હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું યાદગાર આયોજન અને હિન્દુ અસ્મિતાનો સંકલ્પ

સંકલન: નીરવ જોશી, હિંમતનગર M-9106814540

હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા સંદર્ભે સમગ્ર ગુજરાત અને ભારતમાં અનેક રાજ્યો / વિસ્તારોમાં હિન્દુ સંમેલન સફળતાપૂર્વક આયોજન

હિંમતનગરના ગોકુલનગર વિસ્તારનું હિન્દુ સંમેલન શાંતિનગર સોસાયટીના કોમન પ્લોટ માં દબદબાભેર યોજાયું. જેમાં મુખ્ય અતિથિ પદે જયંતીભાઈ જે. પટેલ (નિવૃત્ત જિલ્લા રજીસ્ટ્રારશ્રી) મુખ્ય વક્તા પદે કૈલાશભાઈ ત્રિવેદી (ગુજરાત પ્રાંત કાર્યકારિણી સદસ્ય,આર.એસ.એસ.) માતૃશક્તિ પદે શ્રીમતી ઉર્વશીબેન ત્રિવેદી (ઉપાધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, સાબરકાંઠા જિલ્લો) તેમજ વિસ્તારના ગણ માન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત શંખનાદના મંગલ ધ્વનિ સાથે ભારત માતાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો.

સંમેલનના સંયોજક નયનભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકારી સંમેલનની યથાર્થતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગણેશ સ્તોત્ર, નાટીકા તેમજ તલવાર કૌશલ્યના સુંદર પ્રયોગો રજૂ થયા હતા.

વક્તાઓએ હિંદુ એ સંસ્કૃતિ અને જીવન જીવવાની પદ્ધતિ છે એમ જણાવેલ સાથે મુખ્ય વક્તા દ્વારા સમાજ ને પંચ પરિવર્તન માં સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સમરસતા અને નાગરિક કર્તવ્ય ની વાત પોતાના વક્તવ્ય માં જણાવી સાથે દેશભક્તિ જાગૃત કરતા પ્રવચનો રજૂ કર્યા હતા .

કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. અરવિંદ એસ. પટેલ દ્વારા કરવામાં આવ્યું,

આભાર વિધિ સહસંયોજક પ્રમોદભાઈ જી. પટેલે કરી હતી, કાર્યક્રમ ના અંત માં ભારત માતા ની આરતી કરવામાં આવી હતી, આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ધર્મ પ્રેમી ભાઈ બહેનોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

આવનારા દિવસોમાં દેશ માટે નક્કર કંઈક કરી છૂટવાની કરી ભાવના સાથે સૌએ કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કર્યો હતો. સંમેલનને સફળ બનાવવા માટે હિન્દુ સંમેલન સમિતિ, शांतिनगर societyना युवा वर्ग अन्य कार्यकर्ता અને સૌ બીજી સોસાયટીના હિન્દુ કાર્યકર્તા મિત્રોએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો તેમજ ફરાળી ચેવડા અને ચીકીના પેકેટનું વિતરણ પણ કર્યું હતું.

આગામી 28 ફેબ્રુઆરીના રોજ હિંમતનગરના મહેતાપૂરા ખાતે પણ ભવ્ય હિન્દુ સંમેલન આયોજિત થનાર છે.

આ પહેલા 22 ફેબ્રુઆરીના રોજ NG એન્જિ સર્કલ પાસે બ્રહ્માણીનગર વિરાટ હિન્દુ સંમેલન સફળતાપૂર્વક આયોજિત થઈ ગયું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ બાળકો ,ભાઈ ,બહેનો તેમજ વડીલો હાજર રહ્યા હતા.

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच