અવસર રથ – ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે

 અવસર રથ – ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે

સંકલન: નીરવ જોશી, હિંમતનગર

અવસર લોકશાહીનો!!!

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર અવસર રથ” ફરી લોકોને મતદાન અંગે જાગૃત કરશે.

 

    સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ હેતુ થી અવસર રથ દ્વારા લોકોને મતદાન કરવા અંગેની જાણકારી આપવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્રારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે આ અવસર રથ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરશે.

 

સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ તા. ૮ થી ૧૧/૧૧/૨૦૨૨ થી અવસર રથ” ભ્રમણ કરશે. જેમાં પ્રથમ દિવસે તા. ૮ના રોજ  ૩૩-પ્રાંતિજ વિધાનસભા બેઠકમાં ફરશે અને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે. તા. ૯ ૨૮-ઇડર(અ.જા.)તા.૧૦ ૨૯-ખેડબ્રહ્મા(અ.જ.જા)તા.૧૧  ૨૭- હિંમતનગરનાં તમામ મત વિસ્તાર ખાતે અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરશે.

************

સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી મિલકત પરથી ૨૫૮૨ હોર્ડિગ્સ –બેનરો દૂર કરાયા

            સમગ્ર રાજયમાં આદર્શ આચારસંહિતનો અમલ થતા જ રાજકીય પક્ષો તેમજ યોજનાકીય જાણકારી આપતી જાહેરખબરોને લગતા પોસ્ટર, હોર્ડિગ્સ બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ ૨૫૮૨  હોર્ડિગ્સ બેનર્સ  દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ખાનગી મિલકત પરથી ૧૧૮૧ હોર્ડિગ્સ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે.

***************
જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા ખર્ચ સંદર્ભે બેઠક યોજાઈ

******

સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ચાર વિધાનસભામાં રાજકીય પક્ષો આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરે ઉપસ્થિત માન્ય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણીલક્ષી સમજ આપી. ચૂંટણી પ્રક્રિયામાં રાષ્ટ્રીય પક્ષોની હાજરી અપેક્ષિત અને અનિવાર્ય છે – જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હિતેષ કોયા.

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે તારીખ ૪/૧૧/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રાજકીય પક્ષોની આદર્શ આચાર સંહિતા તથા ખર્ચ અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપકોંગ્રેસસી.પી.એમ, બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહજિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલાનાયબ ચૂંટણી અધિકારી દીપ્તિબેન પ્રજાપતિ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  અને એમ.સી.સી નોડેલ અધિકારીશ્રી પાટીદાર અને  ચૂંટણી સંબંધિત  અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી એસ.ઓ.પી. મુજબ ચર્ચા કરી હતી.

     આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને ગઈકાલથી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ ૧૦/૧૧/૨૦૨૨ ગુરુવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૭/૧૧/૨૦૨૨ ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ ૧૮/૧૧/૨૦૨૨ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ ૨૧/૧૧/૨૦૨૨ છે. મતદાનની તારીખ ૫/૧૨/૨૦૨૨ અને મત ગણતરીની તારીખ ૮/૧૨/૨૦૨૨ છે.

     આપણા જિલ્લામાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. જિલ્લામાં ચૂંટણી પારદર્શક મુક્ત અને ન્યાય પ્રક્રિયામાં યોજાય તે અંગે ચૂંટણીના તમામ તબક્કે રાજકીય પક્ષોની હાજરી અપેક્ષિત અને અનિવાર્ય છે. સ્ટ્રોંગ રૂમ ખોલવા ઇ.વી.એમ. રેન્ડમાઈઝેશન જેવી બાબતોમાં આપના અધિકૃત પ્રતિનિધિઓ ને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનું રહેશે અને સૌએ સહકાર આપવાનો રહેશે. ચૂંટણી તંત્રની ગાઈડલાઈન મુજબ લોકશાહી ઢબે કામગીરી કરવામાં આવશે. ખર્ચની બાબત,  કાયદો વ્યવસ્થા, જિલ્લા વહીવટીતંત્ર પાસે આર.ઓ પાસેથી ચૂંટણીલક્ષી મંજૂરી મેળવવાની પ્રક્રિયા માટે સિંગલ વિન્ડો તેમજ દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીઓની ઓફિસમાં જરૂરી મંજૂરી આપવા માટેની અધિકારી-કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

    આ ઉપરાંત જિલ્લામાં બેનર પોસ્ટર હોડિંગ હટાવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. પેડ હોડિંગ દૂર ન કરાશે પણ જયાં પણ આપના હોડિંગ લગાડેલા છે તેની જાણકારી આપવાની રહેશે અને કાયમી રાખવા માંગશે તો તેનો ખર્ચ પક્ષ અને ઉમેદવારના ખાતામાં ઉધારવાનું રહેશે પણ ઉમેદવાર જાહેર થયા પછી આ ખર્ચ ઉમેદવારનો ગણવાનો રહેશે અને સમાન તક આપવામાં આવશે.

    આ ઉપરાંત કોઈ પ્રાઇવેટ સોસાયટી કે મકાન પર હોડિંગ બેનર્સ પોસ્ટર લગાવતા પહેલા માલિકની સંમતિ અને પરવાનગી લેવાની રહેશે અને પરમિશન કોપી જે તે આર.ઓ.ને મોકલવાની રહેશે. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે વાહન પરમિશન જેવી પરમિશન લેવાની રહેશે અને છ થી દસ વાગ્યાના સમય પછી ક્લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પાંચ જ વ્યક્તિઓ જઈ શકશે, ત્રણ વાહનો કમ્પાઉન્ડમાં જઈ શકશે. આર.ટી.ઓ.ની જરૂરી મંજૂરી લેવી મંજૂરી માટે સુવિધા એપનો ઉપયોગ કરીને ઓનલાઈન ઓફલાઈન મંજૂરી મેળવી શકાશે.

     ખર્ચના નોડેલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ દ્વારા આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ ઉમેદવાર વિધાનસભાની અંદર ૪૦ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારો જ્યારે ઉમેદવારી પત્રો ભરે તેના આગલા દિવસે બેંકમાં પોતાના નામનું અલગ ખાતું ખોલાવવાનું રહેશે. એરેસ્ટેડ કોપી સાથે એકલું સિંગલ ખાતું અથવા ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલાવવાનું રહેશે. ચૂંટણી અંગેનું અલગ તેમાં નાણાકીય વ્યવહાર કરી શકાશે અને દરેક ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે. ખર્ચનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને ચૂંટણી અધિકારી ચકાસણી અર્થે બોલાવે ત્યારે આવવાનું રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસમાં સંપૂર્ણ હિસાબો રજૂ કરવાના રહેશે. આવું નહીં કરનાર સામે આઇ.પી.સી કલમ હેઠળ એફ.આઈ.આર પણ થઈ શકે છે અને ત્રણ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની પણ જોગવાઈ છે.

     પ્રસાર-પ્રચારનો ખર્ચ ઉમેદવારે રજીસ્ટરમાં લખવાનું રહેશે. દસ હજાર ઉપરનો રોકડનો ખર્ચ કરવાનો નથી. સ્ટાર પ્રચારક દ્વારા ઉમેદવારને મત આપવા માટેની અપીલ કરશે તો ઉમેદવારના ખાતામાં ખર્ચ ગણવાનો રહેશે. ઉમેદવાર હેલિકોપ્ટર કે પ્રચારકની ગાડીઓમાં બેસે તો ૫૦% ખર્ચ ઉમેદવારના ખાતામાં ઉધારવાનો રહેશે. રેલી ખર્ચ આવશે. રેલીમાં ખાનગી વાહન ધ્વજ,પોસ્ટર્સનો ખર્ચ ગણવાનો રહેશે. ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવશે. કોઈ  કિંમતી મોટી ભેટ આપે તો પણ જપ્ત થશે. ખર્ચ અંગે ભાગ-ક રોજે રોજના ખર્ચનું રજીસ્ટર ભાગ-ખ રોકડ વ્યવહાર અને ભાગ-ગ બેંક મારફત ટ્રાન્જેક્શન ની વિગતો ઉમેદવારોએ અથવા એજન્ટે ભરવાની રહેશે અને જ્યારે પણ ચૂંટણી તંત્ર દ્વારા કહેવામાં આવે ત્યારે ત્રણ વાર આ રજીસ્ટર અને હિસાબોનું ચેકિંગ કરવામાં આવશે અને જે એજન્ટની નિમણૂક કરો છો તેની અપ્રુવલ જે તે આર.ઓ. પાસેથી મેળવવાની રહેશે.

આમ આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને ચૂંટણી સંદર્ભે જરૂરી મંજૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે બેઠકમાં માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી. 

 

***********

આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી

સીરીઝ GJ09DK (2w) અને GJ09BK(4w)  હરાજી

  સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09DK (2w) અને  GJ09BK (4w) માં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ – ઓક્શન તા.  ૧૦ નવેમ્બર ૨૦૨૨થી શરૂ કરવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ  https://Parivahan.gov.in/fancynumber  પર ઓનલાઇન સી.એન.એ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે.

  પ્રક્રિયા તા. ૧૦ થી ૧૨ નવેમ્બર ૨૦૨૨ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા.  ૧૨ થી ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. તા. ૧૪ નવેમ્બર ૨૦૨૨ ના રોજ ઇ-ઓક્સનના નંબર ઓનલાઇન જ ફાળવી દેવામાં આવશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ રસીદ સાથે દિન-૦૫માં  જમા કરાવવાના રહેશે.

       વાહનની સેલ તારીખ અને વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી ઇ-ઓક્સનમાં ભાગ લઈ શકશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *