જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

 જાણો સેવાદળના આદ્ય સંસ્થાપક કોણ હતા, એમનો કયો ઉદ્દેશ હતો?

નીરવ જોષી, હિંમતનગર

કોગ્રેસ સેવાદલના આદ્યસ્થાપક પ પૂ ડૉ એન એસ હાડિઁકરજીની 47 મી પૂણ્યતિથિએ સાબરકાંઠા જિલ્લા કોગ્રેસ સેવાદલ પ્રમુખ મુકેશ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી નારાયણભાઈ રાઠોડ -ઉત્તર ગુજરાત તેમજ સેવાદલ સૈનિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અપઁણ કરી હતી .

શું સેવાદળ એ આરએસએસના જેવી જ લોકસેવાના તેમજ રાષ્ટ્ર સમર્પિત કાર્ય કરતું સંગઠન છે?

સેવાદળના કાર્યો વિશે આજે પણ ખૂબ જ ઓછા લોકો ગુજરાતમાં જાણે છે કારણકે સેવાદળ કોઈપણ પ્રકારની પબ્લીસીટી કે દેખાડા વિના કાર્ય કરતું તેમજ કોંગ્રેસને શક્તિ પ્રદાન કરતુ એક ઉમદા અને દેશની ઉચ્ચ વિચારધારા તેમજ કોંગ્રેસના અન્ય મહાન નેતાઓના વિચારોનું સંકલન કરતું સંગઠન છે.

 

સેવાદળ શું કાર્ય કરે છે ?

સેવાદળની સ્થાપના ૧૯૨૩માં ડોક્ટર એન એસ હાર્ડીકર સાહેબે એક એવા વિચાર સાથે કે દેશમાં કુદરતી આપત્તિઓ આવે કે પછી માનવ સર્જિત આફતો આવે ત્યારે નિષ્કામ કે નિસ્વાર્થ સેવા માટે આગળ આવનારા સૈનિકોની એક ટુકડી કે સંસ્થા બનાવી જોઈએ. આ હતું સેવાદળ. ભૂતકાળમાં ભૂકંપ, પૂર તેમજ દુષ્કાળ અને અન્ય કુદરતી આફતો સમયે કોંગ્રેસ સેવાદળના કાર્યકર્તાઓ તેમજ સૈનિકોએ ઉત્તમ સેવાકીય કાર્યો કર્યા હતા.

વરિષ્ઠ કાર્યકર્તા અને પરગજુ ,લાગણીશીલ સ્વભાવના મુકેશભાઈ પટેલ સેવાદળ સાબરકાંઠાના નવા પ્રમુખ બન્યા.

વર્તમાનમાં સાબરકાંઠા સેવાદળના પ્રમુખ તરીકે છેલ્લા બે મહિનાથી મુકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મુકેશભાઈ પટેલ ઘણા વર્ષોથી કોંગ્રેસ સેવાદળના ના સમર્પિત કાર્યકર્તા કે સૈનિક તરીકે સંગઠનમાં સેવા આપતા રહ્યા છે.

તેમના કહેવા મુજબ આગામી સમયમાં સાબરકાંઠા ના આઠ તાલુકા માંથી દરેક તાલુકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર કરવાની યોજના છે. આ ઉપરાંત સાબરકાંઠાની ૬ નગરપાલિકાઓ માંથી પણ દરેક નગરપાલિકા દીઠ સો સો સેવાદળ સૈનિકો તૈયાર થાય તેઓ તેમનું આયોજન છે.

આ ઉપરાંત તેમનું કહેવું છે કે સાબરકાંઠાના જેટલા તાલુકાઓ તેમજ નગરપાલિકામાં બુથો છે તેમાં દરેક બુથ દીઠ બે સેવાદળના સૈનીકો આગામી કોઈપણ ચૂંટણીઓમાં સેવા આપશે.

આ ઉપરાંત આવી જ રીતે મહિલાઓ માટેના સેવાદળ અને યુવાનો માટેની પણ સેવાદળ – યંગ બ્રિગેડ રચવાની તેમની તૈયારી છે. મુકેશભાઈ એ સાબરકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં સેવા પ્રેમી અને કોંગ્રેસ તરફ લાગણી ધરાવતા કાર્યકર્તાઓ સેવા દળમાં જોડાય અને એની હકારાત્મક તાકાત બને તેવી લાગણી પ્રગટ કરી હતી.

આ સૂચન અમારા ગુજરાતના સેવાદળના પ્રદેશ પ્રમુખ ઋત્વિક ભાઈ મકવાણા સાહેબ 25 તારીખે Zoom online મિટિંગમાં કર્યું હતું, એમ મુકેશભાઈએ ઉમેર્યું હતું.

સંપર્ક :  મુકેશભાઈ પટેલ (સેવાદળ)- 9409225781

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *