સાબરકાંઠા:આગીયોલ ગામના સખીમંડળના પ્રણેતા શિલ્પાબેને આર્યુવેદનું નામ રોશન કર્યું

 સાબરકાંઠા:આગીયોલ ગામના સખીમંડળના પ્રણેતા શિલ્પાબેને આર્યુવેદનું નામ રોશન કર્યું

નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

આગિયોલનો આયુર્વેદ મલમ છેક ઓસ્ટ્રેલિયા સુધી પંહોચ્યો

સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત આયુર્વેદિક  હર્બલ પ્રોડક્ટ થકી રૂ. ૫૦,૦૦૦/- થી વધુની કમાણી કરે છે.

કહેવાય છે આયુર્વેદ એ પાંચમો વેદ છે અને આ આયુર્વેદના ઉપયોગથી અનેક જાતના અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે. તો આવા આયુર્વેદનો ઉપયોગ કરીને સાબરકાંઠાના આગીયોલ ગામના શિલ્પાબેને સેવા શક્તિ મંડળ તેમજ સેવા ગૃહ ઉદ્યોગ દ્વારા લોકોને કોરોના ના અતિશય મુસીબત વાળા કપરા સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈએ તેમજ રોજગાર આપીને સમગ્ર ગુજરાતની નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે. આવો જાણીએ શિલ્પાબેન ની એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકેની ગૌરવ યાત્રા.

શહેરી અને ગ્રામિણ ગરીબ કુટુંબને એક જૂથ અને સંગઠિત બની સ્વરોજગારીની દિશામાં આગળ વધે અને આર્થિક રીતે ઉન્નત બને તે માટે મિશન મંગલમ હેઠળ સખી મંડળોની રચના કરવામાં આવે છે. આવુ જ એક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અગિયોલનું સેવા સખી મંડળ જે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવીને એક મહિમાં ૫૦,૦૦૦/- થી  વધુની કમાણી કરે છે.

આ મંડળના પ્રમુખ શિલ્પાબેન ગોહિલ જણાવે છે કે અત્યારના આધુનિક યુગમાં બજારમાં મળતા હેલ્થ તેમજ સુંદરતા વધારવાના કેમિકલ પ્રોડક્ટનું વેચાણ થાય છે જે આપણા સ્વાસ્થ્યને અને શરીરને નુકસાનકારક બને છે સાથે પૈસાનું પણ નુકસાન થાય છે. પરંતુ અમારી સેવા સખી મંડળની બહેનો દ્વારા પ્રાચીન ઔષધીઓમાંથી કેમિકલ વગરની પ્રોડક્ટ ઉત્પાદિત કરી વેચાણ માટે મુકે છે. જે બિલકુલ આડઅસર કરતી નથી અને ઘરમાં નાના-મોટા સભ્યો માટે આ આયુર્વેદિક પ્રોડક્ટ ફાયદાયક સાબિત થાય છે.

અમારા સખી મંડળમાં અમે ૨૦ બહેનો છીએ. અમારી સેવા સખી મંડળની બહેનો જાતે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરીએ છીએ. અમારા મંડળ દ્વારા ૧૭ જેટલી હર્બલ પ્રોડક્ટો  બનાવવામાં આવે છે. જેમાં ગીરનારી આયુર્વેદિક માલીસ તેલ, ગીરનારી દીપ આયુર્વેદિક દંતમંજન, ગીરનારી સંજીવની આયુર્વેદિક ચુર્ણ, ગીરનારી હરસ મુક્ત ચુરણ, ગીરનારી એલોવેરા જેલ, ગુલાબ જલ, ગીરનારી પગ વાઢીયા મલમ, ગીરનારી ફેસપેક પાઉડર, વેટપ્લસ ચુરણ, હર્બલ શેમ્પુ, ડાયાબિટિસ માટે નિત્યમ કંટ્રોલ ચુરણ, ,પથરી-ગો આયુર્વેદિક ચુરણ, કોલ્ડક્રિમ, હેર ઓઇલ જેવી વિવિધ પ્રોડક્ટો અમારા સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે.

વધુમાં શિલ્પાબેન જણાવે છે કે અમે છેલ્લા ૧૨ વર્ષથી આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ. અને જેમાં અત્યાર સુધી વર્ષે રૂ. ૧૨ થી ૧૩ લાખનું ટનઓવર બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. સખી મંડળમાં દરેક બહેન દિવસના ૪૦૦ થી ૫૦૦ જેટલા રૂપિયા કમાવી લે છે.

સેવા સખી મંડળની વિવિધ હર્બલ પ્રોડક્ટ પૈકી ગીરનારી આયુર્વેદિક માલીસા તેલનું ખુબ જ વેચાણ થાય છે. આ માલીસ તેલ છેક ઓસ્ટ્રેલીયા અને કેનેડા જેવા દેશો પણ જાય છે. આ તેલ થકી કમર-માથાનું દર્દ,સંધીવા,વા-ધૂંટળ-પીઠ –કડતર ,સ્નાયુ –પગની એડી-સાયટીકા,ગરદન-પગ મંચકોડ,સોજા,પગના તળીયા, બળતરા-ખસ, ખરજવું, ધાધર, ખંજવાળ,શરદી ,ઉધરસ ,કફ જેવા દુ:ખ દુર કરે છે. આ માલીસ તેલની અસરકારતાના કારણે કોરોના સમય દરમિયાન સેવા સખી મંડળ દ્વારા માલીસ તેલનું ૪ લાખ જેટલું વેચાણ કરવામાં આવ્યુ હતુ.

સેવા સખી મંડળ સાથે બીજા ૫ સખી મંડળની બહેનો  દ્વારા આવા આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. આ આયુર્વેદિક પ્રોડક્ટ ફક્ત જિલ્લામાં જ નહીં પરંતુ આખા ગુજરાત રાજ્ય તથા વિદેશમાં પણ માંગ છે.સેવા સખી મંડળને વર્ષ ૨૦૨૨માં મુખ્યમંત્રી અને મહિલા આર્થિક વિકાસ દ્વારા બેસ્ટ સેલરનો એવોર્ડ આપીને સંન્માનિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *