ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

 ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

ગીતા જયંતીના જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઇડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીતા જયંતીના અવસરે ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં ગીતા જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગીતામાં આપવામાં આવેલા ઉપદેશોનું અનુસરણ કરી જીવન ઉન્નત બનાવીએ અન્યને પણ મદદ કરીએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વાત કરે છે કે વિકાસ કરવાનો છે, પણ સાથે વિરાસત પણ જાળવી ને વિકાસ કરવાનો છે. આ સંસ્કૃત ભાષા આપણી વિરાસત છે. આ વિરાસત જાળવવાની જવાબદારી આપણા સૌની છે.

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃત કોડિંગની ભાષા બની રહી છે. સંસ્કૃત એ સંસ્કૃતીની ભાષા છે. વૈદિક ભાષા છે. ભાષાઓની જનની છે. જેને સંસ્કૃત ભાષા શીખી લીધી તે તમામ ભાષા શીખી શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે પણ આપણા દેશમાં સંસ્કૃત ભાષાના વિધ્વાનો રહેલા છે. જે આપણી આ સમૃધ્ધ ભાષાને જાણે અને તેને જનજન સુધી પહોંચાડી રહ્યા છે.

આ પ્રસંગે વક્તા શ્રી પારૂલબેન શુક્લા અને પ્રો. શ્રી અરવિંદભાઇ પટેલે ગીતા જયંતી અને સંસ્કૃત ભાષાના મહત્વ પર સુંદર વક્તવ્ય પાઠવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી હિમાંશુ નિનામા, ઇડર તા.પં પ્રમુખશ્રી કાંતીભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેયુર ઉપાધ્યાય, ડાયેટ પ્રાચાર્યશ્રી મદનસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી પ્રકાશભાઇ પરમાર, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગર શહેરમાં પણ ગીતા જયંતી પર સ્વાધ્યાય પરિવાર સમગ્ર ગીતાના 18 અધ્યાયનું સામુદાયિક પારાયણ સાંજે 5 થી 9 દરમિયાન તત્વ તીર્થ હોલ શારદા કુંજ સોસાયટી ખાતે કરશે. મહાવીર નગર ચાર રસ્તા પાસે જગન્નાથ ધામ ના ભક્તો ઇસ્કોન સંસ્થા પ્રકાશિત ભગવત ગીતા ગ્રંથનું વિતરણ પણ સમગ્ર દિવસ દરમિયાન કરવાના છે. આ ઉપરાંત શહેરના અન્ય મંદિરોમાં પણ ભગવદ ગીતા જયંતી ઉજવાઈ રહી છે.


 

હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના કરાટે ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: ખેલ મહાકુંભ ૨૦૨૫

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત , રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ થી ૫૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધાનું ટેક્નિકલ સંચાલન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે કરાટે ડો ફેડરેશન ગુજરાત (KDF) અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝર (KIO) નું સભ્ય છે. સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની અલગ-અલગ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અલગ-અલગ વયજૂથ તથા વજનગૃપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ હવે આગામી રાજ્યકક્ષા ખેલમહાકુંભ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાનું પ્રતિધિત્વ કરશે.

આ પ્રસંગે રમત ગમત અધિકારી સાબરકાંઠા ત્રિવેણીબેન સરવૈયા, કન્વીનર જુજારસિંહ વાઘેલા, કીર્તિસિંહ વાઘેલા , નટુભાઇ સડાત, નિકુજભાઈ પટેલ, અલ્પેશ રામાણી, તખતસિંહ રાઠોડ સહિત્ના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच