શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ

 શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ

नीरव जोशी , हिम्मतनगर (M-7838880134 & 9106814540)

  • ૨૧મી સદીમાં જો માનવી શસ્ત્રને સમજપૂર્વક નહી સમજે તો પૃથ્વીનું અસ્તિત્વ જોખમાશે
  • વિદેશની વિવિધ કંપનીઓ તેમના વૈજ્ઞાનિકો પાસે શોધ કરાવીને પ્રજાને તેના યદી બનાવી રહી છે.
  • રોબોટ કરતા પણ વધુ ખતરનાક સાબિત થતી શોધ માનવી અને પૃથ્વીનો વિનાશ કરી શકે છે.
  • શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે.
  • હિંમતનગરમાં વિવેચક અને પીઢ પત્રકારનું મનનીય પ્રવચન યોજાયું

હિંમતનગર : નીરવ જોશી , સાબરકાંઠા 

ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સીમા સ્તંભ ગ્રુપ કહી શકાય તેવા ભાસ્કર ગ્રુપ થી વધારે જાણીતા થયેલ ને છેલ્લા દસ વર્ષથી નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના એડિટર ,પત્રકારત્વ જગતના પ્રેરણામૂર્તિ – અજય ઉમટ ગત શનિવારે શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન અને તેની વિશદ સમજૂતી આપવા માટે સાબરકાંઠાના વડા મથક હિંમતનગર ખાતે નલિકા ગાંધી ટાઉનહોલ ખાતે પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે એ ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ ચાવડાના માર્ગદર્શન અને સ્પોન્સર્સથી હેઠળ યોજાયેલા કાર્યક્રમમાંથી વાતાવરણ ઘણું ઊર્જા સભર અને સક્રિય લાગી રહ્યું હતું ! Himatnagar Former MLA- રાજુ ચાવડા હિંમતનગરમાં ક્ષત્રિય સમાજનો ઘણું મોટું નામ ધરાવતા હોવાથી શ્રોતાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી! 

ત્યારે પ્રસ્તુત છે પ્રકાંડ પત્રકારત્વ ક્ષેત્રના પંડિત એવા અજય ઉમટની વાણીનો જ્ઞાન સારાંશ.

૨૧મી સદીમાં વિશ્વના અનેક લોકોને સોશ્યિલ મીડીયાના માધ્યમ થકી ગુગલ, ઇન્સ્ટાગ્રામ, યુટયુબ વગર ચાલતુ નથી ત્યારે અમેરીકાના ભેજાબાજ વૈજ્ઞાનિકોએ માનવીનું મગજ તેની બુધ્ધિથી નહી પણ તેમણે તૈયાર કરેલ ચિપ્સની મરજીથી ચલાવવું પડશે. વિશ્વમાં અત્યારે અનેક દેશો શાસ્ત્રને મુકીને શસ્ત્ર પાછળ દોટ મુકી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માનવ સંહાર કરી રહ્યા છે. ત્યારે તે વિષય પર શનિવારે હિંમતનગરના ટાઉન હોલમાં નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગૃપ એડિટર, વિવેચક તથા જાણીતા પત્રકાર અજય ઉમટનું મનનીય પ્રવચન યોજાયુ હતુ. જેમાં તેમણે સતત શસ્ત્ર અને શાસ્ત્ર વિષય પર ઉપસ્થિત લોકોને વિસ્તૃત સમજ આપી હતી. આ પ્રસંગે હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય તથા વકતાપુર વસોરાના સંત ઉપસ્થિત રહ્યા હતા.

ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પીઢ પત્રકાર અજય ઉમટે પોતાના અભ્યાસ અને વાંચનને આધારે જે વિગતો રજૂ કરી હતી તે સાંભળીને પ્રબુધ નાગરિકો પણ વિચારતા થઇ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ અમેરીકા વૈજ્ઞાનિકોએ કરેલી શોધો મુજબ જો માનવી સત્વરે જાગશે નહી તો તેઓ પોતાના મગજથી નહી પણ કમ્પ્યુટર, મોબાઇલ સહિતના અન્ય માધ્યમો થકી ઉપયોગ કરી રહેલા કમ્પ્યુટરની ચિપ્સની મરજી મુજબ ચાલવું પડશે. તે પાછળ તેમણે કહ્યુ હતુ કે જયારે કોઇપણ મોબાઇલ ધારક, ઇન્સ્ટાગ્રામ, યુટુબ અથવા તો અન્ય સોશ્યિલ મીડીયાના માધ્યમ થકી જયારે ઉપયોગ કરશે ત્યારે તે માનવીના મગજને બદલી નાખશે.

એટલુ જ નહી પણ મોબાઇલ ધારક સહિત અન્ય ડેટાના ઉપયોગકર્તાની માહિતી મેળવી લીધા બાદ જાણે અજાણે આ માહિતી વિશ્વના અન્ય લોકો સુધી પહોંચી જશે. ખાસ કરીને અમેરીકા પોતાની મહાસત્તાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે વૈજ્ઞાનિકોને મબલખ નાણા આપીને નવી શોધ કરીને તેનો ઉપયોગ માનવીના ઉત્કર્ષ માટે નહી પણ વિનાશ માટે આગામી સમયમાં કરી શકે છે. જોકે ઉપયોગકર્તાઓ આ બધાથી બચવા માટે શસ્ત્રને બદલે શાસ્ત્ર અંગે જાણકારી મેળવશે તો તેમાંથી બચી જવાશે. પરંતુ અત્યારે ૨૧મી સદીમાં જીવતા વિશ્વના મોટા ભાગના લોકોને મોબાઇલ, કમ્પ્યુટર, ઇન્સ્ટાગ્રામ, ગુગલ, ટ્વીટર વગર ચાલતુ નથી. ત્યારે જો પૃથ્વીને તથા માનવ જીવનનું અસ્તિત્વ જાળવી રાખવું હશે તો શાસ્ત્રની જાણકારી વગર શકય નથી.

કાર્યક્રમની શરૂઆતમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજુભાઇ ચાવડા તથા ઉપસ્થિત લોકોની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું હતુ. ત્યારબાદ વર્ષોથી તેઓ બીજાને મદદરૂપ થવાની ભાવનાવાળા હોવાને કારણે ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રતિકરૂપે ગંગાસ્વરૂપ મહિલાઓનું સન્માન કરીને વિજયાદશમીની ઉજવણીની પ્રતિકરૂપે મોમેન્ટો અપાઇ હતી. આ ઉપરાંત આર્શીવચન પાઠવવા આવેલા સંત લાલજી મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યુ હતુ કે તમારૂ ઘર પંચાયતમાં, પંચાયત તાલુકામાં, તાલુકો જિલ્લામાં, જિલ્લો રાજયમાં, રાજય દેશમાં જયારે દેશ વિશ્વના નકશામાં અનેક દેશો અંકિત થયેલા છે અને પૃથ્વીનો ગોળો પણ પાણીમાં છે. ત્યારે બધુ જોતા એમ લાગે છે કે પાણીનો આ ઘડો તમારા ઘરના રસોડામાં છે. જેથી સમજવુ જોઇએ કે દરેક પરિવારે શસ્ત્રને બદલે શાસ્ત્રનું મહત્વ સમજવું જોઇએ.

આ પ્રસંગે સાબરડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, જાણીતા એડવોકેટ રશ્મિભાઇ પંડયા, પૂર્વ કોષાધ્યાક્ષ સી.સી. શેઠ, સાબરકાંઠા બાર એસોસીએશના પ્રમુખ રાજુભાઇ શર્મા, મહામંત્રી વિજયભાઇ પંડયા, પૂર્વ જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલ, જયેશભાઇ પટેલ, કોંગ્રેસના અગ્રણી કમલેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, જિલ્લા સરકારી વકીલ હિરેનભાઇ ત્રિવેદી, ગોપાલસિંહ રાઠોડ, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *