જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

 જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

નિરવ જોષી, ગાંધીનગર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનશ્રીએ સરાહના કરી છે

વડાપ્રધાનશ્રીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.

જન્મ દિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મ ગુરૂના કર્યા વંદન!

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે.તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *