સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી પ્રસાદનો લાભ લીધો

 સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ: ૩૨૫ હવનકૂડ પર હવન,9000 ભક્તોએ એકાદશી પ્રસાદનો લાભ લીધો

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

રવિવારે સવારે પણ 04:30 કલાક સાબરકાંઠા ને અરવલ્લીના હરિભક્તો – શહેરી વિભાગ વડે 325 થી વધારે યજ્ઞકુંડમાં શાંતિ હવન થવાનો છે વિશ્વ શાંતિ માટે શહેરના હરિભક્તો શાંતિ હવન કરવાના છે. સાંજે ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરાયા છે ભારત ભાગ્ય નિર્માણ નામનો કાર્યક્રમ બપોર પછી હરિભક્તો વડે પ્રસ્તુત થવાનું છે.

શનિવારે સવારે ૬-૩૦ કલાકે થી ૧૧-૦૦ કલાકસુધી યજ્ઞ થયો
૩૨૫ યજ્ઞ કુંડ હતા
૨૩૭૦ યુગલ યજમાન યજ્ઞ માં બેઠા.

૯૦૦૦ થી વધારે ભક્તો એ એકાદશી ના ફલાહાર નો પ્રસાદ લીધો.

 

પ્રસ્તુત છે શનિવાર નો વિડીયો.

હિંમતનગર કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દશાબ્દી મહોત્સવ ઉજવણી પ્રસંગે ૩૨૫ હવનકૂડ પર હવન નો શુભારંભ.. સેંકડો લોકોએ લાભ લ‌ઈ ધન્યતા અનુભવી..

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ના દશાબ્દી મહોત્સવ પ્રસંગે આજે તા.૨૩મી ડિસેમ્બર ના રોજ સવારથી જ ૩૨૫ જેટલા યજ્ઞ કૂડોના યજ્ઞોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને ૨૩૭૦જેટલા યજમાનો આ યજ્ઞ કૂડો પર યજમાન પદે બિરાજમાન થ‌ઈ યજ્ઞોત્સવનો લાભ લીધો હતો. ઉપરાંત ૯૦૦૦ થી પણ વધારે હરીભક્તો એ આજની એકાદશી નો ફલાહારનો પ્રસાદ આરોગ્યનો હતો.

સમગ્ર હવન શાળામાં સ્વામિનારાયણ સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોએ ખડેપગે રહી વ્યવસ્થાપન સંભાળ્યું હતું. દશાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું પણ સુંદર આયોજન સ્વામિનારાયણ સંતો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આજે ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય હોમાત્મક ઐતિહાસિક હવનનો લાભ સેંકડો લોકોએ લ‌ઈ ધન્યતા અનુભવી હતી.


ચાર દિવસ બીએપીએસ સંસ્થાનું કાર્યક્રમ છે તેની વિગતો જે નીચે મુજબ છે.

બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના હિંમતનગર ના કાંકણોલ ખાતે આવેલ મંદિર નો દશાબ્દી મહોત્સવ તા. ૨૨/૧૨/૨૦૨૩ થી ૨૫/૧૨/૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવશે.

હિંમતનગર મંદિરના કોઠારી સ્વામી પૂ.મંગલપુરુષદાસ સ્વામી તથા પૂ. કૌશલમુનીદાસ સ્વામીએ જણાવેલ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રગટ ગુરૂહરી પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ થી સદૃગુરુ સંત પૂ. વિવેકસાગરદાસ સ્વામીની ઉપસ્થિતીમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે .

તારીખ ૨૨ ને શુક્રવાર ના રોજ પ્રથમ દિવસે આદિવાસી સમાજના ૧૦૦ યુગલો ના સમુહ લગ્ન યોજાશે, જેમાં દરેક યુગલ ને વિવિધ ચીજવસ્તુ રૂપે 1 લાખ રૂપીયા સુધીની ભેટ આપવામાં આવશે. તમામ યુગલો લકઝરી બસ દ્રારા સુરત ખાતે પ.પૂ. સંત શ્રી મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ લેવા ગયા હતા.

જ્યારે પછી તારીખ ૨૩ ને શનીવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, સંસ્કાર દિન ની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨૪ ને રવિવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, ભારત ભાગ્ય નિમાઁણ કાયઁક્રમ યોજાશે અને અંતિમ દિવસે તારીખ ૨૫ ને સોમવારના રોજ હિંમતનગર મંદિર નો પાટોત્સવ અભિષેક, સન્માન સમારોહ તથા સમપઁણ દિવસની ઉજવણી કરાશે.

તેમણે વધુમાં જણાવેલ કે આ દશાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા ૧ માસ થી ચાલી રહી છે જેમાં ૫૦૦ ઉપરાંત સ્વયંસેવક બહેનો તથા ભાઇઓ વડીલ સંતોના માગઁદશઁન હેઠળ સેવા આપી રહ્યા છે. બહારગામના તમામ સ્વયંસેવકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *