બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

 બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

હિંમતનગર ખાતે  બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના  ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની સમજ આપવામાં આવી હતી.  તેમજ પાકોના વાવેતરમાં આવતા રોગ,જીવાત અને તેને સાચવવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. આ એક દિવસીય તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે. એમ.પટેલ દ્વારા શહેરી વિસ્તારની બહેનોને અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

 

 આ કાર્યક્રમમાં આવેલ બહેનોને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે કચેરી દ્વારા કુંડા તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.વી .ગઢવી, અગ્રણી ડો.ચીમનભાઈ પટેલ, પ્રેમીલાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

બાગાયત ખાતા દ્વારા હિંમતનગર ખાતે દિવ્યાઞો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

તારીખ ૧૬/૦૭/૨૦૨૨ના રોજ જલારામ મંદિર હિંમતનગર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારના દિવ્યાઞ બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસે તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની તેમજ તેમાં આવતા રોગ જીવાત અને તેની રાખવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જે એમ પટેલ, મદદનીશ બાગાયત નિયામક દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુડા તેમજ 10 પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટા, મરચાં અને રીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં શ્રી જીગર પટેલ મદદનીશ બાગાયત નિયામક,શ્રી એ.વી .ગઢવી બાગાયત અધિકારી તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારી ઉપરાંત કૃતિકા બેન પટેલ, શી & વી સંસ્થા અમદાવાદ, જઞદીશભાઈ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *