આગણે આવતી થઇ છે. યાદ કરાવી આપ સૌ પ્રકૃતિ પ્રેમીઓ પણ યથાશક્તિ પર્યાવરણ નું જતન કરશો તેવી વિનંતી સહ….

જય વૃક્ષનારાયણ દેવ

Email : aryavratnirman@gmail.com
Website : www.aryavratnirman.com
www.greenglobalbrigade.org

જીવીએ વર્ષ જેટલાં
વાવીએ વ્રુક્ષ તેટલા… વ્રુક્ષ એક લાભ અનેક…..

 


World Sparrow Day

2024 ની થીમ શું છે? – હેમંત ઉપાધ્યાય


વર્લ્ડ સ્પેરો ડે 2024 ની સત્તાવાર થીમ “આઈ લવ સ્પેરો” છે. આ થીમ મનુષ્યો અને સ્પેરો વચ્ચેના વિશેષ જોડાણને પ્રકાશિત કરે છે.

World Sparrow Day 2024: Theme
In 2024, the theme for World Sparrow Day is “Sparrows: Give them a tweet-chance!”, “I Love Sparrows” and “We Love Sparrows”.

“તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું..” આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.
આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આપણને એમ થાય કે ભલા ચકલાના કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? ચકલા, ચકલી હાઉસ સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.
ફ્રાંસની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે.

આ અંતર્ગત સોપ્રથમ વર્ષ 2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી.
પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011 થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ‘ચકલી એવોર્ડ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિશ્વ ચકલી દિવસની વર્ષ 2021ની થીમ I LOVE SPARROW .
એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે.અને કમનશીબે હારી રહ્યું છે ! વિશ્વભરના અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.જો તેમને બચાવવા માટે આપણે કઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઇ જશે ! ચકલી કદમાં ભલે નાનું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે.
ચીં… ચીં… ચીં… ‘વિશ્વ ચકલી દિવસે’ ચકલી પક્ષી વિનંતી કરે છે… અમને સંભાળજો હોં… વેલેન્ટાઈન્સ ડે, રોઝ ડે, ચોકલેટ ડે જેવા અનેક દિવસો ઊજવનારાઓને માલૂમ થાય કે આજે ‘વિશ્વ ચકલી દિવસ’ છે. શહેરીકરણને કારણે ચકલી પક્ષીની જાતિ લુપ્ત થઈ રહી છે. માનવવસ્તી સાથે હળીમળી ગયેલું આ નાનકડું પંખી એના જીવન માટે ઝઝૂમી રહ્યું છે. આ પક્ષીનું અસ્તિત્વ ટકી રહે એ માટે એની પ્રત્યે જીવદયા બતાવીએ. વ્હાલી ચકલીઓને ચણ ખવડાવીએ, એમને માટે પીવાનાં પાણી વ્યવસ્થા કરીએ, એમને માળો બાંધવામાં કોઈક રીતે મદદરૂપ થઈએ.”
પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે. ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે તસવીર- હેમંત ઉપાધ્યાય વૈષ્ણો દેવી મંદિર પાસે -લીલાપુર અમદાવાદ

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *