હિંમતનગરમાં બિહારી સમાજે ઉજવ્યો સૂર્યનારાયણની ઉપાસનાનો છઠ પૂજા ઉત્સવ

 હિંમતનગરમાં બિહારી સમાજે ઉજવ્યો સૂર્યનારાયણની ઉપાસનાનો છઠ પૂજા ઉત્સવ

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

વર્ષોથી બિહારમાં ઉજવાતો છઠ પૂજા એટલે કે સૂર્ય ઉપાસના નો પરંપરા નો તહેવાર હિંમતનગરમાં પણ હવે અહીંયા સ્થાયી થયેલા બિહારીઓ વડે ઉજવવા લાગ્યો છે. છેલ્લા 22 વર્ષોથી હિંમતનગરમાં સ્થાયી થયેલા બિહારી સમાજના સભ્યો શ્રદ્ધાથી ત્રણ દિવસનો સૂર્ય ઉપાસના નો ઉત્સવ એટલે કે છઠપૂજા— લાભ પાચમ ના સાંજથી ખૂબ ધામધૂમથી અને ઉત્સવની શુદ્ધિ ,સુચિતા અને દિવ્યતા પ્રમાણે ઉજવે છે.

30 અને 31 ઓક્ટોબરના રોજ બિહારના હિંમતનગરમાં વસતા લોકોએ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરીને છઠપૂજા પર્વની ખૂબ જ યાદગાર રીતે ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે મહાવીર નગરના રેલવેના પાટા પાસે અમરનાથ સોસાયટી આવેલી છે જેમાં આશરે 20 થી 25 બિહારી પરિવારના સભ્યો સ્થાયી થયા છે દર વર્ષે તેઓ શ્રદ્ધાપૂર્વક સૂર્ય નારાયણના મહાન પર્વ છઠની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે. આ વર્ષે પણ આ પર્વ ખૂબ જ આનંદથી ઉજવાયું હતું.

હિંમતનગર પાસે આવેલ મહાવીર નગર વિસ્તારમાં અમરનાથ સોસાયટીમાં દર વર્ષે છઠપૂજા નો તહેવાર ઉજવાય છે. આ ઉપરાંત હાથમથી નદી કિનારે પણ કેટલાક બિહારી પરિવારો ભેગા થઈને મહેતાપુરા વિસ્તારમાં છઠપૂજા ઉજવે છે. છઠ પૂજાના રોજ છઠ્ઠી મૈયાની ઉપાસના કરવામાં આવે છે..

પોતાના જીવનમાં આધી ,વ્યાધિ, ઉપાધિ રહિત જીવન થાય અને આરોગ્ય તેમજ બુદ્ધિ અને જ્ઞાનનું અનંત ઘણું આશીર્વાદ આપનાર કે વર્ધન કરનાર સૂર્યને આહવાન કરીને દરેક વ્રતી ભાઈ- બહેનો સૂર્યને ઉપાસના કરે છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच