વૈદરાજ જેમણે હજારો દર્દીઓના સ્વાદુપિંડનો સોજો-Pancreatitisનો કર્યો આર્યુવેદિક અકસીર ઉપચાર!

 વૈદરાજ જેમણે હજારો દર્દીઓના સ્વાદુપિંડનો સોજો-Pancreatitisનો કર્યો આર્યુવેદિક અકસીર ઉપચાર!

નીરવ જોષી, ગાંધીનગર

joshinirav1607@gmail.com (9106814540)

મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ ઉતરાખંડ સ્થાયી થયેલા વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશ નામના વિદ્વાન વૈદ ઋષિ ગુજરાતના ઘર આંગણે મહેમાન બન્યા છે! હાલમાં છેલ્લા ત્રણ દિવસ પહેલા શરૂ થયેલી આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ગ્લોબલ આયુર્વેદ innovation- ઇનોવેશન summit- 2022 મા તેમણે હાજરી આપી હતી.

અસાધ્ય રોગોની વાત કરીએ તો બ્લડ કેન્સર તેમજ છેલ્લા ઘણા વર્ષોથી સ્વાદુપિંડના સોજાને જેને અંગ્રેજીમાં પેનક્રિયાસ-  Pancreatitis કહેવાય છે એના રોગીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ખૂબ વધુ પડતું દારૂનું સેવન તેમજ આનુવંશિક બીમારીને લીધે  Pancreatitis નામનો રોગ થાય છે. આ રોગના લક્ષણો માં સ્વાદુપિંડના એટલે કે પેન્ક્રિયાઝની ઉપર સોજો આવી જાય છે ..પરિણામે દર્દી પાણી પણ પી શકતું નથી! અને તે ખૂબ જ રીતે હેરાન થાય છે… એટલે સુધી કે એને પાણી પીવામાં આવે તો તરત જ ઊલટી થઈ જાય છે અને કેટલીક વખત દર્દીની અમુક ખરાબ હાલતમાં તો મોત પણ થઈ જાય છે….

આવા અસહ્ય વિકટ સંજોગોમાં  દર્દીને સાજો કરવા માટે એલોપેથીમાં કાયમી જડમૂળથી દૂર કરવાનો કેમિકલવાળી દવાઓનો કોઈ કાયમી કે આડઅસર વાળો ઉપાય નથી ત્યારે આયુર્વેદ આવા રોગમાં પણ ખૂબ કારગર સાબિત થયું છે… તેનો જીવતો જાગતો પુરાવો છે વૈદરાજ વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશજી નો 30થી થી વધુ વરસનો આયુર્વેદાચાર્ય નો અકસીર તેમજ સિદ્ધહસ્ત અનુભવ જે ભારતના પાંચ વેદ તરીકે ઓળખાતા આર્યુવેદમાંથી તેમણે જાણ્યું છે અને આત્મસાત કર્યો છે!

વૈદરાજ બાલ ઇન્દુ પ્રકાશ ને ૧૯૯૯માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી તેમની આયુર્વેદના જ્ઞાનને લીધે પુરસ્ક્રૂત કર્યા હતા.
સોશિયલ મીડિયાની સાઈટ-YouTube,Google,Twitter ઉપર પણ તેમનો પરિચય સર્ચ કરવાથી જોવા મળી શકે છે!

પારો,ગંધક તેમજ તાંબાના મિશ્રણથી વૈધ વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશજી એ એવી આયુર્વેદિક ઔષધી તૈયાર કરી હતી કે જેના કારણે તેમને ચૌદસો થી પણ વધારે દર્દીઓને છેલ્લા ૨૫ વર્ષમાં સાજા કર્યા હતા! અને તેમના કહેવા મુજબ તેમણે આવા ઘણા દર્દીઓના લાખો નહીં પણ કરોડો રૂપિયા બચાવ્યા છે! એક અંદાજ મુજબ તેમણે 90 કરોડથી પણ વધારે રૂપિયા    Pancreatitis દર્દીઓનાના આર્યુવેદિક ઉપચાર વડે બચાવીને તેમના જીવનને આર્યુવેદના આશીર્વાદ વળી સુરક્ષિત કર્યું છે !

આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં Pancreatitis ના અકસીર ઇલાજ માટે તેમનું નામ ખૂબ જ પ્રસિદ્ધ થયું છે સમગ્ર વિશ્વમાં તેમના સંશોધનને આદરપૂર્વક જોવામાં આવે છે! આવા આયુર્વેદને ખુબ ગૌરવ નું સ્થાન અપાવનારા વૈદરાજ ગુજરાતના આંગણે મહેમાન બન્યા હતા અને હાલ ગુજરાતમાં જ છે! તેમણે આયુષ મંત્રાલયના આ કાર્યક્રમમાં ત્રણ દિવસ હાજરી આપી હતી અને પોતાના અમૂલ્ય સૂચનો પણ જણાવ્યા હતા. હાલમાં વૈદરાજ નું રુદ્રપુર ખાતે ક્લિનિક – મોટી હોસ્પિટલ છે જ્યાં Pancreatitis દર્દીની એક,દોઢ લાખથી બે લાખ માં પૂરેપૂરી સારવાર થાય છે!

મને છેલ્લા ત્રણ દિવસ પહેલા મારી ઓળખાણના એક અમદાવાદી ભાઈનું મારા પર ફોન આવ્યો અને જણાવ્યું નિરવભાઈ… મારે પોતાની જ સાચી વાત કહું કે હું Pancreatitis થી ૧૬ વર્ષની ઉમ્મરથી જ બીમાર હતો! હાલ મારી ઉંમર ૩૪ વર્ષની થઈ અને એમને એટલે કે વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશજી એ મારી ઉત્તરાખંડમાં સારવાર કરી અને અસાધ્ય રોગ મટાડ્યું છે તો આપ ચોક્કસ આવા સિદ્ધહસ્ત આર્યુવેદ આચાર્યના પ્રસિદ્ધ સારવાર કાર્ય વિશે જાણો અને એમના વિશે લખો જેથી કરીને ગુજરાતના પણ હજારો દર્દીઓને પણ એક સાચા આર્યુવેદિક ઔષધિ આપનારા વૈધ ઋષિનું સાચી માહિતી મળે અને ભવિષ્યમાં જેનો ઉપયોગ કે તેઓ ઉત્તરાખંડ માં જઈને સ્વાદુપિંડના સોજા ની બીમારી ની સારવાર લઇ શકે!

તેમની દીકરી શિખા બાલ ઇન્દુ પ્રકાશ પણ દેરાદુન માં હોસ્પિટલ ચલાવે છે બાપ – દીકરી ખૂબ જ સક્રિય  બ્લડ કેન્સરથી અને Pancreatitis સંકળાયેલા દર્દીઓની સારવાર કરે છે! તેમજ હજારો દર્દીઓને સાજા કર્યા છે. તેઓ ના આશીર્વાદ મળ્યા છે !
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી પણ ઘણા દર્દીઓ એલોપેથી કંટાળીને

વૈદરાજ વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશ પાસે સારવાર લઇ ચૂક્યા છે અને સ્વાદુપિંડ સોજાના અસાધ્ય રોગથી થી બે-ત્રણ વર્ષમાં મુક્તિ પણ ઘણા ગુજરાતી દર્દીઓને મળી છે. આપણા ગુજરાતીઓના બ્લડ કેન્સરની સચોટ સારવાર થઇ છે! આમ આર્યુવેદ કે જેને પાંચમો વેદ આપણા હિન્દુ ધર્મમા જણાવવામાં આવ્યો છે તેનાથી અસાધ્ય કહેવાય તેવી બીમારીઓનું પણ સરળ અને ખૂબજ અકસીર ઇલાજ મેળવી આપનારા આવા વૈદરાજોને ભારત સરકારે આયુષ મંત્રાલયના કાર્યક્રમ વડે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉત્તમ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડીને તેમનો વિશાળ વૈદકીય અનુભવનો વધુમાં વધુ લાભ ભારતની જનતા લઇ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.

આ હતું ત્રણ દિવસની ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગ્લોબલ આર્યુવેદિક એન્ટરપ્રિન્યોર, ઇનોવેશન અને ઇન્વેસ્ટર્સ સમિટનું એક સર્વોચ્ચ વિઝન કે દૂરંદેશી પગલું! જેમાં ગુજરાતની પાંચ આર્યુવેદીક કોલેજ ના હજારો વિદ્યાર્થીઓ તેમના આચાર્ય સાહેબ તેમજ અધ્યાપકો સાથે લાભ લેવા ઉમટી પડ્યા હતા.. સાથે સાથે અન્ય આર્યુવેદ સાથે સંકળાયેલા લોકોએ પણ ત્રિદિવસીય સેમિનારનો ખૂબ મોટા પાયે લાભ લીધો હતો.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *