શ્રાવક ભાવેશભાઈ ભંડારી અને જીનલબેનની વેરાગી ગાથાનો આજે કાર્યક્રમ

 શ્રાવક ભાવેશભાઈ ભંડારી અને જીનલબેનની વેરાગી ગાથાનો આજે કાર્યક્રમ

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134  & 9106814640)

ભાવેશ ભંડારીના દીક્ષા સ્વીકાર મહોત્સવ પ્રસંગ નિમિત્તે બનેલા વિરોત્સવ નગર માં પહેલા દિવસે ભવ્ય મહા આરતી તેમજ ભાવેશભાઈ ભંડારી અને જીનલબેન નો જીવન પરિચય કરાવતો ફોટોગ્રાફ ગેલેરી પર મુલાકાત માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કરોડપતિ નગર શેઠ ભાવેશભાઈ ભંડારી અને તેમના ધર્મ પત્નીના બે બાળકો ભવ્ય અને દીકરી વિશ્વા એ આશરે બે વર્ષ પહેલા જૈન મુનિ અને જૈન સાધ્વીની દીક્ષા લઈ લીધી હતી.

આજે સાબર સોસાયટીના કોમન પ્લોટ પર ઉભી કરેલા વિરોધ્સવ નગરમાં દીક્ષાર્થીના મુખે તેમની વૈરાગ્ય ગાથા રાતના 8:00 વાગે કહેવાશે.

22 માર્ચના રોજ સવારના 8:00 amથી દીક્ષા લેનાર મુમુક્ષોનો વરસી દાન વરઘોડો છે અને ત્યારબાદ સ્વામી વાત્સલ્યનો પણ કાર્યક્રમ છે.

બધાને સાદર આમંત્રણ. જય જિનેન્દ્ર

 

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *