ખોડલધામના નરેશભાઈ પટેલનો 57 મો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો

 ખોડલધામના નરેશભાઈ પટેલનો 57 મો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો

નીરવ જોશી, અમદાવાદ(M-7838880134)

શ્રી ખોડલધામ ટૃસ્ટ કાગવડ ના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ ના 57મો જન્મદિવસ માનવતાના સેવાના કાર્ય માટે ઉજવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર ના પૂવૅ વિસ્તારમાં ખોડિયાર મંદિર નિકોલ હોલમા બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતા પોતાનુ અમૂલ્ય લોહી દાન આપતા જણાય છે.

આ માટે નરેશભાઈ ના ચાહકો, અંગત મિત્રો તેમજ સમર્થક મિત્રોએ whatsapp પર નરેશભાઈ પટેલ ના જન્મદિવસ અંગે રક્તદાન કરવાની જાહેરાત કરી હતી. ખોડલધામ ના ટૃસ્ટી શ્રી દિનેશભાઇ કુભાણી, શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદના નરસિંહ પટેલ, કન્વીનર ડોક્ટર સુરેશ પટેલ, સોનલબહેન પટેલ- મહિલા કન્વીનર સાથે ટીમ ટેક્સફાઉન્ડેશન દ્વારા ગીફટ તેમેજ હિલટાઉન ગ્રુપ એ બ્લડ આપનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ખોડલધામ કાગવડ ના ટૃસ્ટી શ્રી દિનેશભાઇ કુભાણીના હસ્તે ખોડલધામ કાગવડ ના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ના 57મો જન્મદિવસ માં 20 જગ્યાએ વૃક્ષારોપણ અને છ સ્થળે બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ને હોદ્દેદારો પોતાનું રક્તદાન આપ્યું. કાર્યકર્તાઓ તેમ જ મિત્રોનો ઉત્સાહ ફોટા માં-તસ્વીરમાં જણાય છે!

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *