જુનાગઢ: પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે આ મંત્રીના હસ્તે ઉજવણી કરાઈ

 જુનાગઢ: પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે આ મંત્રીના હસ્તે ઉજવણી કરાઈ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં રાજ્ય અગ્રેસર: ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકારનો પુરુષાર્થ: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી શ્રી રાઘવજીભાઈ પટેલની
ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે ઉજવણી કરાઈ

જિલ્લામાં દેશભક્તિના માહોલમાં ૭૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી: મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન

પોલીસનો અશ્વ શો, માર્ચ પાસ્ટ, અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો


જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્રપ્રેમના માહોલમાં ૭૪ મા પ્રજાસત્તાક દિનની જિલ્લા ની ઉજવણી વંથલીના સીડ ફાર્મ ગ્રાઉન્ડમાં જુનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્વજ વંદન કરી તિરંગા ને સલામી આપી જિલ્લાના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકાર પુરુષાર્થ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે .મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં વિકાસની નવી ઊંચાઈએ છે. શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતના વિકાસના પાયામાં છે.


મંત્રી શ્રીએ કૃષિ વિકાસની વાત કરતા કહ્યું કે કૃષિ ક્ષેત્રે ગુજરાતે સિદ્ધિઓ મેળવી છે. ખેડૂતો માટેની અનેક કલ્યાણકારી યોજના અમલમાં છે અને તેના લાભો થકી ખેડૂતો ડિજિટલ અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. મંત્રી શ્રી એ ખેડૂતોની આવક વધારવા સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક યોજના સહિત ખેડૂતોની સમૃદ્ધિ માટે ખેડૂતોના હિતકારી નિર્ણયો ની વિગતો આપી હતી.


મંત્રી શ્રી એ પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખુલી જીપમાં પરેડ નિરીક્ષણ વેળાએ કલેકટર શ્રી રચિત રાજ, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે રહ્યાં હતા.
રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે વંથલી અને આજુબાજુના વિસ્તારની શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિત રંગારંગ કાર્યક્રમની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. મંત્રીશ્રીના હસ્તે રેવન્યુ પોલીસ અને વિવિધ વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ કોટેચા, અધિક કલેકટર શ્રી એમ.બી બાભણીયા, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *