બ્રહ્મસમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહમિલન કાર્યક્રમ

નીરવ જોશી,હિંમતનગર (M-7838880134 & 9106814540)

આજના સમયમાં ભણતરની સાથે સાથે બાળકોના મન અને ઉત્સાહને દિશા આપે તેવા કાર્યક્રમોની પણ જરૂર છે આવા જ એક કાર્યક્રમ અંતર્ગત સમસ્ત બ્રહ્મ સમાજ હિમતનગર દ્વારા વિદ્યા ઉત્તેજક ઇનામ વિતરણ સ્નેહ મિલન કાર્યક્રમ તા.15-09-24 રવિવાર ના રોજ હિમતનગર ટાઉન હોલ ખાતે આયોજિત કરાયો હતો.

જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ધર્મેન્દ્ર ભાઈ જોષી કહ્યું હતું કે આજનો જમાનો Artificial intelligence નો છે, જેથી આપણે તન અને મનની સાથે સાથે મગજ પર વધુ ભાર આપવો પડશે.

પ્રમુખ મુકેશ ભાઈ જાનીએ બ્રહ્મ સમાજ માં વિવિધ કાર્યક્રમોની પ્રોજેક્ટર પર આછી ઝલક આપી પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર,પ્રફુલભાઇ વ્યાસ , સર્વાનંદભાઈ ભટ્ટ અને ડૉ.વિપુલભાઈ જાનીની ઉપસ્થિતિ રહેલ.


સંજયભાઈ વેદિયાએ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરેલ.
ભરતભાઇ ભટ્ટ પંકજભાઈ મહેતા અને રીટાબેન જોષી એ સ્પર્ધક વિજેતાઓ ની જાહેરાત કરી હતી મહામંત્રી જયંતભાઈ જોષીએ દાતાઓ તથા સમગ્ર બ્રહ્મ બંધુઓનો આભાર માન્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

1 Comment

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच