નીરવ જોશી, હિંમતનગર (M-910684540
આજરોજ મહાકાળી મંદિર એકલારા નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો બીજો દિવસ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને સમાપન થયું હતું. આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે …જેમાં સવારે 8:30 થી ચાર વાગ્યા સુધી નવ કુંડી પ્રાણ પ્રતિષ્ઠા હવનનું સમર્પણ થશે. માં મહાકાલી નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને સર્વે ભક્તો મહાપ્રસાદ લઈને છૂટા પડશે.
એકલારા નવયુવક મંડળ એ આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને સમગ્ર એકલારા ના મહાકાળી ભક્તોએ ફાળો આપીને પોતાના ગામના મહાકાલી દેવીના મંદિરના પુનઃ નિર્માણ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ ભાવભક્તિપૂર્વક સામેલ થયા હતા. થોડા વર્ષો પહેલા આ મંદિર ઘણી ખરાબ હાલતમાં હતું જેથી ભક્તોએ સમગ્ર ગામના મહાકાલી ભક્તોએ ભેગા થઈને આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું નિર્ધારિત કર્યું હતું અને તેમાં તેમણે સફળતા મળી હતી..
