જીપીએસસીમાં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે – જીગ્નેશ મેવાણી

સંકલન: નિરવ જોશી (ગાંધીનગર, M-9106814540)

*જિજ્ઞેશ મેવાણીની આજે ગૃહમાં રજુઆત* 

મહાડના સત્યાગ્રહને સો વર્ષ થયા છતાં ગુજરાતમાંથી અશ્પૃશ્યતાનું કલંક દૂર થતું નથી

લોકોનું માનસ બદલવા ફૂલે, પેરિયાર, આંબેડકર ભણવો

જીપીએસસી માં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે

માનનીય અધ્યક્ષશ્રી, અનુસુચિત જાતિના બજેટમાં, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં હું મારા વિચારો રજૂ કરું છું.

સૌ પ્રથમ તો ગુજરાતના ૧૩ લાખ જેટલા દિવ્યાંગોને રાજસ્થાન દિલ્હી, ઉત્તર પ્રદેશમાં જે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજયો છે એ પ્રમાણે ગુજરાતમાં પણ એમનું પેન્શન શરૂ થાય એવી એમની લાગણી છે. બે દિવસ પહેલાં ગાંધીનગરના એક ધરણામાં ગયા હતા તેમની લાગણી અહીં મૂકું છું કે સરકાર એને કન્સીડર કરે અને મહિને પાંચેક હજાર સુધીનું એમને પેન્શન શરૂ કરવામાં આવે. ઉનાના દસ વર્ષ આ વર્ષે થશે અને અસ્પૃશ્યતા નાબૂદીના ઐતિહાસિક મહારના સત્યાગ્રહને સો વર્ષ થશે.

મહારના ઐતિહાસિક સત્યાગ્રહને સો વર્ષ થવા આવ્યા પણ આજે પણ ગુજરાતના હજારો ગામમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર નથી થયું. આ સન્માનનીય વખત રજૂઆત કરી છે કે મારું ચીંધેલું નહીં, રાજય સરકાર પોતાની ચોઇ પોતાની પસંદગીનું કોઇપણ એક ગામ અસ્પૃશ્યતામુકત કરી બતાવે અને પછી આગળ જતા ગુજરાતના તમામ ગામ આપણે આભડછેટ મુકત કરીશું એવી કમિટમેન્ટ બતાવે પણ રાજય સરકાર તરફથી આટલા વર્ષોમાં કદી કમિટમેન્ટ જોવા મળી નથી અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાતના કોઇપણ જિલ્લાના કોઇપણ તાલુકામાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઇ જ કેમ્પેઇન કે ડ્રાઇવ ચાલતી નથી. ઉનાકાંડને દસ વર્ષ થશે. માનનીય તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેને મુખ્યમંત્રીની કેપેસીટીમાં ઉનાઈ અને ઉનાના પીડિતોને વચન આપ્યા હતા એ વચનો ગુજરાત સરકારના પાક્ષિકમાં પ્રકાશિત થયા કેસ ચાલશે પણ આજે દસ કૈ તમને ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું. ફાસ્ટ્રેક કોર્ટમાં યો ઉના કાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી, ટ્રાયલ પૂરી નથી થઇ.

જમીનોમાં ના માપણી થાય છે, ના કબજા સોંપાય છે, ના એ અસામાજિક તત્વોની સામે ગુના દાખલ કરવામાં આવે છે. કોઇપણ વ્યકિતની પ્રોપર્ટીમાં અન્ય ઇસમ ઘુસી જાય તો બી.એન.એસ. મુજબ પણ ઓફેન્સ બને છે, આદિવાસી કે દલિતની જમીનમાં ધુસે તો એટ્રોસીટી એકટ મુજબ પણ ઓફેન્સ બને છે અને હવે તો લેન્ડ ગ્રેબીંગનો કાયદો આવ્યો પણ બી.એન.એસ. એટ્રોસીટી એકટ અને લેન્ડ ગ્રેબીંગ જયારે ભોગ બનનાર એ પીડિત દલિત હોય ત્યારે જમીનના પ્રકરણમાં મદદરૂપ બનતા નથી. સતત આ ગૃહમાં મેં રજૂઆત કરી છે કે આજે પણ ૫૦૦-૭૦૦ જેવી નજીવી રકમ ખાતર વાલ્મિકી સમાજના સફાઇ કામદારનું ગટરમાં ઉતરીને મોત થાય છે. વિજ્ઞાન એટલું બધું એડવાન્સ થયું છે, એટલી બધી ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે, આપણા દેશમાં રોબોટસ મશીનો, આધુનિક સામગ્રી ઉપલબ્ધ થઇ ચૂકી છે કે કોઇપણ સફાઇ કામદારે ગટરમાં ઊતરવું ના પડે એ છતાં વારંવારની દરેક સત્રની રજૂઆત છતાં રાજયની સરકાર સફાઇ કામદારે ગટરમાં ઉત રવા રોબોટસ કે મશીનો વસાવતી નથી. જે સફાઇ કામદારોના ગટરમાં મૃત્યુ થયા કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરની પડે એના માટેના કરણને બાદ કરતા સુપ્રિમ ઐકાદ કિસ્સાને બાદ કરતા ગુના દાખલ કરવામાં આવતા નથી અને એમની સામે ટ્રાયલ ચાલી હોય, કન્વીકશન થયું હોય એવો ગુજરાતમાં કોઇ સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં દાખલો નથી. માથે મેલુંનો પ્રશ્ન પણ અસ્પૃશ્યતાની જેવો ગુજરાતના મોટાભાગના શહેરોમાં કે જે નાના ટાઉન છે ત્યાં પણ જયાં ટોયલેટસ નથી, જે લોકો ખુલ્લામાં શૌચ કરે છે એ કોણ ઉપાડે છે? એ ગુજરાતન લેત સમાજનો વ્યકિત ઉપાડે છે તો માથે મેલાની નાબૂદી માટે એસ.સી., એસ.ટી. સબપ્લાનના કરોડો અન્ય કામોમાં ખર્ચાઇ ગયા.

આ જ ગૃહમાં અમારા સાથી શ્રી નૌશાદભાઇ હતા ત્યારે તેઓ એક પ્રાઇવેટ મેમ્બર બીલ લાવ્યા હતા. એને સરકારે સપોર્ટ ન કર્યો. એસ.સી./એસ.ટી. સબપ્લાન ન બન્યો પણ એસ.સી./એસ.ટી.ના નાણા બીજા કામોમાં નહિ ખર્ચાય એ સુનિશ્ચિત કરવાના વર્ષ ૨૦૧૫ના પરિપત્રનું પણ પાલન નથી થઇ રહ્યું. આ ગૃહમાં ખાસ એક માગણી કરવા માગું છું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એ નવી યોજના લાવે એ આવકાર્ય છે પણ એનું મૂળ કામ સમાજમાં પ્રવર્તતા ભેદભાવ ખતમ કરવાનું સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. આજે પણ ગુજરાતનો દલિત ફક્ત એટલા કારણોસર માર ખાય છે કે એને ઘોડી ચડવાનું મન થયું. લગ્નનો પ્રસંગ એનો, ઘોડો એનો, એને ચડવું છે અને છતાં અન્ય સમાજના કોઇ માણસને વાંકું પડે છે અને એ ’ વાંકું પડે છે’ એની પાછળનું જે માનસ છે એ બદલીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય. એના માટે માનનીય પ્રધુમનભાઇ પાસે એક અદભૂત તક છે. એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પણ છે અને શિક્ષણ વિભાગના પણ મંત્રી છે તે કે ફૂલે, આંબેડકર, પેરિયાર, રવિદાસ, નાનક અને કબીરના પાઠ ભણાવવા હું એમને વિનંતી કરું છું આવે, એવી ટેક્સ્ટબુક આપણા ગુજરાતમાં આવે તો ગુજરાતની જનતાનું જનમાનસ બદલાય. લાંબા સયમથી બુદ્ધિષ્ઠોની પણ માગણી છે કે ગુજરાતમાં બુદ્ધપૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે. એ પણ માઇનોરિટી છે. એના માટે પણ બજેટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જી.પી.એસ.સી.માં કેટલાક દ્રોણાચાર્ય એવા બેઠાં છે કે જે આજે પણ ઓ.બી.સી., આદિવાસી અને દલિત સમાજના એકલવ્યોને નિત્થાનો બનાવે છે. આ આપણા ગુજરાતમાં ન થાય એટલું સરકાર સુનિશ્ચિત કરે એવી માગણી કરું છું.

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच