રાજ્યના કાર્ડિયાક તબીબો જનતાને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે

 રાજ્યના કાર્ડિયાક તબીબો જનતાને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે

નિરવ જોશી ,હિંમતનગર (M-7838880134)

છેલ્લા કેટલાક મહિનાઓથી હૃદય રોગના હુમલા થી અનેક નાની ઉંમરના યુવાનો અને કેટલાક આધેડ ઉંમરના લોકો મોતને હવાલે થયા છે પરિણામે હવે ગુજરાત સરકારનો સ્વાસ્થ્ય વિભાગ પણ સક્રિય થતું જોવા મળી રહ્યો છે.શનિવારે સવારના અને આખો દિવસ ગુજરાત સરકારનો હ્રદયસ્પર્શી અભિગમ ઓનલાઇન નાગરિકોને અનુભવવા મળશે.

…..
*રાજ્યના ખ્યાતનામ કાર્ડિયાક તબીબો રાજ્યની જનતાને હ્રદયરોગ સંદર્ભે માર્ગદર્શન આપશે*
………
*છેલ્લા પાંચ વર્ષના હ્રદયરોગના કેસ સંદર્ભે રીસર્ચ અને ડેટા એનાલિસીસ કરાશે : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*

*4થી નવેમ્બરે હ્રદયરોગ સંદર્ભે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે પ્રેસ – કોન્ફરન્સ યોજાશે

*“હ્રદયની વાત દિલથી કરીએ” ઝુંબેશ અંતર્ગત પ્રજાજનો હ્રદયરોગ સંબંધિત પ્રશ્નો https://forms.gle/trxwRiBW9vXSzyYL8 આ લિક દ્વારા પૂછી શકશે*
……….
રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત ઘટનાઓ સંદર્ભે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 4 નવેમ્બર , 2023ના રોજ અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ખાતે પ્રેસ-કોન્ફરન્સનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાદર્શનમાં હાથ ધરાયેલી કવાયત અંતર્ગત આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે યુ.એન. મહેતાના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીને છેલ્લા પાંચ વર્ષના હ્રદયરોગ સંબંધિત ડેટાના આધારે રીસર્ચ તેમજ એનાલિસીસ કરવા સૂચના આપી હતી. આ વિશ્લેષણમાં અન્ય રાજ્યોમાં પણ હ્રદયરોગ અંગેની સ્થિતિનું વિશ્લેષણ હાથ ધરાશે.

આરોગ્યમંત્રીશ્રીએ રાજ્યની અન્ય ખાનગી કાર્ડિયાક હોસ્પિટલના ડેટા અને રીસર્ચનું સંકલન કરીને તબીબોની પેનલને રાજ્યના નાગરિકોને માહિતગાર કરવા માટે એક પ્રેસ – કોન્ફરન્સનું આયોજન કરવા સૂચન કર્યું હતુ. જેના પગલે છેલ્લા પાંચ વર્ષના ડેટા અને તેના પર થયેલ રીસર્ચ અને એનાલીસીસને આધારે 4 નવેમ્બરે રાજ્યની જનતા સમક્ષ હ્રદયરોગ અંગેની વિગતો સમક્ષ મૂકવામાં આવશે.

રાજ્યની જનતામાં હાર્ટઅટેક કે કાર્ડિયાક અરેસ્ટને લઇને પેનિક ના થાય , લોકોમાં આ બાબતે જે કંઇપણ ગેરસમજ હોય તે દૂર થાય, રાજ્યની પ્રત્યેક જનતા સુધી સાચી માહિતી પહોંચે તે મુખ્ય આશયથી નિષ્ણાંત તબીબો દ્વારા આ સંવાદ હાથ ધરવામાં આવશે.

આ પરિસંવાદમાં સહભાગી બનવા માટે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા એક ગુગલફોર્મ જનરેટ કરવામાં આવ્યું છે.

https://forms.gle/trxwRiBW9vXSzyYL8 આ લિંક પર નાગરિકોએ કેટલીક પ્રાથમિક માહિતી સાથે હ્રદયરોગ, હાર્ટ કે કાર્ડિયાક એરેસ્ટ અથવા હ્રદયને લગતા અન્ય કોઇપણ પ્રશ્નો અને મુંઝવણો પૂછી શકશે.

જેમાંથી કેટલાક કોમન સવાલોના જવાબ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે.

આ સમગ્ર પ્રેસ- કોન્ફરન્સ લાઇવ કરવામાં આવશે. એટલે રાજ્યના મહત્તમ લોકો તબીબો દ્વારા આપવામાં આવતી માહિતી મેળવી શકે, તેનું જ્ઞાનવર્ધન કરી શકે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *