હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો

 હિંમતનગર પાસેના નવા ગામમાં શક્તિધામ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાયો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

આજ રોજ 2079 ના ચૈત્ર સુદ ૧૧ તારીખ 1/4/2023 ના રોજ શનિવારના રોજ શક્તિધામ નવા ખાતે મંદિરના પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ. મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે સવારથી હોમ હવન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યારબાદ મહાપ્રસાદ અને રાત્રે રાસ ગરબા પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.


નવાગામ સ્થિત ઝાલા પરિવાર લગભગ 200 ઘરની વસ્તી ધરાવે છે. સુરેન્દ્રનગરના પાટડી ધામે જન્મદાત્રીશ્રી શક્તિ માતા ના વંશજ ઘણી પેઢીઓથી નવા ગામે સ્થાયી થયેલ છે. નવાગામ માં પાટીદારો તથા અન્ય કોમો પણ સુખ શાંતિથી રહે છે. આજે આ પ્રસંગે ગામના સર્વે લોકોએ ધામધૂમ પુવૅક પ્રસંગમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આજે ચૈત્ર સુદ અગિયારસના રોજ નવા ગામના ઝાલા પરિવારોના કુળદેવી રાજ રાજેશ્વરી જન્મદાત્રી શક્તિ માતાજી તથા શ્રી મહાકાળી માતાજી અને માવડીયા માતાજીનો પાટોત્સવ ખૂબ ઉત્સાહ,ઉમંગ, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવાયો હતો. નવાગામના આશરે 300 જેટલા ભાવિક ભક્તો નવચંડીમાં હાજર રહ્યા હતા.

 

 

આ કાર્યક્રમ અંતર્ગત નવચંડી હવન પૂજારી શ્રી જયેશભાઈ ઉપાધ્યાય ના માર્ગદર્શનમાં પાંચ બ્રાહ્મણ વડે કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ ઝાલા પરિવારના યજમાન સજોડે બેઠા હતા અને માતાજીની ભક્તિ ભાવપૂર્વક નવચંડી હવન કર્યો હતો.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *