મા અંબાના સેવા કેમ્પમાં ધાણધા ફાટક પછી યાદગાર નાસ્તા અને ભોજન ભંડારો સેવા
ઇડર ખાતે આયુષ્યમાન ભારતની ટીમે મુલાકાત કરી હતી

નીરવ જોષી, હિંમતનગર
ગત 28 સપ્ટેમ્બરના રોજ ઇડર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયુષ્યમાન ભારત સરકારના કાર્યક્રમ સંદર્ભે સમગ્ર રાષ્ટ્ર કક્ષાએથી મોનીટરીંગ માટે એક ટીમ મોકલવામાં આવી હતી. આ ટીમના સદસ્યોમાં દિલ્હી – આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ડૉ. અગ્રિમા રૈના (મેડમ consultant-એડોલ્સન્સ & હેલ્પ )સાથે સ્ટેટ ટીમમાં આરોગ્ય કમિશનર કચેરી ગાંધીનગરના પ્રો. ઓ.ડૉ.મુકેશભાઈ જાદવ અને જિલ્લાની ટીમમાં RCHO ડૉ.જયેશ પરમાર ટીમ પણ જોડાયા હતા.
આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રાથમિક શિક્ષકો માં આરોગ્યલક્ષી જાગૃતિ આવે અને બાળકોમાં શિક્ષણ વડે સારી તાલીમ મળે, નવા વિચારોનું વાવેતર થાય તેવા શુભ આશયથી અને તે અનૂસંગિક તાલીમ આપવાના હેતુથી વિગતવાર માહિતીની આપ-લે કરી હતી.
DIET ઈડર ની મુલાકાત દરમિયાન પ્રાચાર્ય શ્રી કે.ટી. પોરાણીયા સરે આવકાર બાદ યોજાયેલ આયુષ્યમાન ભારત તાલીમ ની વિગતે રજૂઆત ડૉ.એમ.જી.ચૌહાણએ PPT દ્વારા કરી હતી.અંતે શ્રેયાન લેક્ચરર અશ્વિનભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો પ્રતિ આભાર વિધિ કરી હતી.