સાબરકાંઠા:એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ

નીરવ જોષી, હિંમતનગર

(M-7838880134, joshinirav1607@gmail.com )

સેવા હી પરમોધર્મ,”વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જીલ્લા ના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની કીટ વિતરણ કરાઈ…

વીરપ્રતાપ ફાઉન્ડેશન હિંમતનગર દ્વારા સિવિલ ખાતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ફાઉન્ડેશન દ્વારા શહેરના એચઆઈવી ગ્રસ્ત બાળકોને અભ્યાસ માટેની સંપૂર્ણ કીટ આપવામાં આવી હતી કાર્યક્રમ મા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અભ્યાસ માટેની કીટ અપાઇ હતી.

ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત(સંસ્થાપક વીરપ્રતાપ ફાઉન્ડેશન) ધ્વારા કહેવામા આવ્યું હતું કે જે બાળક ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હશે એનો સંપુર્ણ ખર્ચ ફાઉન્ડેશન ઉઠાવશે , ત્યારબાદ રોટરી ક્લબ હિંમતનગર ધ્વારા વિદ્યાર્થીઓને ભોજન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં જીલ્લાના એચઆઈવી ગ્રસ્ત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમ મા હાજરી આપી હતી.

કાર્યક્રમ માં મહેમાન તરીકે જયેશભાઇ પટેલ (જિલ્લા ઉપપ્રમુખ સાબરકાંઠા ભા.જ.પા), યતીનાબેન મોદી (નગરપાલિકા પ્રમુખ), વિનોદભાઈ પટેલ (હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ), વાસુદેવભાઈ રાવલ (પ્રમુખ હિંમતનગર શહેર ભા.જ.પા), રાજેન્દ્રસિંહ પઢીયાર (મહામંત્રી હિંમતનગર તાલુકા ભા.જ.પા), જયેશભાઈ પટેલ (હિંમતનગર શહેર મહામંત્રી ), હંસાબેન પિત્રોડા (કોર્પોરેટર), ડોક્ટર એન.એમ.શાહ (આર.એમ.ઓ સિવિલ હોસ્પિટલ હિંમતનગર), ડોક્ટર મનિશાબેન પંચાલ (નોડલ ઓફિસર) , ડોક્ટર નાઝિયા મેડમ (સિનિયર મેડિકલ ઓફિસર), આશાબેન પટેલ (જી એસ એન પી પ્રેસિડેન્ટ), પ્રશાંત ભાઈ વ્યાસ (રોટરી કલબ પ્રમુખ), શક્તિસિંહ પરમાર (DLN પ્રેસિડેન્ટ) હાજર રહ્યા હતા

કાર્યક્રમનું સફળ સંચાલન વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच