ખેડબ્રહ્મા ખાતે બે મહિલા સાંસદ ઉપસ્થિતિમાં ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન’ યોજાયું

સંકલન : નીરવ જોશી, ખેડબ્રહ્મા (M-9106814540)

કુદરતી ખેતી કે પ્રાકૃતિક ખેતી તેમજ લોકોમાં રસાયણ મુક્ત ખેતી અંગે વિસ્તૃત જાણકારી મળી રહે તે હેતુથી બુધવારના રોજ ખેડબ્રહ્માના કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન  બારા અને લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા એ ઉપસ્થિત રહીને લોકોન ખાસ કરીને – ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી કરવાની હાકલ કરી હતી.

ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી શોભાનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન’ યોજાયું

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણે ધરતી માતા અને આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર આપવો જોઈએ”- સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન’ લોકસભા સાંસદ શ્રીમતી શોભાનાબેન બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં યોજાયુ હતો.

કાર્યક્રમ દરમિયાન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય પર થતી નુકસાનકારક અસરો અટકાવવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતી અપનાવવા આહવાન કરતા ઉમેર્યું કે, રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનને જન આંદોલન બનાવી આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર અને ફળદ્રુપ જમીન આપવાની જરૂર છે.

રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પણ ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યની સેવાનું પવિત્ર કાર્ય છે. તેમણે ઉમેર્યું કે, રસાયણમુક્ત ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાશે અને ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટતા તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

સાબરકાંઠામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૬૦૦ તાલીમ વર્ગો અને ૮ કૃષિ મેળા યોજવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન ૧.૬૦ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું, જેમાંથી ૨૭,૪૪૫ ખેડૂતોએ ૧૪,૦૧૨ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ ઝુંબેશ હેઠળ ૧૮૯ મોડેલ ફાર્મ માટે રૂ.૨૬.૦૪ લાખ અને જીવામૃત બનાવવા માટે ૧૬ સંસ્થાઓને રૂ.૧૨.૬૦ લાખની સહાય પૂરી પાડવામાં આવી છે. હાલમાં જિલ્લામાં ૮૦૦થી વધુ ખેડૂતો ધરાવતા ૨ FPO અને ઉત્પાદનોના વેચાણ માટે કુલ ૧૪૦ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રો કાર્યરત છે.

મેળા દરમિયાન વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને ગાય આધારિત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતુ. તેમજ ખેડૂત મિત્રોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,નાયબ ખેતી નિયામકશ્રી,વિવિધ પદાધિકારી શ્રીઓ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

(*Note: પ્રાકૃતિક ખેતી અંગે કોઈ સ્ટોરી કરવી હોય તો પત્રકારના ઉપર જણાવેલા નંબર પર સંપર્ક કરવો )*

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच