MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

 MSME નો વ્યાપ એટલો વધ્યો કે મોદી થયા એના દીવાના!

નીરવ જોષી ,હિંમતનગર (M-7838880134)

નવી દિલ્હીના ના વિજ્ઞાન ભવન ખાતે MSME યોજનાઓનો શુભારંભ પીએમ મોદી આજે કરાવ્યો હતો. વડાપ્રધાને ઉપસ્થિત અધિકારીઓ અને ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ ની મદદ માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે. ઉદ્યમી ભારત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રસપ્રદ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે દેશના MSME સેકટરને મજબૂત અને એનો વ્યાપ વિશાળ કરવો જરૂરી હતો. એમ.એસ.એમ.ઈ વાળી ઉદ્યોગોથી માઇક્રોઇકોનોમિક્સ મજબૂત થાય છે. આજે ભારત મજબૂત છે તેનો મોટાભાગનો હિસ્સો એમ.એસ.એમ.ઈ સેક્ટરનો ફાળો છે!

ભારત જે સો રૂપિયા રૂપિયા કમાય છે તો એમાં 30 રૂપિયા નો ફાળો MSME તરફથી આવે છે! MSME ના પ્રમોશન માટે તેમજ તેના વ્યાપક વિકાસ માટે પાછલા આઠ વર્ષમાં સરકારે 650 પ્રતિશત કેન્દ્રીય બજેટમાં વધારો કર્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે 11 કરોડ લોકો ડાયરેક્ટ – ઇનડાયરેક્ટ રીતે MSME સાથે જોડાયેલા છે. મોદીએ MSME સંબંધી યોજનાઓનું શુભારંભ આજે વિજ્ઞાન ભવન ખાતે કરાવ્યું હતું.

નાના લઘુ ઉદ્યોગોને બચાવવા માટે, એને નવી તાકાત આપવા માટે મોદીએ અનેક પ્રકારના ઉપાયોનો ખાસ ભાર મૂક્યો હતો. MSME ની ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ સાડા ત્રણ લાખ કરોડની મદદ MSME માટે સુરક્ષિત કરી છે. આના પરિણામે 1.5 લાખ કરોડ જેટલો રોજગાર જે ખતમ થવાના  આરે આવેલો હતો તેનો હવે ખતરો ટાળ્યો છે. દેશના MSME સેક્ટરમાં નવા રોજગાર માટે પ્રોત્સાહક નીતિની જાહેર કરતા મોદીને જણાવ્યું કે આ વખતે અમે MSME સેક્ટર નવી યોજનાઓ પણ અમલમાં મૂકી છે. નવી નવી યોજનાઓ અંતર્ગત 50,000 કરોડના બજેટથી પાંચ લાખ કરોડ જેટલું બજેટ ફાળવાયું છે!

વર્તમાન સમયમાં MSME ચેપ્ટર એ ભારતની આત્મનિર્ભર ભારત માટે ખૂબ મહત્વનું આંદોલન કહી શકાય. મોદીએ પહેલાંની સરકાર ઉપર હુમલો કરતા કહ્યું હતું કે MSME ને ભૂતકાળની સરકારોએ  જોઈએ એવો ટેકો આપ્યો નથી. મતલબ એના માટે માટે ખૂબ મોટા પાયે ચિંતા નથી કરી.

કોરોના કાળમાં નાના ઉદ્યોગોને બચાવવા માટે MSMEની ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

પહેલાના સમયમાં નાના ઉદ્યોગો માટે એવી પરિભાષા નક્કી કરવામાં આવી હતી કે જેના પરિણામે MSME માં કોઈ પ્રોત્સાહન નીતિ એટલી બધી મજબૂત નહોતી. મોદીએ ખાસ ભાર મૂક્યો હતો કે દેશમાં MSME ક્ષેત્ર મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી MSME સેક્ટર એ આ સમયમાં ખૂબ જ મહત્વનું બની ગયું છે. અમે MSMEના સેક્ટરની આખી પરિભાષા જ સરકાર આવતા બદલી નાખી હતી. સૂક્ષ્મ , લઘુ, મધ્યમ ઉદ્યોગોની માટે અમે નવા નવા ઉપાયોની ઘોષણા કરી.

જો કોઈ ઉદ્યોગ સાહસિક આગળ વધવા માંગે છે કે તેનો વિસ્તાર કરવા માંગે છે તો સરકાર તેને સહયોગ આપશે અને નીતિઓમાં સરકાર જરૂરી બદલાવ પણ કરી આપશે.- એવી અમારી નીતિ રહી છે. આજે અમારી સરકાર છે પરિણામે MSME સાથે સંકળાયેલા લોકો નવી નીતિઓનો લાભ લઇ રહ્યા છે.

ખાદી અંગે પીએમ નરેન્દ્ર મોદીએ કરી આ આશ્ચર્યજનક વાતો!

ભારતની ખાદી લોકલ થી ગ્લોબલ બની ગઈ છે એટલું જ નહીં ખાદીનું માર્કેટ અત્યારે એક લાખ કરોડ સુધી પહોંચી ગયું છે !અને છેલ્લા આઠ વર્ષમાં ખાદીની વેચાણ અમારી સરકાર દરમિયાન ચાર ઘણું વધ્યું છે! આઝાદી વખતે ખાદી બહુ ચાલી પરંતુ પછી એ નેતાઓનું એક કોશ્યુમ બની ગયું! એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પરંતુ અમારી સરકાર આવ્યા બાદ આજે ખાદી અને તેના વસ્ત્રોને અમે એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.

એન્ટરપ્રિન્યોરશિપ MSME એના કારણે ખૂબ જ સહજ જીવનના  દરેક લેવલના માણસ માટે સહજ બન્યું છે. ભારતની ખાદી લોકલ થી ગ્લોબલ થઈ રહી છે. આઠ વર્ષમાં ખાદીની ખરીદીમાં ચાર ગણો વધારો થયો!

2014માં સબના સાથ સૌનો વિકાસ ના મંત્રને લઈને અમે MSME સેક્ટરનો  વ્યાપ ખૂબ મોટા પાયે વધાર્યો છે ,વધુ લોકો જોડાયેલા છે કોરોના ને કારણે નાના ઉદ્યોગોને બચાવવા એમએસએમઈએ સારી કામગીરી કરી.. બજેટ 650 ટકા વધ્યું

મુદ્રા યોજના ના પરિણામે સાત લાખ જેટલા લોકો નવા ઉદ્યોગકાર બન્યા છે.એ લોકો જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બન્યા છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *