Note: આ સમગ્ર સમાચાર ફેસબુક વોલ પરથી લેવામાં આવેલા છે ખાસ કરીને આજે ઘણા બધા સમાચારો અલગ અલગ માધ્યમોમાં આવતા હોય છે, કેટલીક વખત કેટલાક વગદાર લોકોની આલોચના કે તેમના કેટલાક કાર્યો પત્રકારોની નજરમાં પડતા હોય છે અને એના પરિણામે એના વિશે હવે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા એટલે કે વેબસાઈટના માધ્યમથી તેમજ youtube ના માધ્યમથી ગુજરાતમાં એક નિર્ભય પત્રકારત્વ વિકસી રહ્યું છે….. ખાસ કરીને આજની યુવા પેઢી જે દિશા વિહીન છે અને બૌદ્ધિક વર્ગ જેને હિંદુત્વનો નશો લાગ્યો છે— તેમને પણ આજે પડદા પાછળ સત્ય શું છે ???તે જાણવાની તાલાવેલી હંમેશા હોય છે!!!
આના ભાગરૂપે કેટલાક સ્વતંત્ર પત્રકારો પણ પોતાનું માધ્યમ લઈને સમાચારના શુદ્ધ સંવાહક તેમજ પ્રચારક બન્યા છે !! આ એક સમાચાર જોસના આહીરે લખેલા છે જે facebook પરથી યથાર્થ (As it is) પ્રગટ કર્યા છે, તેમજ તેની જવાબદારી જે તે લેખકની પૂરેપૂરી રહેશે. જેમના પર આરોપ મૂક્યો છે તેઓ પણ તેમનું પક્ષ website par રજૂ કરવા સંપર્ક કરી શકે છે- Nirav Joshi (M-9106814540)
જ્યોત્સના આહીર (Source : Facebook wall)
કરોડો રૂપિયાનું *માન* એક રિપોર્ટિંગથી ઘવાયું!
ગુજરાતમાં @SvamanMedia ન્યૂઝના સંપાદક અને પત્રકાર@TusharBasiya પર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ દ્વારા રૂપિયા 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે! આટલી માતબર રકમની માનહાનિ! એવું તે કેવું માન ઘવાયું કુલપતિ સાહિબાનું!
તો વાત એમ છે કે તુષાર બસિયાએ અમુક દસ્તાવેજોના આધારે અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની નિયુક્તિમાં અને કુલપતિની ખુરશી સુધી પહોંચવામાં થયેલ ગેરરીતિ પર સવાલો ઉઠાવતા વિડિયો બનાવીને શૈક્ષિણક ભ્રષ્ટાચાર સામે સવાલો ઊભા કર્યા હતા.
વાત જાણે એમ છે કે મેડમ શ્રી અમી ઉપાધ્યાય જે પ્રોફેસર પસંદગી માટે ડિસ્કવૉલિફાય થયા હતા એ સિલેક્શન કમિટી સામે કેવી રીતે પહોંચ્યા અને એમનું સિલેકશન કયા આધારે થયું? ત્યારબાદ ડેપ્યુટી રજીસ્ટ્રાર અને કુલપતિની સીટ સુધી કોની મહેરબાની અને આશીર્વાદથી પહોંચ્યા?
આ સવાલો જેના જવાબ તેઓ જાણવા માંગતા હતા, અને એવું પણ નથી કે આખું રિપોર્ટિંગ વ્યક્તિગત દ્વેષ રાખીને પુરાવા વગર હવામાં કર્યું હોય, એમણે “માનનીય” કુલપતિ સાહિબા અમી ઉપાધ્યાયનો પક્ષ જાણવા માટે એમના સાથે ટેલિફોનીક વાતચીત કરી અને મળવા માટે સમય પણ માંગ્યો પણ મેડમ બહાના બનાવી છટકી ગયા એમને કદાચ એક પત્રકારનો સામનો કરવામાં ડર લાગતો હશે કે જે કઈ કારણ હોય!
પણ તુષાર બસિયાએ પોતાની ફરજના ભાગરૂપે પ્રોફેસર પસંદગી સમિતિના રાજ્યપાલ નિયુક્ત પ્રતિનિધિ ડો.જયદીપ ડોડીયા સાથે ટેલિફોનીક ઇન્ટરવ્યુ કર્યો જેમાં જયદીપ ડોડીયા ખુદ સ્વીકારે છે કે પસંદગી સમિતિના ઇન્ટરવ્યુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના હેડ પ્રોફેસર ડો.કમલ મેહતા હાજર હતા! અને તુષાર બસિયા પણ એજ કહી રહ્યા છે કે ત્યાં કમલ મેહતા હાજર હતા, કમલેશ મેહતા નહીં તો એમનું નામ શા માટે પસંદગી સમિતિના ઇન્ટરવ્યુઅરમાં શામેલ છે? કોણે આ ઘાલમેલ કરી?
બીજી મહત્વની વાત કે જો “માનનીય” કુલપતિ સાહિબા અમી ઉપાધ્યાયને એવું લાગતું હોય કે એમના “માનને” *હાનિ* પોહચી છે તો શા માટે વ્યક્તિગત રીતે કેસ ફાઇલ નથી કરતા!?
આંબેડકર યુનિવર્સિટી શું કામ આમ વચ્ચે પડીને પત્રકાર સામે દાવો માંડી સમય અને સંસાધન વેડફે?
અને જો “માનનીય” કુલપતિ અમી ઉપાધ્યાય નિર્દોષ હોય તો તેઓ કુલસચિવ અજયસિંહ જાડેજા સાથે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા?
શા માટે પોતાનો પક્ષ કે પુરાવા રજૂ નથી કરતા?
પત્રકારો પર કરોડો રૂપિયાના માનહાનિના દાવા કરી એમને ચુપ કરાવવા એ જાણે ગુજરાતમાં ફેશન બની ગઈ છે!
આની પેહલા પરિમલ નથવાણીએ પોતાની વગ અને રૂપિયાનો ઉપયોગ કરી ધ ગુજરાત રિપોર્ટના પત્રકારો દિલીપ પટેલ, મયુર જાની અને સનાતન સત્ય સમાચારના ફાઉન્ડર સંજય છેતરીયા પર માનહાનિનો દાવો કરી પોતાના પર ઉઠાવાયેલા સવાલોને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે જ મેં કહ્યું હતું કે શું હવે કોઈપણ માણસ પોતાના પદ, પૈસા અને પ્રતિષ્ઠાના જોરે પત્રકારો પર માનહાનિના નામ પર કરોડોના દાવા કરી સત્યનું ગળું દબાવશે?
હૈ ગુજરાતના પૈસાદાર, પ્રતિષ્ઠિત અને ઉચ્ચ પદે બિરાજમાન “માનનીયો” જો તમને તમારું *માન* એટલું વ્હાલું છે તો સામે આવીને સવાલોના જવાબ આપો, આરોપો વિરુદ્ધ પુરાવા આપો અને તમારો પક્ષ રજૂ કરો, બાકી પૈસાના જોરે મોઢું બંધ કરવાની તમારી તરકીબ જ બતાવે છે કે તમે કેટલાં પાણીમાં છો!
ગુજરાતના જાગૃત નાગરિકો, સ્વતંત્ર પત્રકારો કે સામાજિક કાર્યકરો અને કર્મશીલ ચિંતકો આપ સૌ જો આજે ચુપ રહ્યા તો સમજજો કે આગલો વારો તમારો છે.
(C) @JyotsnaAhir
January 18, 2026
#I_Support_Tushar_Bashiya
#WeAreWithYou
