નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)
હિંમતનગર શહેરમાં આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કરાવતું એક સરસ રાજયોગ કાર્યક્રમ ગુરૂવારના 15 જાન્યુઆરીના રોજ થઈ ગયો હતો … માઉન્ટ આબુ ના પ્રજાપિતા બ્રહ્માંકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના હિમતનગર સેવા કેન્દ્ર એ ઈશ્વરીય સેવાના ૫૦ વર્ષ માં પ્રવેશ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે બ્રહ્માંકુમારીઝ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા બી.કે.શિવાનીદીદી દ્વારા સદા સ્વથ અને ખુશહાલ જીવન વિષય પર આધ્યાત્મિક પ્રવચન નું આયોજન થયું જેમાં શહેર તથા જીલ્લાના નામાંકિત વ્યક્તિઓએ દીપ પ્રાગટ્ય દ્વારા શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે મહાવીર નગરમાં વર્ષો પહેલા બ્રહ્માકુમારી સેન્ટર કાર્યરત હતું જે હવે બેરણા રોડ પર ખસેડવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી પ્રફુલભાઈ પટેલ-પૂર્વ ગૃહમંત્રી અને એડમીનીસ્ટ્રેટર દીવ-દમણ, શ્રીમતિ શોભાનાબેન બારૈયા-સાંસદ સભ્ય, શ્રી વી.ડી.ઝાલા-ધારાસભ્ય હિમતનગર, કૌશલ્યા કુંવરબા -ઉપાધ્યક્ષ ભાજપા, શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ-જીલ્લા કલેકટર શ્રી સાં.કાં, શ્રી હર્ષદ.એમ.વોરા-જીલ્લા વિકાસ અધિકારી, શ્રી જે.ડી. પટેલ પૂર્વ પ્રમુખ ભાજપ ડિરેક્ટર શ્રી નાણાપંચ ગુજરાત,શ્રી ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ -પોલીસ અધિકક્ષ શ્રી સાં.કાં, શ્રી કનૈયાલાલ પટેલ-જિલ્લા પ્રમુખશ્રી ભાજપ, શ્રીમતિ ભારતી બેન પટેલ -જીલ્લા પ્રમુખ, શ્રી વિમલભાઈ ઉપાધ્યાય-પ્રમુખ શ્રી નગરપાલિકા, તથા શહેર અને જિલ્લાના મુખ્ય સંત-મહંતશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે બ્રહ્માકુમારી જ્યોતિદીદી (સબઝોન ઇન્ચાર્જ બ્રહ્માંકુમારીઝ) એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે ૫૦ વર્ષની જીલ્લાની ઈશ્વરીય સેવાઓ ખુબ વધી છે… એને વિસ્તારવા હાલમાં નવીન ભવન શાંતિ સરોવર નું નિર્માણ પૂરું થવા આવ્યું છે જેનો લાભ લેવા શહેર ની જનતાને અપીલ કરી છે.
વધુ માહિતી માટે આપ સંપર્ક કરી શકો છો…
બ્રહ્મકુમાર નરેશભાઈ પટેલ – 9426060972
વધુમાં તારીખ ૧૭ થી ૧૯ જાન્યુઆરી 3 દિવસ રાજયોગ શિબિર(ડૉ. બી.કે. દામિનીદીદી દ્વારા)નું આયોજન કરેલ છે તેમાં સહભાગી થવા તમામને અનુરોધ કર્યો હતો.
બ્રહ્મા બાબાની ૫૭મી પુણ્યતિથિ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાશે
આબુ રોડ, ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦. વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ભૌતિક સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની ૫૭મી પુણ્યતિથિ આજે ૧૮ જાન્યુઆરીએ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વિશ્વભરના હજારો લોકો પ્રાર્થના અને ધ્યાન સાથે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે. બ્રહ્માકુમારીઝ સંસ્થાના શાંતિવનના વિશાળ ડાયમંડ હોલમાં હજારો લોકોની હાજરીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
ધ્યાન સત્ર સવારે ૩:૩૦ વાગ્યે શરૂ થશે. વિશ્વભરના સંસ્થા સાથે સંકળાયેલા લોકો વિશ્વ શાંતિ કાર્યક્રમમાં ભાગ લેશે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત અને વિદેશમાંથી હજારો લોકો સવારે વિશ્વ શાંતિ માટે શ્રદ્ધાંજલિ અને ધ્યાન કરવા માટે લાઇનમાં ઉભા રહેશે. આ દરમિયાન બ્રહ્મા કુમારીઝ સંસ્થાના અધિક મુખ્ય સંચાલક રાજયોગીની બીકે મુન્ની દીદી, રાજયોગીની બીકે જયંતિ દીદી, સંયુક્ત મુખ્ય સંચાલક રાજયોગીની બીકે સંતોષ દીદી, મહામંત્રી બીકે કરૂણાભાઈ, અધિક મહામંત્રી બીકે મૃત્યુંજયભાઈ સહિત હજારો લોકો ઉપસ્થિત રહેશે.
ફોટો, 1 બ્રહ્મા બાબા




