મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ
મહંત સ્વામી હિંમતનગરના બીએપીએસ મંદિરમાં પધાર્યા, કુલ 19 દિવસનો ધાર્મિક સત્સંગ કાર્યક્રમ

નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540)
હિંમતનગરને આંગણે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજનું 18 ઓગસ્ટ 2025ના( સોમવાર) રોજ ભવ્ય આગમન
હિંમતનગર : BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વવંદનીય પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તા. 18 ઓગસ્ટ 2025ના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાવિક ભક્તોને દર્શન-લાભ આપવા માટે BAPS સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર ખાતે આવીી પહોંચ્યા છે.
સોમવારની પ્રાર્થના વેલ માં મહંત સ્વામી હિંમતનગર ખાતે આગમન કર્યું હતું તેમજ ઉપસ્થિત હરિભક્તો અને સંતોને આશીર્વાદ આપ્યા હતા તેમનો સત્સંગ કાર્યક્રમ બુધવારથી શરૂ થનાર છે
સ્વામીશ્રી તા. 5 સપ્ટેમ્બર 2025 સુધી હિંમતનગરમાં રોકાણ દરમિયાન હજારો ભાવિક ભક્તોને દર્શન લાભ પ્રાપ્ત થનાર છે
સ્વામીશ્રી ના રોકાણ દરમિયાન પ્રાતઃ પૂજાનો લાભ સવારે 5:45થી 8:00 સુધી અને સાંજની સભાનો લાભ સાંજે 5:30થી 8:00 સુધી લાભ પ્રાપ્ત થનાર છે.
તાજેતરમાં 15 મી ઓગસ્ટે બીએપીએસ મંદિર કેમ્પસમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી પણ થઈ હતી
સાંજની સભાઓમાં બાળ દિન, યુવા દિન, મહિલા દિન, આદિવાસી દિન સહિતના વિવિધ આધ્યાત્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમોની દિવ્ય અને ભવ્ય ઉજવણી થનાર છે. સાંજની સભા કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તો માટે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે.
આ અવસરે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ ભાવિક ભક્તોને આ અલૌકિક પાવન પ્રસંગે સહ પરિવાર હાજર રહી ગુરુહરી મહંત સ્વામી મહારાજ નો લાભ લેવા માટે BAPS સ્વામિનારાયણ મંદિર , હિંમતનગર હાર્દિક આમંત્રણ પાઠવે છે.