કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

નીરવ જોશી, અમદાવાદ (M-9106814540)

ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું.

ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા શ્રીમતી ડોક્ટર મયુરી ભાટીયા તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ રામ કિશોર ત્રિપાઠી જી, મુખ્ય અતિથિ શ્રીમાન ધનંજય રાવલ, મુખ્ય વક્તા શ્રી નવીન અત્રી, કર્ણાવતી મહાનગર સંગઠન મંત્રી તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કાર્યક્રમને સફળતાપૂર્વક ઉજવ્યો હતો.



 દિવાળીના વિદાય પછી દર વર્ષે યોજતા સંસ્કૃત સ્નેહ સંમેલન માં ગુજરાત પ્રાંતના સંસ્કૃત પ્રેમીઓની સંખ્યા વધુને વધુ વધે અને સંસ્કૃત દેશની રાષ્ટ્રભાષા બને તેવું શુભ સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન જયેશ પંડ્યા એ કર્યું હતું અને કાર્યક્રમની માહિતી સુકુમાર ત્રિવેદી (પ્રચાર પ્રમુખ, સંસ્કૃતભારતી, કર્ણાવતી મહાનગર)એ આપી હતી.

સંપર્ક સૂત્ર: સંસ્કૃત ભારતી ના અગત્યના હોદ્દેદારો તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સમર્પિત કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારીઓના નંબર નીચે મુજબ છે.

  • સુકુમાર ત્રિવેદી : 9429613622
  • જયેશ પંડ્યા: 9879345229
  • નવીન અત્રી: 9015131514

કાર્યક્રમમાં નાના બાળકોએ પણ સંસ્કૃત સંભાષણ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच