અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

 અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

નીરવ જોષી હિંમતનગર(M-7838880134)

હિંમતનગર વિજાપુર રોડ પાસે આવેલા દેત્રોટા ગામની નજીકમાં આવેલા ગામ ખેડાવાડા ના મા અંબાનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. શ્રી અંબાજી માતાજી મંદિર – લક્ષ્મીપુરા ખાતે બે દિવસીય માં અંબા મંદિર નો રજત જયંતિ મહોત્સવ યાદગાર રીતે ધામધૂમથી તાજેતરમાં ઉજવાઈ ગયો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે મુખ્ય મહેમાન તરીકે ઊંઝાના શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી બાબુલાલ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો ગામના ભક્તોને આમંત્રણના કારણે તેમજ માં અંબા અને ઉમિયા માં ભક્તિપૂર્વક શ્રદ્ધા ધરાવતા હોવાને લીધે ભાવપૂર્વક હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે સમગ્ર લક્ષ્મીપુરા ગામ તેમજ તેના પાસે આવેલું ખેડાવાડા – નવું અને ખેડાવાડા – જુના તેમજ તેની આસપાસના ગામોના પટેલ ભક્તો અને અન્યમાં માં જગદંબા ભક્તોએ ખુબ જ ભાવ ભક્તિપૂર્વક રજત જયંતિ મહોત્સવમાં પંચ કુંડી નવચંડી હવન નું આયોજન કર્યું હતું. જેમાં ૨૧ યજમાનોએ પાટલા લીધા અને ભક્તિભાવપૂર્વક હવન કર્યો હતો.

 

શ્રી અંબાજી મંદિર માતાજી ની રજત જયંતી મહોત્સવના પ્રથમ દિવસે મા અંબાની જળ શોભાયાત્રા, સિંહની પૂજન , શ્રી યંત્ર પૂજન તેમજ સાય પૂજા-આરતી કરવામાં આવી હતી.

સમગ્ર ગામમાં શોભાયાત્રા સમય પધારેલા સુપ્રસિદ્ધ ગાયક સાગર પટેલ ના ભક્તિ સંગીત દ્વારા આયોજીત યાત્રામાં ભક્તિ કરવામાં આવી હતી. ભક્તોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મા અંબાની શોભાયાત્રા – મા જગદંબાના દર્શન સમગ્ર ગામમાં કરાવ્યા હતા.

લક્ષ્મીપુરા ખેડાવાડા ના નવયુવક મંડળના યુવાનોએ સેવા સમર્પણ પૂર્વક કરીને કાર્યક્રમને શાનદાર બનાવ્યું હતું. બે દિવસ દરમિયાન સમગ્ર ગામના ભકતોએ મા અંબાનો મંદિરે પ્રસાદ લીધો હતો. ગામ ખૂબ જ નાનું હોવા છતાં મહોત્સવ સમયે કાર્યક્રમમાં મોટા પાયે આયોજન થયું હતું જેમાં આશરે ૭૦૦૦ જેટલા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લોકો તેમજ હિંમતનગરના લોકલાડીલા નેતા અને દીવ દમણ પ્રશાસક-પ્રફુલ પટેલ અને ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા તેમજ પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ધારાસભ્ય રાજુભાઈ ચાવડા, ડોક્ટર દિનેશ પ્રજાપતિ,જેઠાભાઈ પટેલ, સરપંચ અમૃતભાઈ ભગાભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી માં અંબાના રજત જયંતિ મહોત્સવ ની શોભા વધારી હતી.

આ સમગ્ર કાર્યક્રમમાં લક્ષ્મીપુરા ગામના માઇભક્તોએ અથાક પરિશ્રમ કરીને મા જગદંબાની રજત જયંતિ ઉજવણી કરવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. ગામ લોકોની સુખાકારી વધે અને સૌને સદબુદ્ધિ મળે તેવી ભક્તોએ મા જગદંબા અને માં ઉમિયા તે મહાકાળીને પ્રાર્થના કરી હતી.

જય અંબે!

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *