ભારતના 80 જેટલા માછીમાર પાકિસ્તાન જેલમાંથી સ્વદેશ પાછા ફર્યા, સાંજે પોરબંદર પહોંચશે

નીરવ જોશી, વડોદરા (M-7838880134)

કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર ના સંયુક્ત પ્રયાસો થકી મત્સ્યોધોગ ખાતું ગુજરાત રાજ્ય ના અથગ પરિશ્રમ થી પાકિસ્તાન ખાટે જેલ માં બંધ કુલ 80 મચ્છીમારો ની દિવાળીના પાવન દિવસ ઘર વાપસી થઈ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષ થી માછીમારો પાકિસ્તાની અલગ અલગ જેલમાં પુરાયેલા હતા. મત્સ્યોધોગ ખાતાના ની ટીમ દ્વારા વાઘા સરહદ થી ટ્રેન મારફત વડોદરા તથા વડોદરા થી લક્ઝરી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા છે.

 

આ ઘટના અંગે ટીમના લિડર  જીગ્નેશ ગોહેલ મદદનીશ મત્સ્યોધોગ નીયામક ( ટીમ લીડર્) તથા ટિમમાં ધ્રુવ કુમાર દવે, પરવેઝ મહિડા, કૌશિકભાઈ દવે, ઓનરાઝા મકરાણીએ પણ ખંતથી આ કાર્ય ને પૂર્ણ કરવા સાથ સહકાર આપેલ છે તથા પોલિસ ઈન્સ્પેક્ટર અસારી સાહેબ તથા તેઓના ટીમે પણ માછીમારોની સુરક્ષા અર્થે કટિબદ્ધ રહેલ. જેના કારણે માછીમાર સમાજ માં ખુશીની લહેર જોવા મળેલ.

વધુમાં આ માછીમારો આશરે ત્રણ વર્ષ જેટલી સજા પાકિસ્તાનની અલગ અલગ જેલમાં કાપીને વતન પાછા ફર્યા છે ત્યાં પાકિસ્તાનમાં પણ એક સમાજસેવી સંસ્થા આ માછીમારોના મુક્તિ માટે પ્રયાસ કરતી હોય છે. હજુ પાકિસ્તાનની જેલમાં 160 થી પણ વધારે માછીમારો અલગ અલગ જેલમાં સજા ભોગવી રહ્યા છે ત્યારે આ માછીવારોની પણ જલ્દી મુક્તિ થાય અને ભારત સરકાર તેમના સ્વદેશ પાછા ફરવા માટે પ્રયત્નો વધારે તેજ કરે તેવી લાગણી એના પરિવારજનો ધરાવે છે અને કેન્દ્ર સરકારને વિનંતીઓ કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच