પણ હવે રેટિયો જ ખોવાયો

 પણ હવે રેટિયો જ ખોવાયો

હેમંતભાઈ ઉપાધ્યાય, અમદાવાદ

પણ હવે રેટિયો જ ખોવાયો!!!

ચરખો એ એક હાથ વડે ચલાવી શકાતું યંત્ર છે, જેના વડે કપાસના રૂમાંથી બનાવેલ પૂણીને કાંતીને સૂતર તૈયાર કરી શકાય છે.

ચરખાનો ઉપયોગ કુટિર ઉદ્યોગ સ્વરુપે આપણા દેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારત દેશના સ્વતંત્રતા સંગ્રામના સમયે ચરખો આર્થિક સ્વાવલંબનનું પ્રતીક બની ગયો હતો.

ચરખાની શોધ અને વિકાસ કેવી રીતે અને ક્યારે થયો, એ માટે ચરખા સંઘ દ્વારા ઘણા સંશોધનો તેમ જ તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પ્રમાણે અંગ્રેજોના ભારત આવવા પહેલાંના સમયથી જ ભારત ભરમાં ચરખાનું ચલણ પ્રચલિત હતું.

ઈ.સ. ૧૫૦૦ સુધી ખાદીવણાટ અને હસ્તકલાનો ઉદ્યોગ પૂર્ણ રીતે વિકસીત હતો. સને ૧૭૦૨માં એકલા ઈંગ્લેન્ડમાંથી ભારતમાં બનેલી ૧૦,૫૩,૭૨૫ પાઉન્ડ જેટલા મૂલ્યની ખાદી ખરીદવામાં આવી હતી. માર્કોપોલો અને ટૈવર્નિયર જેવા વિદેશીઓએ ખાદી માટે કવિતાઓ પણ લખી છે. ટૈવર્નિયરની ડાયરીમાં ખાદીના વસ્ત્રની મૃદુતા, મજબૂતાઈ, બારીકાઈ અને પારદર્શિતાની ઘણી પ્રસંશા કરવામાં આવી હતી.

ગાંધી વિચાર આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા સ્વતંત્રતા પહેલાં હતા. જોકે ગાંધીજીનો રેંટિયો આજની યંગ જનરેશનને અલગ કારણોસર આકર્ષી રહ્યો છે. સાબરમતી આશ્રમની મુલાકાતે આવનારા લોકો ગાંધીસ્મૃતિ તરીકે ચરખા ખરીદવાનું વધુ પ્રિફર કરે છે. છેલ્લા દસ મહિનામાં આશ્રમમાંથી ૪૦૦૦થી વધુ નાનામોટા ચરખા વેચાયા છે.

એક સમયે રેંટિયો સ્વદેશીના મંત્રનું મુખ્ય સાધન હતું, જ્યારે હવે એ સ્પિરિચ્યુઅલ સફરનું સાધન છે. રોજ બ્રાહ્મ મુરતમાં ઊઠીને રેંટિયો ખોલીને કાંતણનું કામ કરી પરમાત્મા સાથે એકાત્મતા સાધવા સાથે આશીર્વાદ મેળવવાનો અનુભવ થાય
રેંટિયો ચલાવીએ ત્યારે રૂમાંથી રેસા ધીમે-ધીમે પસાર થાય છે. આ ક્રિયા સાથે તમે જોડાઓ એટલે એની કિંમત તમને ખબર પડે. રૂ કાંતતાં જેટલો સમય આપ્યો એ દરમ્યાન આંખોનું, આંગળીઓનું જોડાણ રેંટિયા સાથે થાય રેંટિયાનો સ્પર્શ અનોખો હોય છે.

આપણે ખૂબ ગતિમાં જીવીએ છીએ, પણ રેંટિયો ધીમા બનવાનું શીખવે છે. રેંટિયાનાં વસ્ત્રો અદ્ભુત હોય છે. હાથે કાંતીને વસ્ત્રો બને એનો ઉઠાવ અલગ હોય છે. આંખો એની પવિત્રતા ઓળખી જશે.

‘ગાંધીબાપુએ ચરખાને ડિવાઇન ટૂલ કહ્યું છે. એમાં ગીતા પણ છે. ગીતાનાં કર્મ, ફળ અને ત્યાગની વાત છે. માયાનો ત્યાગ કરો. અહીં આના દ્વારા છોડતા જવાની વાત આવે છે. કાંતણ ક્રિયા પવિત્ર છે. રેસો નાનો છે પણ એ શિસ્તબદ્ધ છે અને વિવેકથી યાત્રા કરે છે. રેસાઓનો સ્પર્શ કરજો, કંઈક જુદી જ લાગણી અનુભવશો.

ગાંધીજીએ રેંટિયામાં દરિદ્રનારાયણનો વિચાર કેન્દ્રસ્થાને મૂક્યો હતો. ગાંધીબાપુએ કહ્યું હતું કે ‘હૃદયરોગ, માનસિક રોગ માટે રેંટિયો કામનો છે. માઇન્ડ ઍક્ટિવ કરે છે. રેંટિયાથી આંખની એક્સરસાઇઝ થાય છે. દોરા નીકળે ત્યારે દૃષ્ટિની કસરત થાય છે.’

‘બ્રિટિશરોએ વણાટ ઉદ્યોગ તોડી નાખ્યો હતો. એને સજીવન કરવાનો ગાંધીબાપુનો ઉદ્દેશ હતો. ગાંધીજીને લાગ્યું કે દેશને સ્વાવલંબી કરવા આ રેંટિયો જરૂરી છે અને એના દ્વારા કાંતણ–વણાટ ઉદ્યોગ ફરીથી શરૂ કરવાનો બાપુનો પ્રયત્ન હતો.

સાબરમતી આશ્રમમાં આ ઉદ્યોગને સજીવન કરવા ગાંધીજીએ પ્રયત્ન શરૂ કર્યા હતા અને તેઓ રેંટિયા માટે એવું કહેતા કે મારો ખોવાયેલો મિત્ર મળી ગયો.’

તસવીર- હેમંત ઉપાધ્યાય

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *