સવગઢ ગામે બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

તાજેતરમાં બીજી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં હનુમાન જયંતિ ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ હનુમાન ભક્તોએ ભક્તિપૂર્વ હનુમાન દાદાના મંદિર શણગારીને ગામના લોકોને આમંત્રણ આપીને હનુમાન જયંતીની ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી. હિંમતનગર તાલુકાના પાણપુર ગામે જે સવગઢ તરીકે પણ ઓળખાય છે, ત્યાં આવેલા બાલા હનુમાન મંદિરે પ્રજાપતિ સમાજ, દરજી સમાજ તેમજ પંચાલ સમાજ અને અન્ય હિન્દુ ભક્તો વડે હનુમાન દાદાની જયંતિ ની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાણપુર ગામના મુસ્લિમ બિરાદરો એ પણ હનુમાન દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો

ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ, દરજી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી પર હવન ,પૂજન ,મહા આરતી અને મંદિરના શિખરે નવી ધ્વજાને હનુમાન દાદાને અર્પણ કરીને ભક્તિ ભાવપૂર્વક હનુમાન જયંતિ નો લાભ લીધો હતો, તેમજ મહાપ્રસાદ પણ ભક્તોને ભાવપૂર્વક કરાવ્યો હતો.

સવગઢ ગામમાં અમુક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના હિન્દુઓ હવે બ્રહ્માણી નગરમાં રહે છે, પરંતુ તેમના વતન પાણપુરમાં હનુમાન મંદિરે અચૂક હનુમાન જયંતી ઉજવવા મોટી સંખ્યામાં હાજરી આપે છે અને મિત્રોને પણ સાથે લઈ હનુમાન જયંતિ ને ભવ્ય બનાવે છે. ભક્તોની હાજરીથી હનુમાન મંદિર ખૂબ જ ભક્તિ વાતાવરણ જીવંત બની ગયું હતું. વડીલોની સાથે યુવાનોએ પણ હનુમાન જયંતિ માં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

પૂજારીનો સંપર્ક : ભરતભાઈ પ્રજાપતિ- 8460817829

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच