ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

 ચોટીલેશ્વર મહાદેવના બ્રહ્મલીન મહંત હરગોવિંદપુરીનો સોળસી ભંડારો

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે એક પહાડી પર સ્થિત ચોટીલેશ્વર મહાદેવ મંદિરના મહંત હરગોવિંદ પુરી મહારાજનો કૈલાશ વાસ મંગળવારે વહેલી સવારે ત્રણ વાગે થયો હતો. તેઓ ચોટીલા મહાદેવની આસપાસ આવેલા 14 ગામ ના ભક્તોને સત્સંગ કરાવતા હતા અને આ 14 ગામના વચ્ચે ચોટીલા મહાદેવનું મંદિર અને તેની પાસે આવેલા આશ્રમના મહંત હતા. બ્રહ્મલીન થયેલા હરગોવિંદ પુરી મહારાજ મૂળ પંજાબના હતા અને તેઓ 50 વર્ષ પહેલા ગોરવાડા પાસે આવેલા ચોટીલા મહાદેવ મંદિર ની સેવામાં અલગારી સંત તરીકે ઉપસ્થિત થયા હતા.

મૂળ નિરંજની અખાડા થી દીક્ષિત થયેલા સ્વામીજી અહીંયા ભક્તો વચ્ચે લોકપ્રિય અને સેવાભાવી તરીકે જાણીતા થયા હતા અને 50 વર્ષ સુધી સેવા આપી હતી. થોડા દિવસથી મહંતજી ની તબિયત ખરાબ હતી. પરિણામે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓને સોમવારના રોજ જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ચોટીલા મહાદેવ મંદિર માં આવેલા આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને બીજા દિવસે સવારે 3 વાગે પોતાનું શરીર ત્યાગ કર્યો હતો. તેમનું 16 સી ભંડારો 29 માર્ચના રોજ રાખવામાં આવેલ છે. ગુરૂવારના સવારે ધુલરોટ કાર્યક્રમ અંતર્ગત અઢીસો જેટલા સંતો તેમજ ભાવિક ભક્તો મંદિર અને આશ્રમ ખાતે આવશે અને સત્સંગ કરશે તેમ જ ભંડારો કરવામાં આવશે.

 

હાલ વર્તમાનમાં મંદિરના નવા  સુરજપુરી મહારાજ તેમના માર્ગદર્શનમાં 29 માર્ચના રોજ સોળશી ભંડારો નું આયોજન કરેલ છે.

આજુબાજુના ગામના ભાવિ ભક્તો પણ શ્રદ્ધા ભક્તિથી સદગત બ્રહ્મલીન થયેલા હરગોવિંદ પુરી મહારાજની યાદમાં સેવા આપશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *